દીકરાએ 282 વખત છરો મારીને માતા-પિતાને પતાવી દીધા, પછી પોતે જ બોલાવી પોલીસ

37 વર્ષીય પોતાના માતા-પિતાની હત્યા કરી દીધી. તેણે 282 વખત છરા મારીને તેમનો જીવ લઇ લીધો. આ ક્રૂર હુમલામાં 3 અલગ-અલગ છરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલમાં જ માતા-પિતાની હત્યાના કેસમાં દીકરા વિરુદ્ધ કોર્ટમાં સુનાવણી થઇ હતી. ઘટના ઇંગ્લેન્ડના યોર્કશાયરની છે. યોર્કશાયર લાઇવના રિપોર્ટ મુજબ 66 વર્ષીય જોન અને બેવર્લીની તેના પુત્ર ડેવિડે હત્યા કરી દીધી. ઘટનાને અંજામ આપવા માટે તેણે અલગ-અલગ 3 હથિયારોનો ઉપયોગ કર્યો. ડેવિડે જોન અને બેવર્લીને 282 વખત છરો માર્યો હતો.

જેના કારણે 21 ડિસેમ્બર 2021ના રોજ તેમનું મોત થઇ ગયું હતું. હેરાનીની વાત એ છે કે હત્યા કર્યા બાદ ડેવિડ ઘરના દરવાજા પર જ બેસીને પોલીસની રાહ જોતો રહ્યો છે. તેણે પોતે પોલીસને બોલાવી હતી, જ્યારે પોલીસ અધિકારીઓએ ઘરની અંદર જઇને જોયું તો તેઓ દંગ રહી ગયા. અંદર લોહીથી લથબથ બે શબ પડ્યા હતા. ડેવિડે ઘટનાસ્થળ પર ક પોતાના માતા-પિતાની હત્યાની વાત સ્વીકારી લીધી. ઘટનાની બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે 20 જાન્યુઆરી 2023ના રોજ સુનાવણી થઇ હતી.

આ દરમિયાન કહેવામાં આવ્યું કે, ડેવિડ ઘણા વર્ષોથી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓથી પીડિત હતો. તેણે થોડા મહિના અગાઉ જ હૉસ્પિટલમાંથી રજા મળી હતી, પરંતુ તે ફરી બીમાર થઇ ગયો. જો કે તેણે પોતે જ દવા લેવાની બંધ કરી દીધી હતી. તે સિઝોફ્રેનિયા અને પેરાનોયડ સાઇકોસિસ નામની બીમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું. હુમલાના એક દિવસ અગાઉ (20 ડિસેમ્બર 2021)ના રોજ ડેવિડે એક ડૉક્ટરને પણ દેખાડ્યું હતું, પરંતુ તેને દવાઓ મળી નહોતી.

કોર્ટમાં કહેવામાં આવ્યું કે, ડેવિડે પોતાની માતા ઉપર છરા કે બ્લેડથી 90 કરતા વધુ વખત પ્રહાર કર્યા હતા. તો પિતા ઉપર 180 કરતા વધુ વખત હુમલા કર્યા હતા. તેને જેલમાં અલગ રાખવાની ભલામણ કરવામાં આવી હતી કેમ કે તે હિંસક હતો અને માનસિક બીમારીથી પીડિત હતો.

બેંગ્લોરમાં એલહનકા લેઆઉટ પાસે 19 વર્ષીય કૉલેજની વિદ્યાર્થિનીની છરો મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરનાર પ્રેમીને બુધવારે પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપીની ઓળખ 25 વર્ષીય મધુચન્દ્રના રૂપમાં થઇ છે. પાગલ પ્રેમીએ દિબ્બુર પાસે શાનુભોગાનાહલ્લીની રહેવાસી વિદ્યાર્થિનીની છરો મારીને એ સમયે હત્યા કરી દીધી હતી, ત્યારે તે ખેતરમાંથી ગાયોને પાછી લાવવા ગઇ હતી. વિદ્યાર્થીને ગળામાં છરો માર્યા બાદ આરોપી મધુચન્દ્ર ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.