શું ફરી લોકડાઉન! કોરોના બાદ આ ખતરનાક બીમારીથી ડર્યું ચીન, સ્થાનિકોમાં રોષ

ચીનના કેટલાક શહેરોમાં ફરી એકવાર લોકડાઉનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે ખતરો કોરોનાથી નહીં પરંતુ અન્ય ખતરનાક રોગનો છે. જો કે ચીને ચોક્કસપણે કોરોનાના કેસમાં ઘટાડો થવાનો દાવો કર્યો છે, પરંતુ અહીં ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે, સાવચેતીના ભાગ રૂપે, ચીની અધિકારીઓ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવા માંગે છે. ત્યારે આ નિર્ણય બાદ સ્થાનિક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. સ્થાનિક લોકોને ડર છે કે, જો લોકડાઉન લાગુ કરવામાં આવશે તો સ્થિતિ કોરોનાના સમય જેવી થઈ જશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનના શિયાન શહેરમાં લોકડાઉન પરત આવી શકે છે. 13 મિલિયનની વસ્તીવાળા આ શહેરમાં, વહીવટીતંત્ર ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસોને રોકવા માટે લોકડાઉન લાદી શકે છે. બુધવારે, શિયાનના વહીવટીતંત્રે સ્થાનિક સત્તાવાળાઓને ઇમરજન્સી નોટિસ મોકલી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ઈન્ફલ્યુએન્ઝાના કેસ વધે છે, તો સાવચેતી તરીકે શાળાઓ, બિઝનેસ હાઉસ અને મનોરંજન કેન્દ્રો બંધ કરી દેવામાં આવે. જો ખતરો વધારે હોય તો શહેરના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ લાદવામાં આવી શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ચીનમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ કારણે, દુકાનો અને ઓનલાઈન ફાર્મસીઓ બંનેમાં એન્ટિ-વાયરલ દવાઓનો પુરવઠો ઘટી ગયો છે.

આ દરમિયાન, શિઆનમાં લોકડાઉનની સૂચનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. ઘણા લોકોએ આ યોજના સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. લોકોને ડર છે કે 2021 જેવી સ્થિતિ ફરી ઉભી થઈ શકે છે, જ્યારે કોવિડના વધતા કેસો બાદ કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ત્યાં સુધી કે લોકો ખોરાક અને મૂળભૂત વસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા હતા.

શિયાનમાં લોકડાઉનની આશંકા વચ્ચે ચીનના સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ વેઇબો પર લોકોની વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એક યુઝરે પૂછ્યું, 'શું ગયા વર્ષે લોકોને ટોર્ચર કર્યા તે પૂરતું નથી?'

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.