ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભાઈ સાચું કહે છે

આજકાલ, યુવાનો માટે, નોકરી ફક્ત કારકિર્દી નથી, તે તેમના પરિવારોનું જીવનનિર્વાહ કરવાનું સાધન પણ છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ ક્લેશ જેવું બની જાય તો તે પણ શું કરે? આવી જ એક વાર્તા સામે આવી છે તે છે તાંઝાનિયાનો કર્મચારી, જેણે પોતાના બોસ અને કંપનીની નીતિઓથી પરેશાન થઈને રાજીનામાનો પત્ર લખ્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Resignation-Letter
hindi.news18.com

'JAY Decor' નામની એક બાંધકામ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક કર્મચારીએ લખેલો રાજીનામાનો પત્ર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ પર તેના 100,000થી વધુ ફોલોઅર્સ છે. આ કર્મચારીનું નામ AC Minza છે. તેણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, 'સાહેબ, હું રાજીનામું આપી રહ્યો છું, કારણ કે આ કંપનીમાં ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં. હું અહીં કામ કરું છું, જાદુ નહીં.' આ રાજીનામા પત્ર પર કંપનીની સત્તાવાર સ્ટેમ્પ લગાવવામાં આવી હતી, જેના કારણે તેની સત્યતા પર શંકા કરવી મુશ્કેલ બની ગઈ હતી.

https://www.instagram.com/p/DPzADnUDFfk/

પોસ્ટ શેર કરતા, કંપનીએ કેપ્શનમાં લખ્યું, 'આજે અમને આ રાજીનામું પત્ર મળ્યો. અમને શંકા છે કે તે એક મજાક કરવા માટે લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે ઓફિસ ડાયરીના એક પાના પર લખાયેલો દેખાય છે, જ્યારે રાજીનામુ સામાન્ય રીતે સાદા કાગળ પર લખાયેલા હોય છે અથવા E-mail દ્વારા મોકલવામાં આવે છે.' જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ તેની સત્યતાની પુષ્ટિ કરી શકતા નથી.

Resignation-Letter3
assignmentpoint.com

પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને તેને 16,000થી વધુ લાઈક્સ અને 100થી વધુ ટિપ્પણીઓ મળી ચૂકી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખી હતી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી, 'આ વ્યક્તિ બિલકુલ સાચો છે. જો પગારમાં વધારો નથી થતો, તો ટાર્ગેટ કેમ વધારો છો?' એક યુઝરે લખ્યું, 'જો તમે કો ઇન્ક્રિમેન્ટ નથી આપી શકતા તો, તો ટાર્ગેટ વધારવાનો કોઈ અર્થ નથી.'

જો કે કંપની તેને મજાક તરીકે ગણી રહી છે, ત્યારે આ રાજીનામું એક મહત્વપૂર્ણ સત્યને બહાર લાવે છે કેકામના ભારણમાં વધારો થવા છતાં, પગાર યથાવત રહે છે. કર્મચારીઓ પોતાને મશીન જેવા માનવા લાગે છે, અને આવા પગલાં ત્યારે જ લેવામાં આવે છે, જ્યારે સહનશીલતાની હદ પર થઇ જતી હોય છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કર્યા છે કે, શું કંપનીઓએ લક્ષ્યો વધારતા પહેલા કર્મચારીઓની મહેનત અને માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં?

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.