- Tech and Auto
- કોણ છે આ આલાપ શાહ? જેના રિપોર્ટ માત્રથી શેરબજારમાં થઇ ગઈ ઉથલપાથલ
કોણ છે આ આલાપ શાહ? જેના રિપોર્ટ માત્રથી શેરબજારમાં થઇ ગઈ ઉથલપાથલ
સિટ્રિની રિસર્ચ દ્વારા પ્રકાશિત 'ધ 2028 ગ્લોબલ ઇન્ટેલિજન્સ ક્રાઇસિસ' રિપોર્ટ પછી આલાપ શાહનું નામ ચર્ચામાં આવ્યું છે, જેમાં AI ફક્ત માનવોને મદદ કરતું નથી પરંતુ તેમની નોકરીઓને પુરી રીતે સંભાળી લે છે. આલાપ શાહ આ રિપોર્ટના સહ-લેખક છે. તેઓ લાંબા સમયથી ટેકનોલોજી અને ફાઇનાન્સની દુનિયામાં સક્રિય છે અને AIના વ્યવસાયિક પ્રભાવની ઊંડી સમજ ધરાવે છે.
સિટ્રિની રિસર્ચ એક સ્વતંત્ર અમેરિકન નાણાકીય સંશોધન પ્રકાશન છે, જે રોકાણકારોમાં બહોળા પ્રમાણમાં ફોલોઅપ ધરાવે છે. તેનું નેતૃત્વ જેમ્સ વાન ગેલેન અને આલાપ શાહની જોડી કરે છે. રિપોર્ટ અનુસાર, AIની 'બીજી લહેર' હવે શરૂ થઈ ગઈ છે. પહેલાં, ચિપ્સ અને હાર્ડવેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે કંપનીઓ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને ખર્ચાળ માનવ શ્રમને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આને AI વેપારનો 'ફેઝ 2' કહેવામાં આવ્યો છે.
જેમ્સ વાન ગેલેન મેક્રોઇકોનોમિક ટ્રેન્ડ્સ પર નજર રાખે છે, જ્યારે આલાપ શાહ ટેકનિકલ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ આ અગાઉ સેન્ટીઓના CEO તરીકે સેવા આપી હતી, જે એક AI-આધારિત નાણાકીય શોધ પ્લેટફોર્મ છે, જે પાછળથી AlphaSense દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.
શાહે 'એજન્ટિક કોમર્સ'નો વિચાર રજૂ કર્યો હતો. આનો અર્થ એ છે કે, જો કોઈ AI તમારા માટે ફ્લાઇટ બુક કરે છે, તો તે ફી-ચાર્જિંગ ક્રેડિટ કાર્ડને બદલે સીધી પ્રોગ્રામેબલ ચુકવણી સિસ્ટમનો ઉપયોગ કરશે. આનાથી વ્યવહારોમાં 'ઘર્ષણ' ઘટશે. આ જ કારણ છે કે રિપોર્ટ પછી ચુકવણી કંપનીના શેરમાં ઘટાડો થયો. જો AI મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટાડે છે, તો તેમની આવકમાં પણ ઘટાડો થઈ શકે છે.
આલાપ શાહ સપ્ટેમ્બર 2024થી ન્યૂ યોર્ક વિસ્તારમાં લિટલબર્ડના CEO છે. તેઓ માર્ચ 2011થી ફ્લોરિડામાં લોટસ ટેકનોલોજી મેનેજમેન્ટના મેનેજિંગ પાર્ટનર પણ છે. તેઓ સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં થિસલના સહ-સ્થાપક અને ચેરમેન પણ છે. તેમની કારકિર્દી ફિનટેક અને AIના જોડાવા પર રહી છે, જ્યાં તેમણે સંશોધન અને રોકાણ પ્રક્રિયાઓને સ્વચાલિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.
રિપોર્ટના પ્રકાશન પછી, આલાપ શાહે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સરકારોએ AI પર કર લાદવાનું વિચારવું જોઈએ. તેમનું માનવું છે કે જેમ જેમ AI વધુ સમજદાર બનશે, તેમ તેમ તે વધુ નોકરીઓનું સ્થાન લઈ શકે છે. જો નોકરીઓ ઘટશે, તો ગ્રાહક ખર્ચ પણ ઘટશે, જે અર્થતંત્ર પર અસર કરશે. શાહ નોકરીના નુકસાનને સરભર કરવા માટે AI દ્વારા ઉત્પન્ન થતા વધારાના નફા પર ટેક્સ વસુલ કરવાનું સૂચન કરે છે.
સિટ્રિની રિસર્ચ રિપોર્ટે બજારમાં ખુબ ઝડપી પ્રતિક્રિયા જોવા મળી હતી. S and P 500 ઘટ્યો, અને સોફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલા ભંડોળમાં પણ ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને ચુકવણી અને ડિલિવરી કંપનીઓના શેરમાં વેચાણ વધ્યું. રિપોર્ટ પછી જે મુખ્ય ટેક કંપનીઓના શેયરમાં ખળભળાટ મચી ગયો, તેમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)નો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, IBMના શેરમાં 25 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે, AIની 'બીજી લહેર' શરૂ થઈ ગઈ છે. પહેલાં, ચિપ્સ અને હાર્ડવેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે કંપનીઓ કામગીરીને સ્વચાલિત કરવા અને મોંઘા માનવ શ્રમને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આલાપ શાહનો અંદાજ છે કે, આગામી 18 મહિનામાં વ્હાઇટ-કોલર નોકરીઓમાં લગભગ 5 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો આવું થાય, તો ગ્રાહક ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને અર્થતંત્ર પર અસર પડી શકે છે.

