રેસ્ટોરન્ટાંએ સર્વિસ ચાર્જ પરત કરવો પડશે, CCPAએ દંડ ફટકાર્યો

ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલતા રેસ્ટોરાં માલિકો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. તેની સાથે જ, આ સમાચાર એ લોકો માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે, જેઓ મોટાભાગે પરિવાર અને મિત્રો સાથે વારંવાર બહાર જમવા જાય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલીને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ 27 રેસ્ટોરાં સામે સ્વતઃ ધ્યાન આપીને કાર્યવાહી કરી છે.

CCPAએ શનિવારે આ જાણકારી આપી હતી. આ રેસ્ટોરાંઓને 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે અને ગ્રાહકોને સર્વિસ ચાર્જ પરત કરવા અને તેમની બિલિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરવા કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવાને અનુચિત વેપાર પ્રથા જાહેર કરવામાં આવી છે. સરકારી હેલ્પલાઇન નંબર પર ગ્રાહકોની ફરિયાદોના આધારે CCPAએ આ કાર્યવાહી કરી છે.

Restaurants1
hotelmaanresidency.com

એક સત્તાવાર નિવેદન અનુસાર, CCPAએ દેશભરમાં સ્થિત 27 રેસ્ટોરાં સામે કાર્યવાહી કરી છે. આ રેસ્ટોરાંઓએ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન કર્યું હતું અને ફરજિયાત સર્વિસ ચાર્જ જેવી અનુચિત વેપાર પ્રથાઓ અપનાવી હતી, જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 2 (47) હેઠળ આવે છે.

તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘણી રેસ્ટોરાં કાફે બ્લૂ બૉટલ, પટના અને ચાઇના ગેટ રેસ્ટોરાં પ્રાઇવેટ લિમિટેડ (બોરા બોરા), મુંબઈ સામેલ છે. આ રેસ્ટોરાં તેમના બિલમાં ઓટોમેટિક 10 ટકા સર્વિસ ચાર્જ જોડી રહ્યા હતા. CCPAએ જણાવ્યું હતું કે તે સર્વિસ ચાર્જ લેવા બાબતે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે અને ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા અને અનુચિત વેપાર પ્રથાઓને રોકવા માટે નિયમોનું ઉલ્લંઘન કરતા રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી કરતું રહેશે.

Restaurants
theinfatuation.com

CCPAએ સ્પષ્ટતા કરી હતી કે દિલ્હી હાઈકોર્ટના માર્ચ 2025ના નિર્ણય બાદ કોઈ બહાનું સ્વીકારવામાં નહીં આવે. કોર્ટે માન્યું કે ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલવો કાયદાની વિરુદ્ધ છે અને તમામ રેસ્ટોરાંએ CCPAની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. ગ્રાહક અધિકારોનું રક્ષણ કરવા માટે ઓથોરિટી હવે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઈન (NCH) પર મળેલી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.