શું છે નોબેલ પુરસ્કાર, જેની રટ લગાવી બેઠા છે ટ્રમ્પ, કેવી રીતે મળે છે અને કેટલી હોય છે એવોર્ડની રકમ?

જ્યાં એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે નોબેલ ન મળવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એવામાં ચાલો અમે તમને જણાવીએ કે નોબેલ પુરસ્કાર શું છે, તેના કેટલા પ્રકાર છે. નોબેલ પુરસ્કાર સાથે કેટલી રોકડ રકમ આપવામાં આવે છે, તેની શરૂઆત ક્યાંરથી થઈ અને આ પુરસ્કાર કેવી રીતે મળે છે. નોબેલ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને 6 અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે, જેમાં ભૌતિકી, રસાયણ વિજ્ઞાન, શરીર ક્રિયા વિજ્ઞાન અથવા ચિકિત્સા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર સામેલ છે.

navjot-singh-sidhu2
indiatoday.in

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત 1901માં, આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલના મૃત્યુના 5 વર્ષ બાદ થઈ હતી. આલ્ફ્રેડ નોબેલ ડાયનામાઇટના આવિષ્કારક હતા, જેમના દ્વારા છોડવામાં આવેલી સંપત્તિમાંથી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવે છે કેમ કે, આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ આ તારીખે થયું હતું. તેમના સન્માનમાં આ દિવસે એવોર્ડ સમારોહ આયોજિત આવે છે.

નોબેલ પુરસ્કારની રોકડ રકમ

ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પહેલા વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોર છે. નોબેલ પુરસ્કારમાં એક ગોલ્ડ મેડલ, એક ડિપ્લોમા અને એક રોકડ પુરસ્કાર હોય છે, જેને 3 વિજેતાઓ વચ્ચે વહેંચી શકાય છે. વર્ષ 1901માં આપવામાં આવેલા નોબેલ પુરસ્કારની રોકડ રકમ 150,782 સ્વીડિશ ક્રોના (SEK) હતી, જે ભારતીય રૂપિયામાં 13,49,898.47 થાય છે. તો, વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કારની રોકડ રકમ 11 મિલિયન SEK હતી, જે ભારતીય રૂપિયામાં 8.1 કરોડ પ્રતિ પૂર્ણ નોબેલ પુરસ્કાર હતી.

nobel-prize2
toistudent.timesofindia.indiatimes.com

કેવી રીતે મળે છે નોબેલ પુરસ્કાર?

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટેડ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકાની ભૂમિકાની પ્રશંસા કરી છે. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનો સરળ નથી. તેના માટે વિજેતાઓની પસંદગી નોર્વેજીયન નોબેલ સમિતિ કરે છે. નોબેલ પુરસ્કારના વિજેતાના નામ ફાઇનલ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. સમિતિ પહેલા નોમિનેટેડ નામોને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી લાંબી પ્રક્રિયા બાદ વિજેતા નક્કી કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.