ભારત જઈ રહેલી ટ્રકને પાકિસ્તાની સેનાએ આગ ચાંપી, તણાવ વચ્ચે તાલિબાનની ચેતવણી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તોરખામ બોર્ડર બંધ કરવાના પાકિસ્તાનના નિર્ણયની ટીકા કરી છે. અફઘાન વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તોરખામ ગેટ બંધ કરી દીધો અને એક સુરક્ષા ચોકીનું સમારકામ કરી રહેલા અફઘાન સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો.

હકીકતમાં તાલિબાન સરકાર પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર પોતાની તરફ બંકર બનાવી રહી છે. પાકિસ્તાને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આટલું જ નહીં જ્યારે પાકિસ્તાની સેનાએ બાંધકામ રોકવાનું કહ્યું તો બંને દેશના સૈનિકો સામસામે આવી ગયા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું.

ફાયરિંગની ઘટના પછી પાકિસ્તાને તોરખામ બોર્ડર બંધ કરી દીધી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પગલાંથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને નુકસાન થઈ શકે છે અને બંને બાજુના વેપારીઓને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, અફઘાન મંત્રાલયે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યાં અફઘાનિસ્તાનથી ભારતમાં અંજીર લઈ જતી ટ્રકમાં બલૂચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા ચોકી પાસે આગ લગાવી દીધી હતી. મંત્રાલયે કહ્યું કે, આવી ઘટનાઓ બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરી શકે છે.

તાલિબાને દાવો કર્યો હતો કે, પાકિસ્તાન સરકારે તાજેતરમાં 'સંવેદનશીલ યાદી'ના બહાના હેઠળ અફઘાન સંપત્તિ અને વાહનોના સેંકડો કન્ટેનર કરાચીમાં રાખ્યા હતા. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાજા ફળોની સિઝન આવતાની સાથે જ કરાચી બંદર પર સમસ્યા ઊભી કરે છે અને તેની સરહદો બંધ કરી દે છે. આ ક્રિયાઓ માત્ર અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના વેપારને નુકસાન પહોંચાડતી નથી પરંતુ આ દેશોના લોકો વચ્ચે તણાવ પણ વધારે છે.

તાલિબાને કહ્યું કે, આવા પગલાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે અને પ્રાદેશિક વ્યાપારી પ્રવૃત્તિઓને અસર કરે છે. તેની વિદેશ નીતિ પર વિચાર કરતી વખતે, મંત્રાલયે રાજદ્વારી વાતચીત દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનના ફાયરિંગ પછી તોરખામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. તોરખામ સરહદ બંને દેશો વચ્ચેના વેપારનું મુખ્ય ક્ષેત્ર છે. બંને દેશોના લોકો તોરખામ બોર્ડરથી જ આવે છે અને જાય છે. અહીં મોટાભાગે પશ્તુન વસ્તી છે, જેઓ દરરોજ સરહદ પાર કરે છે. તોરખામ બોર્ડર પર બનેલો મુખ્ય માર્ગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જોડે છે. આ સરહદેથી માલસામાનની હેરફેરનું કામ દિવસભર ચાલુ રહે છે. ટ્રકોનું આવા ગમન થતું રહે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.