ગડકરીએ હાઇવે માટેના નિયમોમાં ફેરફાર કર્યા, નવા હાઇવેની મંંજૂરી મળે પહેલા 100% જમીન સંપાદન પૂર્ણ કરવું જરૂરી અને...

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશમાં ઝડપથી હાઇવે અને એક્સપ્રેસવેને બનાવવામાં આવ્યા છે. આનાથી ટ્રાફિક જામમાં રાહત મળી છે, તેની સાથે સાથે આવવા જવામાં પણ સરળતા આવી છે. જોકે, સરકારે હવે હાઇવે બાંધકામ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સને મંજૂરી મળે તે પહેલાં 100 ટકા જમીન સંપાદન પૂર્ણ કરવું આવશ્યક છે. તેમણે બતાવ્યું કે હાઇવે બાંધકામ દરમિયાન જમીન સંપાદનના મુદ્દાઓ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

Nitin-Gadkari3
msn.com

ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, હાઇવે મંત્રાલય પાસે રૂ. 15 લાખ કરોડની હાઇવે સંપત્તિ છે. આ સંપત્તિઓને રોકડમાં રૂપાંતરિત કરીને, ખુબ મોટું ભંડોળ એકત્ર કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સમાં સૌથી મોટા પડકારો જમીન સંપાદન, વન વિભાગની મંજૂરી અને પર્યાવરણીય મંજૂરી છે. કોઈપણ પ્રોજેક્ટમાં આવા અવરોધો આવવાથી કામ પૂરું થવામાં વિલંબ થઇ જાય છે. આ અગાઉ, સરકારે એક નિયમ સ્થાપિત કર્યો હતો કે, 90 ટકા જમીન સંપાદિત થયા પછી જ નવો પ્રોજેક્ટ શરૂ થવો જોઈએ. જો કે, આ નિયમ પણ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઉભી કરે છે.

Nitin-Gadkari
economictimes.indiatimes.com

નવા નિયમના અમલીકરણ અંગે, ગડકરીએ જણાવ્યું હતું કે, 100 ટકા જમીન સંપાદન ન થાય ત્યાં સુધી, 'નિયુક્ત તારીખ' એટલે કે બાંધકામ શરૂ કરવા માટેની ઔપચારિક તારીખ આપવી જોઈએ નહીં. 'નિયુક્ત તારીખ'નો અર્થ જમીન સંપાદન અને હાઇવે બાંધકામ માટે અન્ય તમામ મંજૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગઈ છે તેવો થાય છે. જો બધી જરૂરી મંજૂરીઓ મેળવ્યા પછી બાંધકામ શરૂ થાય છે, તો તે વિવાદો ઘટાડશે અને હાઇવે બાંધકામ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તેની ખાતરી કરશે.

Nitin-Gadkari4
hindi.dynamitenews.com

ગડકરીએ જણાવ્યું હતું કે, DPR તૈયાર કરનારા સલાહકારો હાઇવેની નબળી ગુણવત્તા માટે જવાબદાર છે. તેમણે સૂચન કર્યું હતું કે, નિવૃત્ત NHAI અધિકારીઓએ DPR તૈયાર કરતી કંપનીઓ સ્થાપિત કરવા માટે તેમના અનુભવનો ઉપયોગ કરવો જોઈએ. DPR કોઈપણ રોડ પ્રોજેક્ટ માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હોય છે. તેમાં બધી તકનીકી, નાણાકીય અને લોજિસ્ટિકલ વિગતો આપેલી હોય છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.