GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત સિંહની કહાનીમાં નવો વળાંક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં રાજીનામું આપીને ચર્ચામાં આવેલા અયોધ્યાના ડેપ્યુટી કમિશનર (GST) પ્રશાંત કુમાર સિંહના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમના રાજીનામા બાદ પ્રશાંત કુમાર પર નકલી દિવ્યાંગ  પ્રમાણપત્રનો ઉપયોગ કરીને નોકરી મેળવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ આરોપ બીજા કોઈએ નહીં, પરંતુ તેમના મોટા ભાઈ ડૉ. વિશ્વજીત સિંહે લગાવ્યો છે. વિશ્વજીતના જણાવ્યા અનુસાર, પ્રશાંત કુમારે નકલી દિવ્યાંગ  પ્રમાણપત્રનો ઉપયોગ કરીને સરકારી નોકરી મેળવી હતી. તેણે 2021માં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. 20 ઓગસ્ટ, 2021ના ​​રોજ તેમણે પ્રશાંત સિંહના દિવ્યાંગ પ્રમાણપત્રની ફરીથી તપાસ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ, ડિવિઝનલ મેડિકલ કાઉન્સિલે પ્રશાંત સિંહને મેડિકલ બોર્ડ સમક્ષ તપાસ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ હાજર ન થયા. વિશ્વજીત સિંહનો દાવો છે કે પ્રશાંત 2 વાર મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થયા નહોતા.

Prashant-Kumar3
aajtak.in

આટલું જ નહીં, વિશ્વજીતનો વધુ એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO)ને પ્રશાંત સિંહના દિવ્યાંગ  પ્રમાણપત્રની ફરીથી તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે. તેમના ભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજીનામું એક નાટક છે, જેથી તપાસ અને સંભવિત રિકવરીથી બચી શકાય. વિશ્વજીત સિંહના જણાવ્યા મુજબ, પ્રશાંતે જે આંખની બીમારી બતાવીને દિવ્યાંગ  પ્રમાણપત્ર બનાવ્યું, તેવી બીમારી 50 વર્ષથી ઓછી ઉંમરમાં દુનિયામાં કોઈને થતી નથી.

હવે આ આખા મામલે CMO, મઉ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ડૉ. વિશ્વજીત સિંહે પોતે પ્રશાંત કુમાર સિંહ વિરુદ્ધ નકલી દિવ્યાંગ  પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવા બદલ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. રાજીનામા બાદ સામે આવેલા આ આરોપોએ મામલો વધુ ગંભીર બનાવી દીધો છે. હવે બધાની નજર મેડિકલ બોર્ડના રિપોર્ટ અને વહીવટી તપાસના પરિણામો પર છે.

H1B-Visa2
navbharattimes.indiatimes.com

પ્રશાંત સિંહે રાજીનામાનું આ કારણ આપ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં અયોધ્યામાં તૈનાત GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે CM યોગી વિરુદ્ધ અવિમુક્તેશ્વરાનંદની ટિપ્પણીઓથી તેઓ દુઃખી થયા છે.

તેમણે કહ્યું કે, ‘જે રાજ્યના મુખ્યમંત્રીનું મીઠું અને રોટલી ખાઉં છું, જે સરકારનો પગાર મારા પરિવારનું ગુજરાન ચાલે છે, એજ પ્રદેશના મુખ્યમંત્રીનું સાર્વજનિક રૂપે અપમાન કરવામાં આવે, એ મને સ્વીકાર નથી. હું રોબોટ નથી; મારી અંદર પણ સંવેદનાઓ છે.

48 વર્ષીય પ્રશાંત કુમાર સિંહ, મૂળ રૂપે મઉ જિલ્લાના સરવા ગામના વતની છે. તેમને પહેલી પોસ્ટિંગ સહારનપુરમાં મળી હતી. 21 ઓક્ટોબર, 2023ના રોજ તેમને અયોધ્યામાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને સુપરલાઇટ કેમ કહેવામાં આવે છે?

બુધવારે વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જીવ ગુમાવ્યો. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો, ...
National 
અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, તેને સુપરલાઇટ કેમ કહેવામાં આવે છે?

GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત સિંહની કહાનીમાં નવો વળાંક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં રાજીનામું આપીને ચર્ચામાં આવેલા અયોધ્યાના ડેપ્યુટી કમિશનર (GST) પ્રશાંત કુમાર સિંહના કેસમાં એક...
National 
 GST ડેપ્યુટી કમિશનર પદેથી રાજીનામું આપનારા પ્રશાંત સિંહની કહાનીમાં નવો વળાંક

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન, વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં મોટું હિમસ્ખલન થયું, જેમાં ઘણા ઘરો અને વાહનો ઝપેટમાં આવી ગયા હતા. હિમસ્ખલનમાં...
National 
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં મોટું હિમસ્ખલન,  વીડિયો જોઈને લોકોના ઉડ્યા હોશ

લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને...
Gujarat 
 લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.