સરકારને હચમચાવી નાંખે તેવી સુરતમાં જૈનોની મહારેલી, 3 કિ.મી સુધી માનવ મહેરામણ

સુરતમાં મંગળવારે પાર્લે પોઇન્ટ વિસ્તારમાંથી જૈન સમાજની સવારે જે રેલી નિકળી હતી તેમાં એટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ હતું કે જે જોઇને કદાચ સરકાર પણ હાલી જાય. પાર્લે પોઇન્ટથી કલેક્ટર કચેરી સુધીની આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. મહાતીર્થને બચાવવાની આ રેલીમાં જૈન સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો. અમદાવાદ, દિલ્હી, મુંબઇ પછી સુરતમાં નિકળેલી મહારેલી 3 કિ.મી. લાંબી હતી. તમે જૈન સેલાબ જુઓ તો તમને ખબર પડે કે સમાજ કેટલો ધુંઆપુંઆ છે.

જૈન સમાજ છેલ્લાં 15 દિવસથી લડત આપી રહ્યો છે. પાલિતાણાના શંત્રુજય પર્વત અને ઝારખંડના સમ્મ્ત શિખરને તીર્થ સ્થાન જાહેર કરવાની જૈન સમાજની માંગ છે. પાલિતાણા શત્રુંજય પર્વત પર અસમાજિક તત્વોના ઉપદ્રવ સામે પણ સમાજમાં આક્રોશ છે.

રવિવારે અમદાવાદ, મુંબઇ, દિલ્હીમાં મહાતીર્થને બચાવવાની મહારેલી પછી મંગળવારે સુરતમાં પણ પાર્લે પોઇન્ટ સરગમ શોપિંગ સેન્ટર પાસેથી એક મહારેલી નિકળી હતી. જેમાં પુરુષો શ્વેતવસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં એક સરખા જોવા મળ્યા હતા. જૈનોની રેલીનો મહાસાગર એટલો અફાટ હતો કે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

જૈન સમાજના લોકોનું કહેવું છે કે, ઝારખંડમાં જૈનોના પવિત્ર તીર્થ સ્થાન સમ્મેત શિખરજીને ઝારખંડ સરકારે પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. જૈનો તેને તીર્થસ્થળ માને છે. જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતાની સાથે જ જૈનોની લાગણી દુભાઈ છે. જૈનોના તીર્થ સ્થળને પર્યટન સ્થળ તરીકે સમાજ સાંખી લેશે નહીં એવો બુલંદ આક્રોશ સુરતની રેલીમાં જોવા મળ્યો હતો.

લગભગ છેલ્લાં 15 દિવસથી મહાતીર્થની સુરક્ષા માટે જૈન સમાજે અવાજ બુલંદ કર્યો છે અને ઠેર ઠેર રેલીઓ કાઢીને તેમની વાચાને પહોંચાડી રહ્યા છે. સુરતમાં મંગળવારે સવારે શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરૂભગવંતોની નિશ્રામાં આયોજીત જૈન સમાજ મૌન રેલી સંદર્ભે પાંચ આચાર્ય ભગવંતો - મુનિ ભગવંતો - સાધ્વીજી ભગવંતો, શ્રાવક - શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમસ્ત સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં હાજર રહ્યા હતા. સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી અને સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.