છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ નામ આપાવમાં આવ્યું છે. જેનું રવિવારે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. રિલાયન્સના મુકેશ અંબાણીએ આગામી 5 વર્ષમાં 7 લાખ કરોડ, અદાણીએ કચ્છમાં 1.50 લાખ કરોડ અને રાજકોટની જ્યોતિ CNCએ 10000 કરોડના રોકાણની જાહેરાત કરી.
સવાલ એ થાય છેકે 2003થી દર બે વર્ષ આયોજિત થતી વાઇબ્રન્ટ સમિટમાં લાખો કરોડો રૂપિયાના MOU તો થાય છે, પરંતુ શું ખરેખર વાસ્તવિક રોકાણ આવે છે ખરુ? સરકાર કહે છે કે 90થી93 ટકા આવે છે. પંરતુ મીડિયા રિપોર્ટસમાં કહેવાયું છે કે, 65 ટકા કરતા પણ ઓછું વાસ્તવિક રોકાણ આવે છે.