એક ઝટકામાં ચાંદીમાં 26,000 અને સોનામાં 4,500નો ઘટાડો, જાણો શું છે કારણ?

ગુરુવાર 5 ફેબ્રુઆરીના રોજ, કોમોડિટી એક્સચેન્જ MCX પર સવારે સોના અને ચાંદીના વાયદા ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, 5 ફેબ્રુઆરીના રોજ શરૂઆતના વેપારમાં 5 માર્ચ, 2026 ડિલિવરીવાળી MCX ચાંદીના વાયદા ભાવ લગભગ 10% ઘટીને 25,844 તૂટતા લગભગ 2,43,000 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ. તો 2 એપ્રિલ 2026ના રોજ ડિલિવરીવાળા સોનાના વાયદા ભાવ 4,591 એટલે કે લગભગ 3% ઘટીને 1,48,450 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા.

આંતરરાષ્ટ્રીય બજારમાં, ગુરુવારે એક સમયે હાજર ચાંદીના ભાવ 16.6% સુધી ઘટી ગયા હતા. જોકે શરૂઆતના એશિયન વેપારના શરૂઆતી સમયમાં તે થોડા સમય માટે $90 પ્રતિ ઔંસથી ઉપર ગયો હતો, તો હાજર સોનામાં પણ ઉતાર-ચઢાવ ભરેલા વેપારમાં 3.5% સુધી ઘટાડો થયો.

Civil-Services-Exam-Rules2
livehindustan.com

સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા?

ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે, MCXએ સોના અને ચાંદીના વાયદા પર વધારાના માર્જિન લગાવવામાં આવ્યું છે. 5 ફેબ્રુઆરી, 2026 થી ચાંદી પર 4.5% અને સોના પર 1%નો વધારાનો માર્જિન લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 6 ફેબ્રુઆરી, 2026થી ચાંદી પર 2.5% અને સોના પર 2%નો વધારાનો માર્જિન ઉમેરવામાં આવશે. આનાથી ચાંદી પર કુલ વધારાનું માર્જિન 7% અને સોના પર 3% થશે. આ ઉપરાંત જિયોપોલિટિકલ તણાવમાં ઘટાડો થવાની આશા છે.

શુક્રવાર, 6 ફેબ્રુઆરીના રોજ ઓમાનમાં થનારી અમેરિકા-ઈરાન વાટાઘાટોના સમાચારથી સુરક્ષિત રોકાણની માંગ ઘટી છે. બંને દેશોના અધિકારીઓએ વાટાઘાટોની પુષ્ટિ કરી છે. જોકે, ઘણા મુખ્ય તફાવતો અત્યારે પણ જોવા મળી રહ્યા છે. અમેરિકા ઇચ્છે છે કે વાટાઘાટોમાં ઈરાનના મિસાઇલ કાર્યક્રમનો સમાવેશ થાય, જ્યારે તેહરાનનું કહેવું છે કે વાટાઘાટો તેના પરમાણુ કાર્યક્રમ સુધી મર્યાદિત રહેશે.

gold-silver
oneindia.com

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનું એક મુખ્ય કારણ એ પણ છે કે ગયા મહિને સોના અને ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા. એવામાં, મોટા રોકાણકારો અને વેપારીઓએ પ્રોફિટ બુકિગ શરૂ કરી દીધું છે. જ્યારે વેચાણનું દબાણ વધે છે, ત્યારે ભાવમાં તેજીથી ઘટાડો થાય છે.

CME ગ્રુપે કોમેક્સ ગોલ્ડ અને સિલ્વર ફ્યુચર્સ પર માર્જિન વધારી દીધું. આનો અર્થ એ થયો કે, વેપારીઓએ હવે વધુ રોકડ બ્લોક કરવી પડશે. સટોડિયાઓએ તેમની પોઝિશન બંધ કરવી પડી છે. જ્યારે શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME) કોમોડિટી ફ્યુચર્સ પર માર્જિન વધે છે, તો વેપારીઓએ સમાન એજ કોન્ટ્રાક્ટ માટે વધુ રોકડ/ગેરંટી જમા કરવી પડે છે.

About The Author

Related Posts

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.