મહિલાને એક એવી કંપનીમાંથી છુટા કરવાનો પત્ર આવ્યો, કે ત્યાં તે ક્યારેય ગઈ પણ ન હતી! જાણો આખો મામલો શું છે

હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારી ઘટના વાયરલ થઈ રહી છે. ડિસેમ્બર 2025માં, એક મહિલાને એક અજાણી કંપનીમાંથી ટર્મિનેશન કર્યાનો E-mail મળ્યો, જ્યારે તે મહિલા તે કંપનીમાં ક્યારેય કામ પણ કર્યું ન હતું. E-mail વાંચીને એ મહિલાનું હૃદય એક ધબકારો ચુકી ગયું હતું અને તે થોડીક સેકન્ડ માટે સ્થિર થઈ ગઈ. તેના મનમાં તરત જ અનેક પ્રશ્નો ઉભા થઇ ગયા, શું તેણે કોઈ સમયમર્યાદા ભંગ કરી, કોઈ ભૂલ કરી, અથવા તો કંઈક એવું કર્યું હોય કે જે તેણે ન કરવું જોઈએ? આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે.

Woman-Termination
aajtak.in

મહિલાના પતિ, સાઈમન ઇંગારીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટના શેર કરી, અને તેમાં લખ્યું કે, E-mail જોયા પછી તેની પત્ની એકદમ ગભરાઈ ગઈ હતી. પરંતુ જ્યારે બંનેએ E-mailને ધ્યાનથી વાંચ્યો, ત્યારે તેમને ખબર પડી કે તે એવી કંપનીમાંથી આવ્યો હતો કે જેમાં તેણે ક્યારેય કામ કર્યું જ ન હતું. આનો અર્થ એ થયો કે, એક કંપની જ્યાં તે ક્યારેય કર્મચારી રહી જ ન હતી, તે કંપનીએ ટર્મિનેશન નોટિસ મોકલી હતી.

સાઇમને આ બેદરકારી બદલ કંપનીના HR વિભાગ પર રમૂજી ટિપ્પણી પણ કરી. તેણે લખ્યું, 'પ્રિય HR, કૃપા કરીને આગલી વખતે E-mail ID થોડી વધારે કાળજીપૂર્વક તપાસી લો. જો તે કોઈ બીજું હોત, તો તેમને હૃદયરોગનો હુમલો આવી શક્યો હોત.' પોસ્ટ શેર થતાંની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. ઘણા વપરાશકર્તાઓએ કહ્યું કે, આવી ભૂલ કોઈના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.

Woman-Termination2
ndtv.in

એક વપરાશકર્તાએ લખ્યું, 'કૃપા કરીને આગલી વખતે બરાબર ખાતરી કરીને ધ્યાન રાખો, કારણ કે આરોગ્ય વીમો અચાનક નોકરી ગુમાવવાના આઘાતને આવરી લેતો નથી.' બીજા વપરાશકર્તાએ કહ્યું, 'તે સારું છે કે તે ફક્ત એક ડરાવનારી વાત હતી. મને આશા છે કે તમારી પત્ની આ ઝટકા પછી હસી પડી હશે.' લોકો આ ઘટનાને નોકરીની સુરક્ષા અને HR સિસ્ટમની જવાબદારી પર ગંભીર ચર્ચાનો વિષય પણ માની રહ્યા છે.

જોકે આ ઘટનામાં કોઈ વાસ્તવિક નુકસાન થયું ન હતું, પરંતુ તેણે એક મહત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપ્યો છે. લોકો કહે છે કે આજના સમયમાં, જ્યારે નોકરીની સુરક્ષા પહેલાથી જ એક સંવેદનશીલ મુદ્દો છે, ત્યારે આવી બેદરકારી કોઈના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે એમ છે.

About The Author

Related Posts

Top News

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Opinion 
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા...
National 
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

કલ્પના કરો કે તમે ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતા હોવ, આગળ કંઈ જોઈ શકતા ન હોવ, પરંતુ તમારી કાર...
Tech and Auto 
સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?

કેરળનું પ્રખ્યાત ધાર્મિક મંદિર સબરીમાલા ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. આ વખતે વિવાદ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી સોનાની ચોરીનો છે. આ...
National 
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.