ઓસ્ટ્રેલિયામા ભારતીય નર્સિંગની વિદ્યાર્થીનીને એક્સ લવરે જીવતી દફનાવી દીધી

ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક પ્રેમીએ બદલાની આગમાં 21 વર્ષીય ભારતીય નર્સિંગની વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેને જીવિત દફનાવી દીધી. દફનાવતા પહેલા આરોપીએ મૃતકાને ઘણી ઈજાઓ પણ પહોંચાડી. આરોપી પ્રેમી મૃતકાનું અપહરણ કરી લગભગ 650 કિલોમીટર દૂર લઈ ગયો અને દક્ષિણ ઓસ્ટ્રેલિયા રાજ્યના ફ્લિંડર્સ રેન્જમાં તેને જીવતી દફનાવી દીધી.

ઓસ્ટ્રેલિયાના એડીલેડમાં ભારતીય યુવતીને જીવતી દફનાવવાનો મામલો સામે આવ્યો છે. આરોપ એક ભારતીય પર જ લાગ્યા છે. મૃતક અને આરોપી બંને પંજાબના છે. મૃતકની ઓળખ સંગરૂર જિલ્લાના નારાયણગઢ ગામમાં રહેતી જસમીન કૌર તરીકે થઈ છે. આરોપીની ઓળખ લુધિયાણા જિલ્લાના ખન્નાની પાસે બુલાલોમાં રહેતા તારિકજોત સિંહ તરીકે થઈ છે. ઓસ્ટ્રેલિયન પોલીસે મામલો સોલ્વ કરતા તારિકની ધરપકડ કરી લીધી છે.

મૃતકના મામા કુલવંત સિંહ દહેડાએ જણાવ્યું કે, જસમીન અઢી વર્ષ પહેલા નર્સિંગ કોર્સ કરવા એડીલેડ ગઈ હતી. ત્યાં તારિક તેની પાછળ પડી ગયો હતો. તે તેને હેરાન કરતો હતો. તારિક ત્યાં પોતાની માસી રાજવીર કૌર પાસે રહે છે. જસમીન પાર્ટ ટાઇમ જોબ પણ કરતી હતી. ત્યાં જ તારીક પણ કામ કરતો હતો પરંતુ, તે તેને હેરાન કરતો હતો. જસમીને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી છતા, તારિક તેની પાછળ પડ્યો રહેતો હતો.

આ અંગે જસમીને પોતાના ઘરના સભ્યોને પણ જણાવ્યું હતું. દરમિયાન, જસમીન ગાયબ થઈ ગઈ. પરિવારજનોને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે ત્યાં એક સહયોગીની મદદથી પોલીસને ફરિયાદ કરી. પરિવારજનોએ તારીક પર જસમીનને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો. કાર્યવાહી કરતા પોલીસે તારિકને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી. કડકાઈપૂર્વક પૂછપરછ કરવા પર તારિકે પોતાનો ગૂનો કબૂલ કરી લીધો અને તેણે જણાવ્યું તે, તેણે જસમીનની હત્યા કરી દીધી છે. તારિકે જે જગ્યા જણાવી ત્યાંથી પોલીસે જસમીનનું શવ પણ જપ્ત કરી લીધું. તારિકે જસમીનને એડીલેડથી 650 કિમી દૂર દફનાવી હતી. પોલીસે મામલામાં આગળની કાર્યવાહી કરતા આરોપી તારિકજોત સિંહ અને તેના માસા-માસીની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ જસમીનની હત્યા કરવાના કારણો શોધી રહી છે.

એડિલેડ શહેરની જસમીન કૌરની હત્યા તારિકજોત સિંહે માર્ચ 2021માં કરી હતી. જસમીન કૌરનું 5 માર્ચ, 2021ના રોજ તેના કાર્યસ્થળથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તારિકજોત દ્વારા અપહરણ કરાયા બાદ નર્સિંગની સ્ટુડન્ટે અસામાન્ય ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. તેને ટેપ અને તારો વડે બાંધી દેવામાં આવી અને આંખો પર પટ્ટી બાંધીને અને જીવિત રહેતા તેને દફનાવી દેવામાં આવી હતી. જસમીનના ગળા પર પણ ઇજાના નિશાન હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.