અદાણી કેસ મામલે SEBIની મોટી જાહેરાત, નિર્મલા સીતારમણને...

અદાણી ગ્રુપના શેરમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) આ અઠવાડિયે નાણા મંત્રાલયને અદાણી ગ્રૂપની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ની તપાસ અંગે અપડેટ આપશે. SEBI બોર્ડ 15 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને મળીને તપાસ અંગે અપડેટ આપશે.

અહીં તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, ગયા અઠવાડિયે અદાણી ગ્રૂપના કેટલાક શેર્સમાં થોડો વધારો થયો હતો, પરંતુ હમણાં ઘણી કંપનીઓના શેરમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી છે.

સૂત્રોને ઉલ્લેખીને મળેલા અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના ઘટાડા દરમિયાન રેગ્યુલેટર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ અંગે SEBI બોર્ડ નાણાં પ્રધાનને જાણ કરશે. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી અદાણી ગ્રુપે માર્કેટ વેલ્યુએશનમાં 100 બિલિયન ડૉલરનું નુકસાન કર્યું છે.

કંપનીના ઘટતા શેરને કારણે, ગ્રૂપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી FPO પાછી ખેંચી લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SEBI ઓફશોર ફંડ ફ્લોની તપાસ અંગે પણ નાણા મંત્રાલયને અપડેટ આપશે.

SEBI અદાણી ગ્રુપના શેરબજારના રૂટની સઘન તપાસ કરી રહી છે. તે અદાણી ગ્રૂપની બિઝનેસ પેટર્ન, રદ કરાયેલા FPOમાં અનિયમિતતા અને ગ્રૂપના ઓફશોર ફંડની તપાસ કરી રહી છે. અદાણી ગ્રૂપના શેરના ભાવમાં થતો ઉતાર-ચઢાવ (અસ્થિરતા) નિયંત્રણમાં રહે તે માટે SEBIએ તાજેતરમાં કેટલાક પગલાં લીધાં હતાં.

હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીભર્યા વ્યવહારો, લોન સહિત શેરમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં 88 પ્રશ્નો દ્વારા અનેક દાવા પણ કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપે તેના 413 પાનાના જવાબમાં આ આરોપોને ફગાવી દીધા છે. અદાણી જૂથે 88માંથી 68 પ્રશ્નોને બનાવટી જાહેર કર્યા છે. અદાણી ગ્રૂપ વતી એવું કહેવામાં આવ્યું હતું કે, 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નો બનાવટી અને ગેરમાર્ગે દોરનારા છે. કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે, હિંડનબર્ગનો રિપોર્ટ 'ખોટી માહિતી અને ખોટા આરોપો'ના આધારે બનાવવામાં આવ્યો છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.