અદાણી ગ્રુપે અબુ ધાબીની કંપનીને 3260 કરોડ રૂપિયા પરત આપી દીધા

હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્થિતિ કફોડી બની જવા પામી છે એવા સમયે ગ્રુપ તરફથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપે અબુ ધાબીની એક કંપનીને 3260 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આ કંપનીએ અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા. અદાણી ગ્રુપે બુધવારે જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે અને રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. અદાણીએ તાત્કાલિક રોકાણકારોનો પૈસા પરત કરી દીધા હતા.

અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસે હવે  20,000 કરોડ રૂપિયાના ફોલો-અપ ઓફરિંગ (FPO)માં રોકાણ કરેલા ભંડોળનું ટ્રાન્સફર પૂર્ણ કર્યું છે. સોમવારે IHCએ જાહેરાત કરી હતી કે તેણે અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં 400 મિલિયન ડોલર (3,260 કરોડ)નું રોકાણ કર્યું છે. અદાણી ગ્રૂપના શેરોમાં કડાકાને પગલે અદાણીએ બુધવારે FPO પાછો ખેંચી લીધો હતો.

 અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની સામે આરોપો મુકતો એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો. 1,000 પાનાના રિપોર્ટમાં આ રિસર્ચ કંપનીએ અનેક આરોપો મુક્યા હતા. જેને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કડાકા બોલી ગયા હતા.

જે દિવસે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ જાહેર થયો તે જ દિવસે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO ખુલ્યો હતો. કંપની 3100ના ભાવે ફોલોઓન પબ્લિક ઓફરીંગ (FPO) લાવી હતી. રિપોર્ટને કારણે શેરોના ભાવો તુટી ગયા અને તેની સાથે અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ પણ તુટી ગયો હતો.

 અદાણી એન્ટરપ્રાઇઝીસનો  FPO 31 જાન્યુઆરી બંધ થયો હતો અને શરૂઆતના દિવસોની મુશ્કેલી બાદ ઇશ્યૂ આમ તો પુરો ભરાઇ ગયો હતો. પરંતુ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે મોડી રાત્રે એક વીડિયો જારી કરીને જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે. ગૌતમ અદાણીએ કહ્યું કે, અમને લાગે છે કે ભલે ઇશ્યૂ ભરાઇ ગયો છે, પરંતુ ઇથિકલી રોકાણકારોનું હીત અમારા માટે સર્વોપરી છે.

FPOમાં 20,000 કરોડ કરતા વધારે રોકાણ આવ્યું હતું, જે અદાણી ગ્રુપે બધા રોકાણકારોને પરત કરી દીધું છે. અબુધાબીની કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે આ વાતની ખાત્રી પણ કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ શુક્રવારે 1274 રૂપિયા પર આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.