આખરે કેમ ઓલા ઇલેક્ટ્રિકના શેર એક દિવસમાં 10 ટકા ભાગ્યા? શું છે કારણ

શુક્રવાર, 19 ડિસેમ્બરના રોજ ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. કંપનીના શેર 10%ની અપરની સર્કિટે પહોંચ્યા અને 34.40 રૂપિયા પર ટ્રેડ થયા. કંપનીએ જાહેરાત કરી કે તેના સંસ્થાપક ભાવિશ અગ્રવાલે તેમના અંગત શેરનો એક હિસ્સો વેચીને 260 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દીધું છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ગીરવે મૂકેલા 3.93% શેર હવે પૂરી રીતે રીલિઝ થઈ ચૂક્યા છે. આ પગલાથી ગીરવે મૂકેલા શેર સાથે સંકળાયેલા જોખમો દૂર થઇ ગયા છે, જેનાથી રોકાણકારોને રાહત મળી છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ એક વખતની પ્રક્રિયા હતી, જે માત્ર પ્રમોટરના વ્યક્તિગત દેવાને દૂર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. તે કંપનીના બિઝનેસ, સંચાલન અથવા ભાવિ રણનીતિ પર કોઈ અસર નહીં પડે. આ ડીલ બાદ પણ, પ્રમોટર ગ્રુપ પાસે ઓલા ઇલેક્ટ્રિકમાં 34.6% હિસ્સો છે. કંપનીએ સ્પષ્ટતા કરી કે આ પગલું પ્રમોટરના હિસ્સામાં ઘટાડો અથવા કંપનીમાંથી બહાર નીકળવાનો સંકેત આપતું નથી, પરંતુ નાણાકીય વ્યવસ્થાપનનો એક હિસ્સો છે.

Ola-Electric4
financialexpress.com

ઓલા ઇલેક્ટ્રિકનો શેર છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટી રહ્યો હતો. માત્ર ત્રણ સત્રમાં 17% ઘટાડો નોંધાયો. અહી સુધી કે શેર 30.76 રૂપિયાના રેકોર્ડ નીચા સ્તરે પણ પહોંચી ગયા હતા. તાજેતરમાં જ, ભાવિશ અગ્રવાલે સતત 3 દિવસ પોતાના શેર વેંચ્યા, જેની કુલ કિંમત લગભગ 324 કરોડ રૂપિયા હતી. આનાથી બજારમાં ચિંતા વધી કે પ્રમોટર કંપનીથી પોતાને દૂર કરી રહ્યા હશે. જોકે, ગીરવે મૂકેલા શેર રીલિઝ થયાના સમાચાર બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ.

ઇલેક્ટ્રિક વાહન બજારમાં માંગ ધીમી પડી ગઈ છે અને પ્રતિસ્પર્ધા વધી રહી છે. સોફ્ટબેન્ક અને કેટલાક ઓટોમોટિવ ભાગીદારો જેવા મુખ્ય રોકાણકારોના બહાર નીકળવાથી રોકાણકારોની ચિંતામાં વધુ વધારો થયો છે. એવા માહોલમાં ગીરવે મૂકેલા શેર રીલિઝ થવાથી કંપની પર મોટું દબાણ ઓછું થયું છે. બજાર નિષ્ણાતો તેને ગવર્નેન્સના દૃષ્ટિકોણથી સકારાત્મક સંકેત માની રહ્યા છે.

Ola-Electric1
favouriteauto.com

ઓલા ઇલેક્ટ્રિકે પુનરાવર્તિત કર્યું કે, તેનું ફોકસ ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી અને ક્લીન ઊર્જાને આગળ વધારવા પર છે. કંપનીનું કહેવું છે કે, પ્રમોટરનું શેર વેચાણ પૂરી રીતે વ્યક્તિગત સ્તર પર હતું અને કંપનીના સંચાલન અથવા લાંબા ગાળાની યોજનાઓ પર તેની કોઈ અસર નહીં થાય.

About The Author

Related Posts

Top News

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ યોગ્ય સમય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજકોટ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ને સંબોધિત કરી હતી. વર્ષ 2026માં ગુજરાતની પોતાની પ્રથમ મુલાકાતે...
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ માટે આ જ યોગ્ય સમય છે

ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!

હાલમાં ઠંડી પોતાની ચરમસીમાએ પહોંચી છે. કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ ડિગ્રી સુધી ઘટી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ 1-2...
National 
ભિક્ષા માંગીને ભેગા કરેલા પૈસાથી 500 લોકોને ધાબળા વહેંચ્યા, PM પણ તેની ઉદારતાથી થયા પ્રભાવિત!
Copyright (c) Khabarchhe All Rights Reserved.