ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં... કર્મચારીએ કાગળ પર લખીને રાજીનામુ આપી દીધું!, પ્રતિક્રિયા આવી કે, ભાઈ સાચું કહે છે

આજકાલ, યુવાનો માટે, નોકરી ફક્ત કારકિર્દી નથી, તે તેમના પરિવારોનું જીવનનિર્વાહ કરવાનું સાધન પણ છે. પરંતુ જો ઓફિસનું વાતાવરણ જ ક્લેશ જેવું બની જાય તો તે પણ શું કરે? આવી જ એક વાર્તા સામે આવી છે તે છે તાંઝાનિયાનો કર્મચારી, જેણે પોતાના બોસ અને કંપનીની નીતિઓથી પરેશાન થઈને રાજીનામાનો પત્ર લખ્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Resignation-Letter
hindi.news18.com

'JAY Decor' નામની એક બાંધકામ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક કર્મચારીએ લખેલો રાજીનામાનો પત્ર શેર કર્યો, ઇન્સ્ટાગ્રામ પર તેના 100,000થી વધુ ફોલોઅર્સ છે. આ કર્મચારીનું નામ AC Minza છે. તેણે પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, 'સાહેબ, હું રાજીનામું આપી રહ્યો છું, કારણ કે આ કંપનીમાં ફક્ત ટાર્ગેટ વધે છે, પગાર નહીં. હું અહીં કામ કરું છું, જાદુ નહીં.' આ રાજીનામા પત્ર પર કંપનીની સત્તાવાર સ્ટેમ્પ લગાવવામાં આવી હતી, જેના કારણે તેની સત્યતા પર શંકા કરવી મુશ્કેલ બની ગઈ હતી.

https://www.instagram.com/p/DPzADnUDFfk/

પોસ્ટ શેર કરતા, કંપનીએ કેપ્શનમાં લખ્યું, 'આજે અમને આ રાજીનામું પત્ર મળ્યો. અમને શંકા છે કે તે એક મજાક કરવા માટે લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, કારણ કે તે ઓફિસ ડાયરીના એક પાના પર લખાયેલો દેખાય છે, જ્યારે રાજીનામુ સામાન્ય રીતે સાદા કાગળ પર લખાયેલા હોય છે અથવા E-mail દ્વારા મોકલવામાં આવે છે.' જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ તેની સત્યતાની પુષ્ટિ કરી શકતા નથી.

Resignation-Letter3
assignmentpoint.com

પોસ્ટ થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગઈ હતી અને તેને 16,000થી વધુ લાઈક્સ અને 100થી વધુ ટિપ્પણીઓ મળી ચૂકી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખી હતી, જ્યારે અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી, 'આ વ્યક્તિ બિલકુલ સાચો છે. જો પગારમાં વધારો નથી થતો, તો ટાર્ગેટ કેમ વધારો છો?' એક યુઝરે લખ્યું, 'જો તમે કો ઇન્ક્રિમેન્ટ નથી આપી શકતા તો, તો ટાર્ગેટ વધારવાનો કોઈ અર્થ નથી.'

જો કે કંપની તેને મજાક તરીકે ગણી રહી છે, ત્યારે આ રાજીનામું એક મહત્વપૂર્ણ સત્યને બહાર લાવે છે કેકામના ભારણમાં વધારો થવા છતાં, પગાર યથાવત રહે છે. કર્મચારીઓ પોતાને મશીન જેવા માનવા લાગે છે, અને આવા પગલાં ત્યારે જ લેવામાં આવે છે, જ્યારે સહનશીલતાની હદ પર થઇ જતી હોય છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કર્યા છે કે, શું કંપનીઓએ લક્ષ્યો વધારતા પહેલા કર્મચારીઓની મહેનત અને માનસિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નહીં?

About The Author

Related Posts

Top News

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-06-2026 દિવસ: બુધવાર મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.