લોન્ચ કરવા માટે ISROએ ચંદ્રયાન-3ને રોકેટમાં ફિટ કર્યું, જાણો શું છે ખાસ

ચંદ્રયાન-3 મિશનને લઈને ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. આ અનુસંધાને બુધવારે ચંદ્રયાન-3ને રોકેટમાં ફિટ કરી દેવામાં આવ્યું છે. ISRO તરફથી તૈયારીઓના સંબંધમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટા ટ્રકમાં ચંદ્રયાન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન સ્પેસ સ્ટેશન પહોંચી ગયું છે. ત્યારબાદ તેને રોકેટ સાથે જોડવામાં આવ્યું. PSLV-MK3 રોકેટના માધ્યમથી તેને ચંદ્રમા પર મોકલવાની તૈયારી પૂરી થઈ ગઈ છે.

ISRO મુજબ 12-19 જુલાઇ વચ્ચે ચંદ્રયાન-3ને પૃથ્વીથી લોન્ચ કરવામાં આવશે. તેની સ્પષ્ટ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. 13 જૂલાઈને અત્યાર સુધી સંભવિત તારીખ બતાવવામાં આવી રહી છે. ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નું જ ફોલોઅપ છે. ગત વખત ચંદ્રયાન ચંદ્રમાની ધરતી પર લેન્ડ થતી વખતે અકસ્માતનો શિકાર થઈ ગયું હતું. ગત મિશનની તમામ વસ્તુઓ ફિટ બેસી હતી, પરંતુ ગત વખતે મિશન ફેલ થઈ ગયું હતું. આ જ કારણ છે કે પાછલી ભૂલોથી શીખતા ચંદ્રયાન-3 મિશનને હવે લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

શું છે ચંદ્રયાન મિશનનો હેતુ?

ચંદ્રયાન મિશન હેઠળ ISROનો પ્રયાસ ચંદ્રમાના દક્ષિણી હિસ્સાની તપાસ કરવાનો છે. આ મિશન ચંદ્રમા પર પડતા પ્રકાશ અને ત્યાં ઉપસ્થિત રેડીએશનની તપાસ કરશે. એ સિવાય ચંદ્ર પર તાપમાન અને થર્મલ કંડક્ટિવિટીની પણ જાણકારી મેળવવામાં આવશે. સાથે જ ચંદ્રમા પર આવતા ભૂકંપની સ્ટડી કરવાનો પણ આ મિશનનો હેતુ છે. ચંદ્રયાન-3 ત્યાં પ્લાઝ્માના ઘનત્વ અને તેના બદલાવોની તપાસ કરશે.

ચંદ્રયાન-2થી આ મિશનમાં શું છે અલગ?

ચંદ્રયાન-2માં રોકેટના માધ્યમથી 3 વસ્તુ મોકલવામાં આવી હતી. પહેલું-ઓર્બિટર, જેનું કામ ચંદ્રમાની કક્ષમાં રહેતા આકાશમાં તેનું ચક્કર લગાવવાનું છે. બીજું-લેન્ડર, જેની મદદથી ચંદ્રયાન મિશન ચંદ્રની ધરતી પર સુરક્ષિત લેન્ડ કરશે. ત્રીજું-રોવર, જે એક ફોર વ્હીલર ગાડી છે. આ ગાડી ચંદ્રમા પર ચાલતા ત્યાં શોધખોળ કરવાનું કામ કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર અને રોવર તો છે, પરંતુ આ વખત ઓર્બિટરને મોકલવામાં આવી રહ્યું નથી. ISROનું કહેવું છે કે, ચંદ્રયાન-2નું ઓર્બિટર સફળતાપૂર્વક અત્યારે પણ ચન્દ્રનું ચક્કર લગાવી રહ્યું છે. આ ઓર્બિટરનો ઉપયોગ ત્રીજા મિશન દરમિયાન પણ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.