ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભાઈ સાચું કહે છે

આજકાલ, યુવાનો માટે, નોકરી ફક્ત કારકિર્દી નથી, તે તેમના પરિવારોનું જીવનનિર્વાહ કરવાનું સાધન પણ છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ ક્લેશ જેવું બની જાય તો તે પણ શું કરે? આવી જ એક વાર્તા સામે આવી છે તે છે તાંઝાનિયાનો કર્મચારી, જેણે પોતાના બોસ અને કંપનીની નીતિઓથી પરેશાન થઈને રાજીનામાનો પત્ર લખ્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Resignation-Letter
hindi.news18.com

'JAY Decor' નામની એક બાંધકામ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક કર્મચારીએ લખેલો રાજીનામાનો પત્ર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ પર તેના 100,000થી વધુ ફોલોઅર્સ છે. આ કર્મચારીનું નામ AC Minza છે. તેણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, 'સાહેબ, હું રાજીનામું આપી રહ્યો છું, કારણ કે આ કંપનીમાં ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં. હું અહીં કામ કરું છું, જાદુ નહીં.' આ રાજીનામા પત્ર પર કંપનીની સત્તાવાર સ્ટેમ્પ લગાવવામાં આવી હતી, જેના કારણે તેની સત્યતા પર શંકા કરવી મુશ્કેલ બની ગઈ હતી.

https://www.instagram.com/p/DPzADnUDFfk/

પોસ્ટ શેર કરતા, કંપનીએ કેપ્શનમાં લખ્યું, 'આજે અમને આ રાજીનામું પત્ર મળ્યો. અમને શંકા છે કે તે એક મજાક કરવા માટે લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે ઓફિસ ડાયરીના એક પાના પર લખાયેલો દેખાય છે, જ્યારે રાજીનામુ સામાન્ય રીતે સાદા કાગળ પર લખાયેલા હોય છે અથવા E-mail દ્વારા મોકલવામાં આવે છે.' જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ તેની સત્યતાની પુષ્ટિ કરી શકતા નથી.

Resignation-Letter3
assignmentpoint.com

પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને તેને 16,000થી વધુ લાઈક્સ અને 100થી વધુ ટિપ્પણીઓ મળી ચૂકી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખી હતી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી, 'આ વ્યક્તિ બિલકુલ સાચો છે. જો પગારમાં વધારો નથી થતો, તો ટાર્ગેટ કેમ વધારો છો?' એક યુઝરે લખ્યું, 'જો તમે કો ઇન્ક્રિમેન્ટ નથી આપી શકતા તો, તો ટાર્ગેટ વધારવાનો કોઈ અર્થ નથી.'

જો કે કંપની તેને મજાક તરીકે ગણી રહી છે, ત્યારે આ રાજીનામું એક મહત્વપૂર્ણ સત્યને બહાર લાવે છે કેકામના ભારણમાં વધારો થવા છતાં, પગાર યથાવત રહે છે. કર્મચારીઓ પોતાને મશીન જેવા માનવા લાગે છે, અને આવા પગલાં ત્યારે જ લેવામાં આવે છે, જ્યારે સહનશીલતાની હદ પર થઇ જતી હોય છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કર્યા છે કે, શું કંપનીઓએ લક્ષ્યો વધારતા પહેલા કર્મચારીઓની મહેનત અને માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં?

About The Author

Related Posts

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.