PM મોદીએ કેમ કહ્યું આ વખતના આપણા બજેટ પર આખી દુનિયાની નજર છે

On

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ વખત બજેટ કેવું હશે અને ક્યાં આ વખતના બજેટમાં આશાની કિરણ લઇને આવી રહ્યું છે. તેની સાથે જ તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલી વખત સંયુક્ત સદનને સંબોધિત કરી રહ્યા છે અને તે ભારતનું ગૌરવ છે. સંસદીય પરંપરાનું ગૌરવ છે.

રાષ્ટ્રપતિના અભિભાષણને લઇને પણ મોટી અપીલ કરી. તેમણે કહ્યું કે, જેમ નવા સાંસદોને અમે ધ્યાનથી સાંભળીએ છીએ એવી જ રીતે રાષ્ટ્રપતિ જી પહેલી વખત બંને સદનને સંબોધિત કરશે અને આપણે તેમનું ભાષણ ધ્યાનથી સંભાળવું જોઇએ. સંસદના બજેટ સત્ર અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે અને અર્થવ્યવસ્થાની દુનિયાથી વિશ્વસનીય અવાજો, એક સકરાત્મક સંદેશ, આશાનું કિરણ અને ઉત્સાહની શરૂઆત લઇને આવી રહી છે. આશાની કિરણ લઇને આવી રહી છે અને નવી આશાઓ લઇને આવી રહી છે.

તેમણે આગળ કહ્યું કે, ભારતના બજેટ પર વિશ્વની નજર છે અને આખી દુનિયાની અર્થવ્યવસ્થાને રોશની આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ કાલે (1 ફેબ્રુઆરી 2023) બજેટ લઇને આવી રહ્યા છે. આ બજેટ પર ન માત્ર ભારત, પરંતુ વિશ્વનું પણ ધ્યાન છે. ભારતનું આ બજેટ દુનિયાની ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને પણ પ્રકાશ આપશે. તેમણે આગળ કહ્યું કે, મને આશા છે કે નિર્મલા જી દરેક આશા પર ખરા ઉતરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAનું એક જ લક્ષ્ય રહ્યું છે ‘ઇન્ડિયા ફર્સ્ટ, સિટિઝન ફર્સ્ટ.’

મીડિયાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓને સંસદના બજેટ સત્રમાં ભાગ લેવા અને ચર્ચા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બજેટ સત્રમાં તકરાર પણ રહેશે અને તકરીર પણ રહેશે. સદન દરેક મુદ્દા પર સારી રીતે ચર્ચા કરશે. મને વિશ્વાસ છે કે વિપક્ષના બધા સાથી મોટી તૈયારી સાથે સુક્ષ્મતાથી સ્ટડી કરીને સદનમાં પોતાની વાત રાખશે. બધા સાંસદ પૂરી તૈયારી સાથે આ સત્રમાં હિસ્સો લેશે. આ સત્ર આપણાં બધા માટે મહત્ત્વપૂર્ણ હશે.

Related Posts

Top News

RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના...
National 
RSS: રાષ્ટ્રસેવાનું પવિત્ર માધ્યમ

ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આજે એક એવા નેતા તરીકે ઝળકી રહ્યું છે જેઓ પોતાના સૌમ્ય સ્વભાવ...
Gujarat  Opinion 
ભૂપેન્દ્રભાઈ પટેલ: ગુજરાતના વિકાસના નવા પ્રણેતા

પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

શિક્ષણ વિભાગ તરફથી જિલ્લાની તમામ સરકારી શાળાઓમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ પરત લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જો...
National  Education 
પહેલા આપ્યા હવે હરિયાણામાં વિદ્યાર્થીઓને 5 દિવસમાં ટેબલેટ જમા કરાવવા આદેશ

કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

કેદારનાથ ધામમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ પ્રબળ બની છે. કેદારનાથના BJP ધારાસભ્ય આશા...
National 
કેદારનાથમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકો, BJP MLAએ કહ્યું- આ લોકો ત્યાં માંસ...

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.