રાજકોટ: બાગેશ્વર બાબા પાસેથી પત્રકારને 13 હજાર પાછા મળી ગયા, ફરિયાદ પાછી ખેંચી

રાજકોટના એક પત્રકારે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હિપ્નોટાઇઝ કરીને 13,000 રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે પત્રકારે પોલીસ કમિશ્નરને અરજી પણ કરી હતી, પરંતુ જાણવા મળેલી માહિતી મુજબ આ પત્રકારને બાબા બાગેશ્વર તરફથી 13,000 રૂપિયા પાછા મળી ગયા છે એટલે તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી છે. પત્રકારે આરોપ મુક્યો હતો કે બાબાએ મારું ખિસ્સું ખાલી કરાવી દીધું હતું. આ ફરિયાદ પછી ભારે હોબાળો મચી ગયો હતો.

ગુજરાતની 10 દિવસની મુલાકાતે આવેલા  બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત, અમદાવાદમાં કાર્યક્રમ પુરો થયા પછી 1લી અને 2જી જૂને રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો. બાબાના દિવ્ય દરબારમાં અનેક શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

રાજકોટના પત્રકાર હેમલ વિઠ્ઠલાણીએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે 1લી જૂને રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર ભરાયો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી વક્તા તરીકે હતા. તે વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રધ્ધાળુઓના પ્રશ્નોન નિકાલ કરી રહ્યા હતા. એ સમયે જામનગરથી એક શ્રધ્ધાળુ આવ્યા હતા અને બાબા પાસે મંદિર માટે 13,000ના દાનની માંગ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મને હિપ્નોટાઇસ કરીને મારું ગજવું ખાલી કરાવી દીધું હતું અને શ્રધ્ધાળુંને 13,000 આપ્યા હતા. હેમલ વિઠલાણીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મને એમ કે બાબા મને પછી બોલાવીને પૈસા પાછા આપી દેશે, પરંતુ એવું કશું બન્યું નહિં. બીજા કોઇ શ્રધ્ધાળુ સાથે આવું ન બને અને મારા પૈસા પરત મળે તેવી વિનંતી છે એવી હેમલ વિઠ્ઠલાણીએ અરજી કરી હતી.

આ બાબતે વિવાદ વકરતા આખરે આયોજકોએ પત્રકાર હેમલ વિઠ્ઠલાણીને 13,000 રૂપિયા આપી દીધા હતા અને પત્રકારે અરજી પાછી ખેંચી લીધી છે.

આ ઘટના વિશે સમિતિના સભ્ય ભક્તિ પ્રસાદ સ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, માત્ર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરવાના આશયથી કમિશ્નરને અરજી કરવામાં આવી હતી. સ્વામીએ કહ્યું કે, રાજકોટ રેસકોર્સ મેદાન પર યોજાયેલા દિવ્ય દરબારમાં 1 લાખથી વધારે લોકો બાબાના દર્શન માટે આવ્યા હતા, તેમાંથી માત્ર એક જ વ્યકિત હિપ્નોટાઇસ થયો?  આ માત્ર બાબાનું નામ ખરાબ કરવાનું કાવતરું છે અને અમે કાયદાકીય પગલાં લેવા કે નહીં તે વિશે વિચારીશું.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.