કોણ છે આ આલાપ શાહ? જેના રિપોર્ટ માત્રથી શેરબજારમાં થઇ ગઈ ઉથલપાથલ

સિટ્રિની રિસર્ચ દ્વારા પ્રકાશિત '2028 ગ્લોબલ ઇન્ટેલિજન્સ ક્રાઇસિસ' રિપોર્ટ પછી આલાપ શાહનું નામ ચર્ચામાં આવ્યું છે, જેમાં AI ફક્ત માનવોને મદદ કરતું નથી પરંતુ તેમની નોકરીઓને પુરી રીતે સંભાળી લે છે. આલાપ શાહ આ રિપોર્ટના સહ-લેખક છે. તેઓ લાંબા સમયથી ટેકનોલોજી અને ફાઇનાન્સની દુનિયામાં સક્રિય છે અને AIના વ્યવસાયિક પ્રભાવની ઊંડી સમજ ધરાવે છે.

સિટ્રિની રિસર્ચ એક સ્વતંત્ર અમેરિકન નાણાકીય સંશોધન પ્રકાશન છે, જે રોકાણકારોમાં બહોળા પ્રમાણમાં ફોલોઅપ ધરાવે છે. તેનું નેતૃત્વ જેમ્સ વાન ગેલેન અને આલાપ શાહની જોડી કરે છે. રિપોર્ટ અનુસાર, AIની 'બીજી લહેર' હવે શરૂ થઈ ગઈ છે. પહેલાં, ચિપ્સ અને હાર્ડવેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે કંપનીઓ કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને ખર્ચાળ માનવ શ્રમને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આને AI વેપારનો 'ફેઝ 2' કહેવામાં આવ્યો છે.

Alap-Shah2
bloomberg.com

જેમ્સ વાન ગેલેન મેક્રોઇકોનોમિક ટ્રેન્ડ્સ પર નજર રાખે છે, જ્યારે આલાપ શાહ ટેકનિકલ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ આ અગાઉ સેન્ટીઓના CEO તરીકે સેવા આપી હતી, જે એક AI-આધારિત નાણાકીય શોધ પ્લેટફોર્મ છે, જે પાછળથી AlphaSense દ્વારા ખરીદી લેવામાં આવ્યું હતું.

શાહે 'એજન્ટિક કોમર્સ'નો વિચાર રજૂ કર્યો હતો. આનો અર્થ એ છે કે, જો કોઈ AI તમારા માટે ફ્લાઇટ બુક કરે છે, તો તે ફી-ચાર્જિંગ ક્રેડિટ કાર્ડને બદલે સીધી પ્રોગ્રામેબલ ચુકવણી સિસ્ટમનો ઉપયોગ કરશે. આનાથી વ્યવહારોમાં 'ઘર્ષણ' ઘટશે. આ જ કારણ છે કે રિપોર્ટ પછી ચુકવણી કંપનીના શેરમાં ઘટાડો થયો. જો AI મધ્યસ્થીઓની જરૂરિયાત ઘટાડે છે, તો તેમની આવકમાં પણ ઘટાડો થઈ શકે છે.

Alap-Shah
businesstoday.in

આલાપ શાહ સપ્ટેમ્બર 2024થી ન્યૂ યોર્ક વિસ્તારમાં લિટલબર્ડના CEO છે. તેઓ માર્ચ 2011થી ફ્લોરિડામાં લોટસ ટેકનોલોજી મેનેજમેન્ટના મેનેજિંગ પાર્ટનર પણ છે. તેઓ સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાં થિસલના સહ-સ્થાપક અને ચેરમેન પણ છે. તેમની કારકિર્દી ફિનટેક અને AIના જોડાવા પર રહી છે, જ્યાં તેમણે સંશોધન અને રોકાણ પ્રક્રિયાઓને સ્વચાલિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટના પ્રકાશન પછી, આલાપ શાહે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, સરકારોએ AI પર કર લાદવાનું વિચારવું જોઈએ. તેમનું માનવું છે કે જેમ જેમ AI વધુ સમજદાર બનશે, તેમ તેમ તે વધુ નોકરીઓનું સ્થાન લઈ શકે છે. જો નોકરીઓ ઘટશે, તો ગ્રાહક ખર્ચ પણ ઘટશે, જે અર્થતંત્ર પર અસર કરશે. શાહ નોકરીના નુકસાનને સરભર કરવા માટે AI દ્વારા ઉત્પન્ન થતા વધારાના નફા પર ટેક્સ વસુલ કરવાનું સૂચન કરે છે.

Alap-Shah3
wsj.com

સિટ્રિની રિસર્ચ રિપોર્ટે બજારમાં ખુબ ઝડપી પ્રતિક્રિયા જોવા મળી હતી. S and P 500 ઘટ્યો, અને સોફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલા ભંડોળમાં પણ ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને ચુકવણી અને ડિલિવરી કંપનીઓના શેરમાં વેચાણ વધ્યું. રિપોર્ટ પછી જે મુખ્ય ટેક કંપનીઓના શેયરમાં ખળભળાટ મચી ગયો, તેમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)નો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, IBMના શેરમાં 25 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે, AIની 'બીજી લહેર' શરૂ થઈ ગઈ છે. પહેલાં, ચિપ્સ અને હાર્ડવેર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું, પરંતુ હવે કંપનીઓ કામગીરીને સ્વચાલિત કરવા અને મોંઘા માનવ શ્રમને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આલાપ શાહનો અંદાજ છે કે, આગામી 18 મહિનામાં વ્હાઇટ-કોલર નોકરીઓમાં લગભગ 5 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો આવું થાય, તો ગ્રાહક ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને અર્થતંત્ર પર અસર પડી શકે છે.

About The Author

Related Posts

Top News

મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન મળતું...
Gujarat 
મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી

સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત

સેમસંગે તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ, ગેલેક્સી S26 લોન્ચ કરી દીધી છે. આ સીરિઝમાં ગેલેક્સી S26, S26+ અને ગેલેક્સી ...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત

સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પારાને એક કારણ વગરની અયોગ્ય ટિપ્પણી માટે સખત ઠપકો આપ્યો....
National 
સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

RBIનો બેંકોને કડક આદેશ: ગ્રાહકની જાણ વગર કોઈ સર્વિસ ચાલુ ન કરવી અને 'ડાર્ક પેટર્ન'...

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોના હિતમાં એક મોટું પગલું ભરતા દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓને તેમની વેબસાઇટ...
Business 
RBIનો બેંકોને કડક આદેશ: ગ્રાહકની જાણ વગર કોઈ સર્વિસ ચાલુ ન કરવી અને 'ડાર્ક પેટર્ન'...
Copyright (c) Khabarchhe All Rights Reserved.