ભારતનો ઈરાન સાથે કેટલો વેપાર છે? જાણો ટ્રમ્પના એક્સ્ટ્રા 25% ટેરિફની જાહેરાતથી ભારત પર શું અસર થશે

અમેરિકાએ ફરી એકવાર ટેરિફને હથિયાર તરીકે ઉપયોગ કરીને વૈશ્વિક વેપારમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધારાનો 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે આ નિર્ણયને તાત્કાલિક પ્રભાવી, અંતિમ અને નિર્ણાયક ગણાવ્યો છે. આનાથી પ્રશ્ન ઉભો થાય થવો વાજબી છે કે, શું ઈરાન સાથે આર્થિક સંબંધો ધરાવતા દેશો પણ આ દબાણથી પ્રભાવિત થશે? ભારત એવા દેશોમાંથી એક છે, જેનો ઈરાન સાથે જૂનો અને રણનીતિક વ્યાપારિક સંબંધ રહ્યો છે.

ભારત-ઈરાન વેપારની સ્થિતિ

સૌથી પહેલા ભારત-ઈરાન વેપારની તસવીર સમજીએ. વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 1.68 અબજ ડોલરનો હતો. તેમાંથી, ભારતે લગભગ 1.24 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે ઈરાને 0.44 અબજ ડોલરની આયાત કરી હતી. એટલે કે ભારતને આ વેપારમાં લગભગ 0.80 અબજ ડોલર સરપ્લસ મળ્યો. જોકે, આ આંકડો પાછલા વર્ષો કરતા ખૂબ ઓછો છે. ભારત-ઈરાન વેપાર, જે 2018-19માં લગભગ 17 અબજ ડોલરની ટોચે હતો, તે અમેરિકન પ્રતિબંધો બાદ ઝડપથી ઘટી ગયો.

trump
aajtak.in

ભારત મુખ્યત્વે ઈરાનથી પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલિયમ કોક, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો, સૂકા ફળો, સફરજન અને બિટુમેન આયાત કરે છે. ભારત ઈરાનને જે મુખ્ય નિકાસ કરે છે તેમાં બાસમતી ચોખા, ચા, ખાંડ, કેળા, દવાઓ, કઠોળ અને માંસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઈરાન ભારતીય બાસમતી ચોખા માટે ખાસ કરીને મોટું બજાર છે, જે લાખો ખેડૂતોની આજીવિકા સાથે જોડાયેલુ છે.

ભારત પર સંભવિત અસર

આ ટેરિફ ઈરાન સાથે વેપાર કરતા દેશો માટે અમેરિકા સાથેના વેપાર પર લાગૂ થશે. ભારત ઈરાનનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, એટલે આ તેની અસર ભારતના અમેરિકન નિકાસ પર પણ પડી શકે છે, જોકે અમેરિકન સરકારે હજુ સુધી પરિસ્થિતિને પૂરી રીતે સ્પષ્ટ કરી નથી. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ પહેલાથી જ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે.

Trade1
livemint.com

જો ઈરાન સાથેના વેપાર પર વધારાનો 25% ટેક્સ પણ લાદવામાં આવે છે, તો કુલ ટેરિફ 75% સુધી પહોંચી શકે છે. આનાથી અમેરિકામાં ભારતીય સામાનની કિંમત વધશે, નિકાસ ઘટશે અને અર્થતંત્ર પર દબાણ વધશે. ઈરાનથી થતી આયાત પણ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે કંપનીઓ જોખમ ટાળવાનો પ્રયાસ કરશે. જોકે, અમેરિકન પ્રતિબંધોને કારણે, ભારતનો ઈરાન સાથેનો મોટાભાગનો વેપાર સીધો નહીં, પરંતુ ત્રીજા દેશો દ્વારા થાય છે, જેથી અસર મર્યાદિત કરી શકે છે. ભારતે પહેલાથી જ વૈકલ્પિક માર્ગો અપનાવ્યા છે. રશિયાની જેમ, ઈરાન પાસેથી તેલ ખરીદી ચાલુ રહી શકે છે, પરંતુ તેનો ખર્ચ વધશે.

About The Author

Related Posts

Top News

વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 14 જાન્યુઆરીએ રાજકોટમાં બીજી વન-ડે રમાશે. ભારતે વડોદરામાં પહેલી વન-ડે 4 વિકેટથી જીતી હતી, જેમાં...
Sports 
વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરતા પહેલા શું કરે છે? રાજકોટ વન-ડે અગાઉ ખુલાસો

10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી

હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે સરકાર કડક બની છે. ડિલિવરી બોય્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ...
Business 
10 મિનિટની ડિલિવરીને સરકારની લાલબત્તી, મંત્રીએ બ્લિન્કીટ, ઝોમેટો અને સ્વિગી સાથે વાત કરી

હવે કાગળકામની ઝંઝટ ખતમ! જર્મનીએ ભારતીયો માટે ટ્રાન્ઝિટ વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપી

જર્મન સરકારે ભારતીય પાસપોર્ટ ધરાવતા મુસાફરો માટે વિઝા-મુક્ત ટ્રાન્ઝિટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે ભારતથી...
National 
હવે કાગળકામની ઝંઝટ ખતમ! જર્મનીએ ભારતીયો માટે ટ્રાન્ઝિટ વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપી

સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય

તેલંગાણામાં વૃદ્ધ માતા-પિતાને સતાવવા બાળકોને હવે ભારે પડશે. સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે, જે હેઠળ એ સરકારી...
National 
સરકારી નોકરી કરતા બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ નહીં રાખે તો 10% પગાર કપાશે, આ રાજ્ય સરકારનો નિર્ણય
Copyright (c) Khabarchhe All Rights Reserved.