ચીન પણ રશિયાથી ઓઈલ ખરીદે છે, તો ભારત પાછળ જ કેમ પડ્યા છો, ટ્રમ્પે કહ્યું- હજુ 8 કલાક જ થયા છે...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% સુધીનો બેઝલાઇન ટેરિફ લગાવ્યાના તુરંત બાદ સંકેત આપ્યા છે કે સેકન્ડરી સેંક્શનનો  આગામી રાઉન્ડ પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. માત્ર 8 કલાક અગાઉ જ ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પે એક પત્રકારના સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, માત્ર 8 કલાક થયા છે. જોતા રહો શું થાય છે... તમને ઘણા સેકન્ડરી સેંક્શન જોવા મળશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ભારત તરફથી રશિયન તેલ ખરીદવાના સંદર્ભમાં આવ્યું છે. ટ્રમ્પ પ્રશાસને તેને સીધી રીતે યુક્રેન યુદ્ધના ફંડિંગ સાથે જોડ્યુ છે અને તેને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે. જ્યારે એક પત્રકારે ટ્રમ્પને પૂછ્યું કે, ચીન પણ રશિયન તેલ ખરીદે છે, તો પછી માત્ર ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવ્યું? તો ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા કે અમે ભારત પર સેકન્ડરી સેંક્શન લગાવવાનું વિચારી રહ્યા છીએ. એવું અન્ય ઘણા દેશો પર પણ લાગૂ કરી શકાય છે, જેમાંથી એક ચીન પણ હોઈ શકે છે.

Trump1
timesofindia.indiatimes.com

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે ભારત પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ અગાઉ 30 જુલાઈના રોજ 25% ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી, જે 7 ઓગસ્ટથી અમલમાં આવી છે. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા હવે માત્ર ટ્રેડ વૉર નહીં, પરંતુ એક પ્રકારની જિયોપોલિટિકલ પ્રેશર પોલિસી અપનાવી રહ્યું છે, જેમાં સેકન્ડરી સેંક્શન એક મહત્ત્વપૂર્ણ હથિયાર બની શકે છે.

આ બાબતે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી હતી કે ક્રૂડ ઓઇલની આયાત એક બજાર આધારિત નિર્ણય છે, જેનો ઉદ્દેશ્ય 140 કરોડ નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવાનો છે. ભારતે આ પગલાને અનુચિત, અન્યાયપૂર્ણ અને પાયાવિહોણું ગણાવતા કહ્યું દુનિયાના ઘણા અન્ય દેશો પણ તેમના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે, તો પછી માત્ર ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? આ નિવેદન દર્શાવે છે કે ભારત ન માત્ર પોતાના નિર્ણયો પર અડગ છે, પરંતુ દબાણ હેઠળ આવવા માટે પણ તૈયાર નથી.

Trump2
theconversation.com

સેકન્ડરી સેંક્શન શું હોય છે?

સેકન્ડરી સેંક્શન એ પ્રતિબંધ હોય છે, જે અમેરિકા એ દેશો, કંપનીઓ અથવા સંસ્થાઓ પર લગાવે છે, જે પહેલાથી જ પ્રતિબંધિત દેશ (જેમ કે રશિયા, ઈરાન, વગેરે) સાથે વ્યાપારિક અથવા નાણાકીય વ્યવહારો કરે છે. તેમનો હેતુ ત્રીજા પક્ષને ડરાવીને મુખ્ય લક્ષ્ય દેશને આર્થિક રૂપે અલગ-થલગ પાડવાનો છે. હેતુ કૂટનીતિક દબાણ બનાવવાનો અને વૈશ્વિક વેપારમાં અમેરિકન શક્તિને ફરીથી સ્થાપિત કરવાનો છે. જો ટ્રમ્પ ભારત પર સેકન્ડરી સેંક્શન લગાવે છે તો ભારતની તેલ કંપનીઓ, બેંકો અને શિપિંગ ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર પડી શકે શકે છે.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.