મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ: હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

સુપ્રીમ કોર્ટાં શુક્રવારે થયેલી સુનાવણીમાં કોર્ટે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે અને મથુરાની વિવાદીત શાહી ઇદગાહ મંદિરનો સર્વે કરવાની માંગનો ઇન્કાર કરી દીધો છે.

મથુરાની શાહી ઇદગાહ મસ્જિદમાં જ્ઞાનવાપી મસ્જિદની જેમ સર્વે કરવાની માંહ પર હિંદુ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જે રીતે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો તે રીતે આ સ્થળનો પણ સર્વે કરવામાં આવે જેથી આ સ્થાનના ઐતિહાલિક અને સ્થાપત્યના મહત્ત્વ વિશે ખબર પડી જશે.

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. હિંદુ પક્ષે શાહી ઇદગાહ મસ્જિદ માટે સર્વે કરવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષને ઝટકો આપ્યો છે અને શાહી ઇદગાહ મસ્જિદ- શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થળ મથુરાને જ્ઞાનવાપી મસ્જિદની ટેમ સાયન્ટિફિક સર્વે કરાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને મસ્જિદના સર્વેક્ષણ પર નિર્ણય લેવા માટે કહ્યું છે.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવા માટે હિંદુ પક્ષે કેસ કર્યો હતો અને કોર્ટે મસ્જિદમાં સર્વે કરવાની મંજૂરી આપી હતી. એ પછી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વિવાદીત મસ્જિદના સાયન્ટીફિક શર્વ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની ટીમે શાહી ઇદગાહ મસ્જિદમાં પણ સર્વે હાથ ધરવામાં આવે.

કાશી અને મથુરાનો વિવાદ કઇંક અંશે અયોધ્યા રામ મંદિર જેવો જ છે. હિંદુઓનો દાવો છે કે કાશી અને મથુરામાં મોઘલ શાસક ઔરંગઝેબ મંદિરને તોડીને ત્યાં મસ્જિદનું નિર્માણ કરી દીધું હતું. એવું કહેવાય છે કે ઔરંગઝેબ 1669માં કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યું હતું અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવ મંદિર તોડવાનું ફરમાન જારી કર્યું હતું. એ પછી કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાદી ઇદગાહ મસ્જિદ બનાવી દેવામાં આવી હતી. મથુરાના આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હકની લડાઇ સાથે જોડાયેલો છે. હિંદુ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને એ જમીન શ્રીકૃષ્ણ જન્મ સ્થાનને આપી દેવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે કહ્યું છે કે મંદિરના સર્વે કરવાનો નિર્ણય હાઇકોર્ટે લેશે. મતલબ કે આ વિવાદ હાઇકોર્ટમાં પહોંચવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.