રાજકોટમાં પાટીલની ગૂગલી, પાટીદાર નેતાને કહ્યું- આવો તો લોકસભા લઈ જઈએ

વર્લ્ડકપ વન-ડેની ભારત-પાકિસ્તાનની મેચ પછી બીજા જ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજકોટના એક કાર્યક્રમમમાં ગૂગલી ફેંકીને રાજકારણ ગરમાવી દીધું હતું. રાજકોટના જાણીતા કડવા પાટીદાર ઉદ્યોગપતિના જન્મ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે તેમના માટે એવી ચર્ચા ચાલે છે કે તેમને લોકસભામાં લઇ જવાના છે. જો તેઓ આવવા તૈયાર થતા હોય તો તેમને લોકસભામાં લઇ જઇએ. લોકસભાની ચૂંટણી 2024મા છે અને પાટીલનું આ નિવેદન ઘણું સૂચક છે. પાટીલ જે પાટીદાર ઉદ્યોગપતિની વાત કરી રહ્યા હતા તેઓ દ્રારકા મંદિરના ટ્રસ્ટી છે અને બાન લેબ્સના માલિક છે. તેમના પુત્રના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ માટે પણ આ પાટીદાર ઉદ્યોગકાર ચર્ચામાં રહ્યા હતા.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી, દ્રારકા મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણીનો રવિવારે જન્મ દિવસ હતો તે નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે હળવી શૈલીમાં કહ્યુ હતું કે એવી ચર્ચા છે કે મૌલેશભાઇ ઉકાણીને લોકસભામાં લઇ જવાના છે, જો તેઓ તૈયાર હોય તો લોકસભામાં લઇ જઇએ.

પાટીલના આ નિવેદનને ઉપસ્થિત લોકોએ તાળીથી વધાવી લીધું હતું. જો કે, કાર્યક્રમ પત્યા પછી કડવા પાટીદાર ઉદ્યોગકાર મૌલેશભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, સી. આર. પાટીલની લાગણી શિરોમાન્ય છે, પરંતુ મારા રસ્તો ગાંધીનગર કે દિલ્હીનો છે જ નહીં, મારો રસ્તો તો દ્રારકાનો છે. મારી એવી વિનંતી છે કે લોકો મને આર્શીવાદ આપે કે હું દ્રારકાધીશના ચરણોમાં પહોંચી શકું. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મારો રાજકારણમાં નહીં જવાનો નિર્ણય અંતિમ છે અને તેમાં કોઇ બદલાવ થવાનો નથી.

પત્રકારોએ મૌલિકભાઇને સવાલ કર્યો હતો કે સમાજ કહેશે તો રાજકારણમાં આવશો? તો ઉકાણીએ કહ્યું હતું કે, સમાજ મને સારી રીતે જાણે છે, હું રાજકારણમાં જવાનો નથી. ઉકાણીની વાત પછી હવે રાજકારણમાં જવાની તેમની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

જો કે રાજકોટના રાજકારણમાં સી આર પાટીલના નિવેદન પછી મોહન કુંડારીયાના નામની ચર્ચા શરૂ થઇ છે.

સી આર પાટીલે જે મૌલેશભાઇ ઉકાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો તેઓ તેમની સેસા ઓઇલ કંપની વેચીને 1200 કરોડ રૂપિયા કમાયા હતા. તેમના પિતાએ માત્ર 16,000ના રોકાણથી શરૂ કરેલી બાન લેબ્સને મૌલેશભાઇએ ઉંચાઇએ પહોંચાડી છે. આજે તેમની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ 40 જેટલી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.