શું આજે રાત્રે અમેરિકા ઈરાન પર તૂટી પડશે? પેન્ટાગોનમાં પિત્ઝાના વેચાણમાં થયેલા વધારાએ અટકળોને વેગ આપ્યો!

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. US નેવીનું USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાનની દરિયાઈ વિસ્તારની ખૂબ નજીક પહોંચી ગયું છે, જેના કારણે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે કે શું અમેરિકા ખરેખર ઈરાન પર લશ્કરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વાતાવરણમાં, પેન્ટાગોનમાં પિઝાના વેચાણમાં અચાનક વધારો થવાથી લોકો અટકળો કરી રહ્યા છે, કે શું હુમલો થશે કે નહીં. અને આ જ કારણ છે કે 'પેન્ટાગોન પિઝા ઇન્ડેક્સ'ના સિદ્ધાંતની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે.

Pentagon Pizza Sales
news.com.au

પેન્ટાગોન પિઝા ઇન્ડેક્સ એક જૂનો, બિનસત્તાવાર, પરંતુ રસપ્રદ સિદ્ધાંત છે જે દાયકાઓથી ચાલી રહ્યો છે. આ મુજબ, જ્યારે પેન્ટાગોનમાં મોડી રાત સુધી પિઝાની માંગ વધતી જાય છે, ખાસ કરીને સુરક્ષા અથવા વિદેશ નીતિની બેઠકો દરમિયાન, એવું માનવામાં આવે છે કે કોઈ મોટો નિર્ણય અથવા સંભવિત લશ્કરી કાર્યવાહી નિકટવર્તી છે. આનું કારણ એ છે કે, કટોકટીના સમયમાં, પેન્ટાગોનમાં મોડી રાત સુધી બેઠકો થતી હોય છે, જેના કારણે અધિકારીઓ બહારથી ખાવાનું મંગાવવા માટે પ્રેરિત થાય છે, અને પિઝા હંમેશા સૌથી સરળ વિકલ્પ માનવામાં આવે છે.

રસપ્રદ વાત એ છે કે, ઇતિહાસમાં આ પેટર્ન ઘણી વખત જોવા મળી છે. 1990માં ગલ્ફ વોર પહેલા, CIAએ એક જ રાતમાં 21 પિઝાનો ઓર્ડર આપ્યો હતો. 1983માં ગ્રેનાડા પર આક્રમણ અને 1989માં પનામા પર આક્રમણ પહેલા પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. 2024 અને 2025માં જ્યારે ઈરાન-ઈઝરાયલ તણાવ વધ્યો ત્યારે પણ પિઝાના ઓર્ડરમાં અચાનક વધારો જોવા મળ્યો હતો.

Pentagon Pizza Sales
youtube.com

હવે, 2026માં પણ આ જ સંયોગ પુનરાવર્તિત થતો દેખાય રહ્યો છે. જાન્યુઆરીના અંતમાં, ઘણા OSINT ટ્રેકર્સે પેન્ટાગોન વિસ્તારમાં પિઝાના ઓર્ડરમાં 200 ટકાનો વધારો નોંધાવ્યો હતો. PenPizzaReport અને pizzint.watch જેવી પિઝા ટ્રેકિંગ સાઇટ્સે પણ અચાનક વધારો નોંધાવ્યો હતો. આનાથી સોશિયલ મીડિયા પર એવી અટકળોને વેગ મળ્યો છે કે, અમેરિકા ઈરાન અંગે કોઈ મોટો લશ્કરી નિર્ણય લેવાનું છે.

જોકે, પરિસ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. એક US એરક્રાફ્ટ કેરિયર ઈરાનની ખૂબ નજીક પહોંચી ગયું છે. વિરોધ પ્રદર્શનોને દબાવી દેવાયા પછી ઈરાનમાં પરિસ્થિતિ અસ્થિર છે, અને US રાષ્ટ્રપતિએ હજુ સુધી તેમના ઇરાદા સ્પષ્ટ કર્યા નથી. આયોજિત હુમલાની પુષ્ટિ કરતું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Pentagon Pizza Sales
hindustantimes.com

નિષ્ણાતો કહે છે કે, પિઝા ઇન્ડેક્સને ગંભીરતાથી ન લેવો જોઈએ. તે ક્યારેક ફક્ત એક સંજોગ બનેલો હોય છે અને ક્યારેક તે સાચું પણ હોય છે, પરંતુ તે કોઈ નક્કર માહિતી પ્રદાન કરતું નથી. ન તો પિઝા શોપ કે ન તો સોશિયલ મીડિયા અટકળો સત્ય જાહેર કરશે. US-ઈરાન સંઘર્ષની દિશા ત્યારે જ જાહેર થશે જ્યારે વ્હાઇટ હાઉસ અથવા પેન્ટાગોન સત્તાવાર રીતે પરિસ્થિતિ સ્પષ્ટ કરશે.

About The Author

Related Posts

Top News

શું આજે રાત્રે અમેરિકા ઈરાન પર તૂટી પડશે? પેન્ટાગોનમાં પિત્ઝાના વેચાણમાં થયેલા વધારાએ અટકળોને વેગ આપ્યો!

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. US નેવીનું USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાનની દરિયાઈ વિસ્તારની...
World 
શું આજે રાત્રે અમેરિકા ઈરાન પર તૂટી પડશે? પેન્ટાગોનમાં પિત્ઝાના વેચાણમાં થયેલા વધારાએ અટકળોને વેગ આપ્યો!

ઇન્જેક્શન લીધા પછી તરત જ જેમણે જીવ ગુમાવ્યો તે સાધ્વી પ્રેમ બાઈસા કોણ હતા?

25 વર્ષીય સાધ્વી પ્રેમ બાઇસાને નાથ પરંપરા મુજબ ભગવા વસ્ત્રો પહેરીને બેઠેલી સ્થિતિમાં દફનાવવામાં આવી હતી. જોધપુરના એક આશ્રમમાં તેમનું...
National 
ઇન્જેક્શન લીધા પછી તરત જ જેમણે જીવ ગુમાવ્યો તે સાધ્વી પ્રેમ બાઈસા કોણ હતા?

જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

અમેરિકામાં તાજેતરમાં જાહેર કરાયેલી જેફરી એપસ્ટિનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ થતાં રાજકીય વિવાદ ઉભો થયો છે. આ અંગે...
National 
જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદી અંગે વિદેશ મંત્રાલય (MEA)ની સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા

ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

દિલ્હીમાં બારાપુલા ફેઝ-3 ફ્લાયઓવરનું કામ ઘણા મહિનાઓથી અટકી પડ્યું છે. દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ હવે પ્રોજેક્ટમાં...
National 
ફ્લાયઓવર બનવામાં મોડું થતા અધિકારીઓ સામે જ FIR દાખલ કરી દેવામાં આવી

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.