પાક. એક્સપર્ટે એમ શા માટે કહ્યું કે-મનમોહન સિંહ જ પાકિસ્તાનને ડૂબતા બચાવી શકે છે

પાકિસ્તાન આર્થિક સંકટના એવા કીચડમાં ફસાઇ ચૂક્યું છે કે તેનાથી બહાર નીકળી શકતું નથી. શરીફ સરકારને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસે ઘણી આશા હતી, પરંતુ અત્યાર સુધી કંઇ જ થયું નથી. ગરમી આવવા સાથે સાથે શાહબાજ શરીફના મગજનો પારો પણ ચડી રહ્યો છે. તેમણે એવા કોઇ વિકલ્પ છોડ્યા નથી, જેથી તેઓ પાકિસ્તાનને આ તંગીથી બહાર કાઢી શકે. એવામાં પાકિસ્તાનના જ એક્સપર્ટ હવે તેમના નિર્ણય પર કટાક્ષ કરવા લાગ્યા છે અને હવે તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ યાદ કરી રહ્યા છે.

પાકિસ્તાન ન જાણે કેટલા દેશો પાસેથી લોન માગી ચૂક્યું છે, પરંતુ પોતે એમ પણ માની રહ્યું છે કે, લોનનું આ સંકટ સમાપ્ત થવાનું નથી. આર્થિક વિશેષજ્ઞનું કહેવું છે કે, 1990માં દશકમાં ભારતમાં પણ આર્થિક સંકટ આવ્યું હતું. એ સમયે ભારતમાં મનમોહન સિંહની સરકાર એ સમજી ગઇ હતી કે જો દેશની કાયાપલટ કરવી હોય તો તેમને યોગ્ય લોકોની જરૂરિયાત છે. એ સમયે તેઓ કોને લઇને આવ્યા? તેમણે મનમોહન સિંહ જેવા લોકોને ચાંસ આપ્યો. તેઓ ખૂબ જ કુશળ અને સન્માનિત વ્યક્તિ હતા.

તેમણે મુખ્ય લોકોને ધર્મ બાબતે પણ ન બતાવ્યું અને બીજાઓની ચિંતા કર્યા વિના જ ભારતે તેમને અપોઇન્ટ કર્યા. પાકિસ્તાનન પૂર્વ નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલ સાથે વાતચીત કરતા કહે છે કે જો નિર્ણય લેતી વખત તમે યોગ્યતાથી વધારે પરિવારજનોને વધુ મહત્ત્વ આપો છો અને જો તમે બધા મહત્ત્વપૂર્ણ પદ પોતાના ભાઇ, બનેવી, દીકરી અને ભત્રીજાઓને આપશો તો તમે લોકો 22 કરોડ લોકોના દેશને નહીં ચલાવી શકો. તેમણે આર્થિક સંકટ માટે ઇમરાન સરકાર પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેઓ ગત સરકાર પર પણ ખૂબ વરસ્યા અને તેમની નીતિઓની નિંદા કરી. તેમણે ભારતના ભરપેટ વખાણ પણ કર્યા.

પાકિસ્તાની મૂળના પ્રોફેસરે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર તરીકે ભારતે રઘુરામ રાજનની યોગ્યતાને પસંદ કરી. તમે તેનાથી સારા નહીં હોય શકો. ભારતનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, દેશની કાયાપલટ આ રીતે થાય છે. આ પ્રકારની પ્રથા બાંગ્લાદેશમાં પણ છે, જ્યાં શેખ હસીનાના પરિવારનો કોઇ સભ્ય સરકારમાં નથી. આ પ્રકારની અયોગ્યતાવાળો એકમાત્ર દેશ જે મને નજરે પડે છે તે શ્રીલંકા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.