ચોમાસુ આવી ગયું કે શું? રાજકોટમાં 1 કલાકમાં સવા ઇંચ વરસાદ, હજુ બે દિવસનો વરતારો

ગુજરાતમાં કમોસમી વરસાદે અનેક વિસ્તારોને ઘમરાળી નાંખ્યા છે, જાણે એમ લાગી રહ્યું છે કે શું ચોમાસું વહેલી આવી ગયું છે? રાજકોટમાં તો એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. માત્ર રાજકોટ નહી, જુનાગઢ, કચ્છ ભૂજ, અમરેલી, ગોંડલ જેવા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી નાંખી છે.  બિન બુલાયે મહેમાન જેવા આ વરસાદને કારણે ખેડુતોને ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગે હજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વરસાદ પડવાનો વરતારો આપ્યો છે.

બુધવારે ચૈત્રી નવરાત્રીના પહેલા  દિવસે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હવામાન બદલાયું છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં તો માવઠાએ હાલત ખરાબ કરી નાંખી છે અને એક કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં 32 મિ.મી વરસાદ પડ્યો છે.

કમોસમી વરસાદને કારણે રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘંઉ અને ધાણાનો પાક પલળી જતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ યાર્ડના ચેરમેને ખેડુતોને 3 દિવસ સુધી ઘંઉ, ધાણા અને ચણાં નહીં લાવવા માટે કહ્યું છે.

તો બીજી તરફ જસદણના આટકોટ,વીરનગર, ખારચિયા, પાંચવડા સહિતના ગામડાઓમાં હળવા ઝાપટાં પડ્યા છે. ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

કચ્છની વાત કરીએ તો અહીં પણ અનેક ગામડાંઓમાં વરસાદની હળવા ઝાપટા પડ્યા છે. અમરેલી જિલ્લામાં તો સતત એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે.

હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે કે 23 અને 24 માર્ચ એમ દિવસ સુધી રાજ્યના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડશે. હવામાન વિભાગે 23 માર્ચે જે વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, તેમાં  બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદામાં કમોસમી વરસાદ પડશે. ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ,જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્રારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

તો 24 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.

કમોસમી વરસાદે તો છેલ્લાં એક સપ્તાહથી વધારે સમય પહેલાંથી આખા રાજ્યને માથે લીધું છે અને માવઠાંને કારણે ખેડુતોને રડવાનો વારો આવ્યો છે.

Related Posts

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.