ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભાઈ સાચું કહે છે

આજકાલ, યુવાનો માટે, નોકરી ફક્ત કારકિર્દી નથી, તે તેમના પરિવારોનું જીવનનિર્વાહ કરવાનું સાધન પણ છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ ક્લેશ જેવું બની જાય તો તે પણ શું કરે? આવી જ એક વાર્તા સામે આવી છે તે છે તાંઝાનિયાનો કર્મચારી, જેણે પોતાના બોસ અને કંપનીની નીતિઓથી પરેશાન થઈને રાજીનામાનો પત્ર લખ્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Resignation-Letter
hindi.news18.com

'JAY Decor' નામની એક બાંધકામ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક કર્મચારીએ લખેલો રાજીનામાનો પત્ર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ પર તેના 100,000થી વધુ ફોલોઅર્સ છે. આ કર્મચારીનું નામ AC Minza છે. તેણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, 'સાહેબ, હું રાજીનામું આપી રહ્યો છું, કારણ કે આ કંપનીમાં ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં. હું અહીં કામ કરું છું, જાદુ નહીં.' આ રાજીનામા પત્ર પર કંપનીની સત્તાવાર સ્ટેમ્પ લગાવવામાં આવી હતી, જેના કારણે તેની સત્યતા પર શંકા કરવી મુશ્કેલ બની ગઈ હતી.

https://www.instagram.com/p/DPzADnUDFfk/

પોસ્ટ શેર કરતા, કંપનીએ કેપ્શનમાં લખ્યું, 'આજે અમને આ રાજીનામું પત્ર મળ્યો. અમને શંકા છે કે તે એક મજાક કરવા માટે લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે ઓફિસ ડાયરીના એક પાના પર લખાયેલો દેખાય છે, જ્યારે રાજીનામુ સામાન્ય રીતે સાદા કાગળ પર લખાયેલા હોય છે અથવા E-mail દ્વારા મોકલવામાં આવે છે.' જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ તેની સત્યતાની પુષ્ટિ કરી શકતા નથી.

Resignation-Letter3
assignmentpoint.com

પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને તેને 16,000થી વધુ લાઈક્સ અને 100થી વધુ ટિપ્પણીઓ મળી ચૂકી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખી હતી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી, 'આ વ્યક્તિ બિલકુલ સાચો છે. જો પગારમાં વધારો નથી થતો, તો ટાર્ગેટ કેમ વધારો છો?' એક યુઝરે લખ્યું, 'જો તમે કો ઇન્ક્રિમેન્ટ નથી આપી શકતા તો, તો ટાર્ગેટ વધારવાનો કોઈ અર્થ નથી.'

જો કે કંપની તેને મજાક તરીકે ગણી રહી છે, ત્યારે આ રાજીનામું એક મહત્વપૂર્ણ સત્યને બહાર લાવે છે કેકામના ભારણમાં વધારો થવા છતાં, પગાર યથાવત રહે છે. કર્મચારીઓ પોતાને મશીન જેવા માનવા લાગે છે, અને આવા પગલાં ત્યારે જ લેવામાં આવે છે, જ્યારે સહનશીલતાની હદ પર થઇ જતી હોય છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કર્યા છે કે, શું કંપનીઓએ લક્ષ્યો વધારતા પહેલા કર્મચારીઓની મહેનત અને માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં?

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.