રાજકોટમાં પાટીલની ગૂગલી, પાટીદાર નેતાને કહ્યું- આવો તો લોકસભા લઈ જઈએ

વર્લ્ડકપ વન-ડેની ભારત-પાકિસ્તાનની મેચ પછી બીજા જ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજકોટના એક કાર્યક્રમમમાં ગૂગલી ફેંકીને રાજકારણ ગરમાવી દીધું હતું. રાજકોટના જાણીતા કડવા પાટીદાર ઉદ્યોગપતિના જન્મ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે તેમના માટે એવી ચર્ચા ચાલે છે કે તેમને લોકસભામાં લઇ જવાના છે. જો તેઓ આવવા તૈયાર થતા હોય તો તેમને લોકસભામાં લઇ જઇએ. લોકસભાની ચૂંટણી 2024મા છે અને પાટીલનું આ નિવેદન ઘણું સૂચક છે. પાટીલ જે પાટીદાર ઉદ્યોગપતિની વાત કરી રહ્યા હતા તેઓ દ્રારકા મંદિરના ટ્રસ્ટી છે અને બાન લેબ્સના માલિક છે. તેમના પુત્રના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ માટે પણ આ પાટીદાર ઉદ્યોગકાર ચર્ચામાં રહ્યા હતા.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી, દ્રારકા મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણીનો રવિવારે જન્મ દિવસ હતો તે નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે હળવી શૈલીમાં કહ્યુ હતું કે એવી ચર્ચા છે કે મૌલેશભાઇ ઉકાણીને લોકસભામાં લઇ જવાના છે, જો તેઓ તૈયાર હોય તો લોકસભામાં લઇ જઇએ.

પાટીલના આ નિવેદનને ઉપસ્થિત લોકોએ તાળીથી વધાવી લીધું હતું. જો કે, કાર્યક્રમ પત્યા પછી કડવા પાટીદાર ઉદ્યોગકાર મૌલેશભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, સી. આર. પાટીલની લાગણી શિરોમાન્ય છે, પરંતુ મારા રસ્તો ગાંધીનગર કે દિલ્હીનો છે જ નહીં, મારો રસ્તો તો દ્રારકાનો છે. મારી એવી વિનંતી છે કે લોકો મને આર્શીવાદ આપે કે હું દ્રારકાધીશના ચરણોમાં પહોંચી શકું. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મારો રાજકારણમાં નહીં જવાનો નિર્ણય અંતિમ છે અને તેમાં કોઇ બદલાવ થવાનો નથી.

પત્રકારોએ મૌલિકભાઇને સવાલ કર્યો હતો કે સમાજ કહેશે તો રાજકારણમાં આવશો? તો ઉકાણીએ કહ્યું હતું કે, સમાજ મને સારી રીતે જાણે છે, હું રાજકારણમાં જવાનો નથી. ઉકાણીની વાત પછી હવે રાજકારણમાં જવાની તેમની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

જો કે રાજકોટના રાજકારણમાં સી આર પાટીલના નિવેદન પછી મોહન કુંડારીયાના નામની ચર્ચા શરૂ થઇ છે.

સી આર પાટીલે જે મૌલેશભાઇ ઉકાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો તેઓ તેમની સેસા ઓઇલ કંપની વેચીને 1200 કરોડ રૂપિયા કમાયા હતા. તેમના પિતાએ માત્ર 16,000ના રોકાણથી શરૂ કરેલી બાન લેબ્સને મૌલેશભાઇએ ઉંચાઇએ પહોંચાડી છે. આજે તેમની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ 40 જેટલી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.