શું છે નોબેલ પુરસ્કાર, જેની રટ લગાવી બેઠા છે ટ્રમ્પ, કેવી રીતે મળે છે અને કેટલી હોય છે એવોર્ડની રકમ?

જ્યાં એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે નોબેલ ન મળવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એવામાં ચાલો અમે તમને જણાવીએ કે નોબેલ પુરસ્કાર શું છે, તેના કેટલા પ્રકાર છે. નોબેલ પુરસ્કાર સાથે કેટલી રોકડ રકમ આપવામાં આવે છે, તેની શરૂઆત ક્યાંરથી થઈ અને આ પુરસ્કાર કેવી રીતે મળે છે. નોબેલ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને 6 અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે, જેમાં ભૌતિકી, રસાયણ વિજ્ઞાન, શરીર ક્રિયા વિજ્ઞાન અથવા ચિકિત્સા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર સામેલ છે.

navjot-singh-sidhu2
indiatoday.in

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત 1901માં, આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલના મૃત્યુના 5 વર્ષ બાદ થઈ હતી. આલ્ફ્રેડ નોબેલ ડાયનામાઇટના આવિષ્કારક હતા, જેમના દ્વારા છોડવામાં આવેલી સંપત્તિમાંથી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવે છે કેમ કે, આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ આ તારીખે થયું હતું. તેમના સન્માનમાં આ દિવસે એવોર્ડ સમારોહ આયોજિત આવે છે.

નોબેલ પુરસ્કારની રોકડ રકમ

ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પહેલા વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોર છે. નોબેલ પુરસ્કારમાં એક ગોલ્ડ મેડલ, એક ડિપ્લોમા અને એક રોકડ પુરસ્કાર હોય છે, જેને 3 વિજેતાઓ વચ્ચે વહેંચી શકાય છે. વર્ષ 1901માં આપવામાં આવેલા નોબેલ પુરસ્કારની રોકડ રકમ 150,782 સ્વીડિશ ક્રોના (SEK) હતી, જે ભારતીય રૂપિયામાં 13,49,898.47 થાય છે. તો, વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કારની રોકડ રકમ 11 મિલિયન SEK હતી, જે ભારતીય રૂપિયામાં 8.1 કરોડ પ્રતિ પૂર્ણ નોબેલ પુરસ્કાર હતી.

nobel-prize2
toistudent.timesofindia.indiatimes.com

કેવી રીતે મળે છે નોબેલ પુરસ્કાર?

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટેડ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકાની ભૂમિકાની પ્રશંસા કરી છે. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનો સરળ નથી. તેના માટે વિજેતાઓની પસંદગી નોર્વેજીયન નોબેલ સમિતિ કરે છે. નોબેલ પુરસ્કારના વિજેતાના નામ ફાઇનલ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. સમિતિ પહેલા નોમિનેટેડ નામોને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી લાંબી પ્રક્રિયા બાદ વિજેતા નક્કી કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.