ભારતની એ 7 જગ્યા, જ્યાં થાય છે દશાનનની પૂજા, નથી થતું રાવણ દહન

દર વર્ષે શરદીય નવરાત્રિનું સમાપન દસમા દિવસે દશેરો ઉજવવામાં આવે છે. દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દુષ્ટતાનો અંત અને સારાઇની શરૂઆતનું પ્રતિક માનવમાં આવે છે. આ દિવસે, ભગવાન રામ, મા દુર્ગા અને અસ્ત્રોની પૂજા કરવામાં આવે છે, અને દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવે છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે દેશભરમાં રાવણનું દહન કરવામાં આવે છે, ત્યારે કેટલીક જગ્યાએ આ દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. ચાલો તમને તેમાંથી કેટલાક સ્થળોનો પરિચય કરાવીએ અને સાથે જ એ પણ જણાવીશું કે આવું કેમ થાય છે.

બિસરખ ગામ

ધાર્મિક ગ્રંથો અનુસાર, બિસરાખ ગામને દશાનન રાવણ રાવણનું માતૃસ્થાન માનવામાં આવે છે. એટલે આ જગ્યાએ રાવણને બાળવાને બદલે તેની પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા કરવામાં આવે છે. બિસરાખ ગામ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા શહેરમાં સ્થિત એક નાનું ગામ છે. અહીં રાવણને સમર્પિત એક મંદિર આવેલું છે.

dashanan1
aajtak.in

મંદસૌર

મધ્ય પ્રદેશમાં મંદસૌર એ જ સ્થળોમાંથી એક છે જ્યાં રાવણને બાળવાને બદલે પૂજા કરવામાં આવે છે. મંદસૌર રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું, જેને કારણે રાવણના સાસરિયાઓનું ઘર કહેવાયું. એટલે પરંપરા મુજબ, જમાઈની પૂજા કરવામાં આવે છે તો અહીં રાવણને પણ આ સ્થળે પૂજા કરવામાં આવે છે.

રાવણગ્રામ ગામ

રાવણગ્રામ ગામ પણ મધ્ય પ્રદેશમાં આવેલું છે જ્યાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થળે રાવણને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. દંતકથા અનુસાર, આ ગામમાં રાવણની એક વિશાળ પ્રતિમા પણ સ્થાપિત છે.

dashanan3
ANI

કાનપુર

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે, જ્યાં દશાનન મંદિર આવેલું છે. આ દશાનન મંદિર લગભગ 135 વર્ષ જૂનું છે. રાવણનું આ મંદિર માત્ર દશેરા પર જ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે; બાકીના 364 દિવસ સુધી રાવણની પ્રતિમા ઢંકાયેલી રહે છે. ભક્તો આ મંદિરમાં રાવણને પ્રાર્થના કરવા, તેલના દીવા પ્રગટાવવા અને 10 માથાવાળા રાક્ષસરાજ રાવણ પાસેથી બુદ્ધિ અને શક્તિના આશીર્વાદ મેળવવા માટે ભેગા થાય છે.

જોધપુર

રાજસ્થાનના જોધપુરમાં રાવણને સમર્પિત એક અનોખું મંદિર છે. અહીં રાવણની પુજા કરવામાં આવે છે. કેટલાક લોકો રાવણને પોતાનો પૂર્વજ માને છે અને દશેરા પર તેને બાળવાને બદલે તેની પૂજા કરે છે.

ravn-dahan
aajtak.in

કાકીનાડા

આંધ્ર પ્રદેશના કાકીનાડામાં રાવણને સમર્પિત એક અનોખું મંદિર છે, જ્યાં લોકો તેને એક શક્તિશાળી અને સમ્રાટ તરીકે પૂજે છે. અહીંના લોકો ભગવાન રામના મહત્ત્વને સ્વીકારે છે, પરંતુ રાવણને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે રાવણની પૂજા કરવામાં આવે છે.

કાંગડા જિલ્લો

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લોમાં પણ રાવણનું મંદિર છે. કાંગડા જિલ્લાના એક શહેરમાં રાવણની પૂજા કરવામાં આવે છે કારણ કે અહીંના લોકોનું માનેવું છે કે રાવણે ભગવાન શિવની તપસ્યા દ્વારા મોક્ષ મેળવ્યું હતું આ કારણોસર, અહીંના લોકો રાવણનું સન્માન કરે છે અને દશેરા પર તેની પૂજા કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.