GST ઘટીને 0 થવા છતા 1-4% સુધી મોંઘા થઈ શકે છે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, જાણો કેવી રીતે

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 56મી GST કાઉન્સિલની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો 18% GST ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. આ પગલાને સામાન્ય ગ્રાહકો માટે રાહત માનવામાં આવી રહી છે, પરંતુ બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે તેના કારણે ઇન્શ્યોરન્સ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો લાભ મળતો બંધ થઈ જશે, જેના કારણે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 1-4% સુધી મોંઘુ થઈ શકે છે.

હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ પર GST લાંબા સમયથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. એક તરફ ઈન્ડસ્ટ્રી અને ગ્રાહકો તેના પર ટેક્સ ઘટાડવાની માગ કરી રહ્યા હતા. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો આવકમાં ઘટાડાના ડરથી ખચકાટ અનુભવી રહી હતી. બ્રોકરેજ ફર્મ Emkay ગ્લોબલે કહ્યું કે, GSTમાં ઘટાડો ગ્રાહકો માટે સારા સમાચાર છે, પરંતુ તેનાથી ઘણા સવાલો પણ ઉભા થયા છે. જેમ કે કઈ-કઈ પ્રોડક્ટ કેટેગરી પર તેની અસર થશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ને લઈને ઇન્શ્યોરન્સ કંપનીઓને કેવા પ્રકારની રાહત મળશે.

GST
business-standard.com

બ્રોકરેજ કંપનીઓનું કહેવું છે કે, શૂન્ય GSTના કારણે ગ્રાહકોનો પ્રીમિયમ ખર્ચ સીધો ઘટશે અને ઇન્શ્યોરન્સ કંપનીઓએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવો જ પડશે. એટલે કે ગ્રાહકોને હવે પ્રીમિયમ ચૂકવણી પર 18% વધારાનો GST ચૂકવવો નહીં પડે.

જોકે, હવે ઇન્શ્યોરન્સ કંપનીઓ સામે એક મોટો પડકાર ઉભો થઇ ગયો છે. અગાઉ તેઓ એજન્ટ કમિશન અને અન્ય સેવાઓ પર આપવામાં આવતા GSTને ITCના રૂપમાં એડજસ્ટ કરી લેતા હતા, પરંતુ હવે ટેક્સ શૂન્ય હોવાથી આ સુવિધા સમાપ્ત થઈ ગઈ છે અને કંપનીઓએ આ ખર્ચ જાતે ઉઠાવવો પડશે. કંપનીઓ ખર્ચની ભરપાઈ કરવા માટે બેઝ પ્રીમિયમ વધારી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ કંપની CLSAનું કહેવું છે કે, ઇન્શ્યોરન્સ કંપનીઓ પોતાના ખર્ચની ભરપાઈ કરવા માટે પ્રીમિયમમાં 1-4% વધારો કરી શકે છે. SBI Lifeનો ઓપરેટિંગ ખર્ચ સૌથી ઓછો છે. એવામાં શક્ય છે કે તેના પ્રીમિયમમાં સૌથી ઓછો વધારો થાય. છતા ગ્રાહકો માટે આ બોજ પહેલા કરતા ઓછો હશે કારણ કે હવે તેમને 18% GST ચૂકવવો નહીં પડે.

life insurance
cnbctv18.com

પ્રીમિયમ પર કેવી અસર થશે?

માની લો કે પોલિસીનું પ્રીમિયમ 100 રૂપિયા છે. અગાઉ તેના પર ગ્રાહક પાસેથી 18% GST જોડીને 118 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જો ઇન્શ્યોરન્સ કંપનીને તેમાં કમિશન અને અન્ય સેવાઓ પર 35 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો, તો તેના પર 6.3 રૂપિયા GST વસૂલવામાં આવતો હતો, જે 35 રૂપિયાના 18 ટકા છે. આ ITC દ્વારા એડજસ્ટ કરી લેવામાં આવતું હતું.

ઇન્શ્યોરન્સ કંપની 6.3 રૂપિયાની આ રકમ GST કલેક્શનમાંથી એડજસ્ટ કરી લેતી હતી અને સરકાર પાસે માત્ર 11.7 રૂપિયા જમા થતા હતા, પરંતુ હવે GST દૂર થયા બાદ ITC લાભ નહીં મળે. એટલે ઇન્શ્યોરન્સ કંપનીને પોતાનો ખર્ચ કાઢવા માટે પ્રીમિયમ વધારીને 106.3 રૂપિયા કરવું પડી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.