'અમે અમારા દેશમાં અમેરિકનોને નહીં પ્રવેશવા દઈએ...' આ બે દેશોએ અમેરિકન નાગરિકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો!

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી, તેમણે ઘણા દેશોના નાગરિકો માટે USમાં પ્રવેશવા પર પ્રતિબંધો કડક કરવાનું શરૂ કર્યું. તેમણે કેટલાક દેશોના નાગરિકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો અને અન્ય દેશોના નાગરિકો માટે પ્રવેશ નિયમો વધુ કડક કર્યા. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાં પર પ્રતિક્રિયાઓ હવે શરૂ થઈ ગઈ છે. બે દેશોએ અમેરિકન નાગરિકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી પશ્ચિમ આફ્રિકન લશ્કરી સરકારો અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પહેલાથી જ ઠંડા પડી ગયેલા સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા છે. માલી અને બુર્કિના ફાસો વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક છે, જેમની માથાદીઠ આવક 1,200 ડૉલરથી ઓછી છે.

Bann-American-Citizens2
navbharatlive.com

બુર્કિના ફાસો અને માલીએ અમેરિકન નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોનું આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 39 દેશોના નાગરિકો પર લાદવામાં આવેલા એ જ પ્રકારના મુસાફરી પ્રતિબંધના જવાબમાં છે. ટ્રમ્પે જે દેશો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેમના નાગરિકોએ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.

Bann-American-Citizens1
navbharatlive.com

બુર્કિના ફાસોના વિદેશ મંત્રી, કારામો જીન-મેરી ટ્રોરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ અમેરિકન નાગરિકો પર એ જ પ્રવેશ નિયમો લાગુ કરશે જે યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાગરિકો પર લાગુ કર્યા છે. માલીના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી છે કે, તે અમેરિકન નાગરિકો પર એ જ પ્રવેશ શરતો લાગુ કરશે, જે US વહીવટીતંત્રે માલિયન નાગરિકો પર લાગુ પાડયા છે. આ દેશો પર જુન્ટા શાસન કરે છે અને પ્રાદેશિક જૂથ, પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયથી અલગ થઈને એક નવું સંગઠન બનાવ્યું છે.

માલીએ પણ સલાહ લીધા વિના અમેરિકાએ આટલો મહત્વપૂર્ણ નિર્ણય લેવા બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્રે જે 39 દેશોના નાગરિકોને USમાં પ્રવેશવા પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂક્યો છે તેમાંથી 25 આફ્રિકન દેશ છે.

Bann-American-Citizens
lalluram.com

જે દેશોના નાગરિકોને US પ્રવેશ પર કડક પ્રતિબંધો અને શરતો લાગુ કરવામાં આવ્યા છે, તેમાં સીરિયા અને પેલેસ્ટાઇનની સાથે સાથે નાઇજર, સીએરા લિયોન અને દક્ષિણ સુદાન જેવા ગરીબ દેશોનો સમાવેશ થાય છે. સેનેગલ અને આઇવરી કોસ્ટના નાગરિકો પર આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું છે કે, ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ ચાહકો અંગે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

About The Author

Related Posts

Top News

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.