આખરે કેમ ઓલા ઇલેક્ટ્રિકના શેર એક દિવસમાં 10 ટકા ભાગ્યા? શું છે કારણ

શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. કંપનીના શેર 10%ની અપરની સર્કિટે પહોંચ્યા અને 34.40 રૂપિયા પર ટ્રેડ થયા. કંપનીએ જાહેરાત કરી કે તેના સંસ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના અંગત શેરનો એક હિસ્સો વેચીને 260 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દીધું છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ગીરવે મૂકેલા 3.93% શેર હવે પૂરી રીતે રીલિઝ થઈ ચૂક્યા છે. આ પગલાથી ગીરવે મૂકેલા શેર સાથે સંકળાયેલા જોખમો દૂર થઇ ગયા છે, જેનાથી રોકાણકારોને રાહત મળી છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ એક વખતની પ્રક્રિયા હતી, જે માત્ર પ્રમોટરના વ્યક્તિગત દેવાને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. તે કંપનીના બિઝનેસ, સંચાલન અથવા ભાવિ રણનીતિ પર કોઈ અસર નહીં પડે. આ ડીલ બાદ પણ, પ્રમોટર ગ્રુપ પાસે ઓલા ઇલેક્ટ્રિકમાં 34.6% હિસ્સો છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ પગલું પ્રમોટરના હિસ્સામાં ઘટાડો અથવા કંપનીમાંથી બહાર નીકળવાનો સંકેત આપતું નથી, પરંતુ નાણાકીય વ્યવસ્થાપનનો એક હિસ્સો છે.

Ola-Electric4
financialexpress.com

ઓલા ઇલેક્ટ્રિકનો શેર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહ્યો હતો. માત્ર ત્રણ સત્રમાં 17% ઘટાડો નોંધાયો. અહી સુધી કે શેર 30.76 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પણ પહોંચી ગયા હતા. તાજેતરમાં જ, ભાવિશ અગ્રવાલે સતત 3 દિવસ પોતાના શેર વેંચ્યા, જેની કુલ કિંમત લગભગ 324 કરોડ રૂપિયા હતી. આનાથી બજારમાં ચિંતા વધી કે પ્રમોટર કંપનીથી પોતાને દૂર કરી રહ્યા હશે. જોકે, ગીરવે મૂકેલા શેર રીલિઝ થયાના સમાચાર બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ.

ઇલેક્ટ્રિક વાહન બજારમાં માંગ ધીમી પડી ગઈ છે અને પ્રતિસ્પર્ધા વધી રહી છે. સોફ્ટબેન્ક અને કેટલાક ઓટોમોટિવ ભાગીદારો જેવા મુખ્ય રોકાણકારોના બહાર નીકળવાથી રોકાણકારોની ચિંતામાં વધુ વધારો થયો છે. એવા માહોલમાં ગીરવે મૂકેલા શેર રીલિઝ થવાથી કંપની પર મોટું દબાણ ઓછું થયું છે. બજાર નિષ્ણાતો તેને ગવર્નેન્સના દૃષ્ટિકોણથી સકારાત્મક સંકેત માની રહ્યા છે.

Ola-Electric1
favouriteauto.com

ઓલા ઇલેક્ટ્રિકે પુનરાવર્તિત કર્યું કે, તેનું ફોકસ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને ક્લીન ઊર્જાને આગળ વધારવા પર છે. કંપનીનું કહેવું છે કે, પ્રમોટરનું શેર વેચાણ પૂરી રીતે વ્યક્તિગત સ્તર પર હતું અને કંપનીના સંચાલન અથવા લાંબા ગાળાની યોજનાઓ પર તેની કોઈ અસર નહીં થાય.

About The Author

Related Posts

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.