ભારતનો ઈરાન સાથે કેટલો વેપાર છે? જાણો ટ્રમ્પના એક્સ્ટ્રા 25% ટેરિફની જાહેરાતથી ભારત પર શું અસર થશે

અમેરિકાએ ફરી એકવાર ટેરિફને હથિયાર તરીકે ઉપયોગ કરીને વૈશ્વિક વેપારમાં હલચલ મચાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર વધારાનો 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે આ નિર્ણયને તાત્કાલિક પ્રભાવી, અંતિમ અને નિર્ણાયક ગણાવ્યો છે. આનાથી પ્રશ્ન ઉભો થાય થવો વાજબી છે કે, શું ઈરાન સાથે આર્થિક સંબંધો ધરાવતા દેશો પણ આ દબાણથી પ્રભાવિત થશે? ભારત એવા દેશોમાંથી એક છે, જેનો ઈરાન સાથે જૂનો અને રણનીતિક વ્યાપારિક સંબંધ રહ્યો છે.

ભારત-ઈરાન વેપારની સ્થિતિ

સૌથી પહેલા ભારત-ઈરાન વેપારની તસવીર સમજીએ. વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ 1.68 અબજ ડોલરનો હતો. તેમાંથી, ભારતે લગભગ 1.24 અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે ઈરાને 0.44 અબજ ડોલરની આયાત કરી હતી. એટલે કે ભારતને આ વેપારમાં લગભગ 0.80 અબજ ડોલર સરપ્લસ મળ્યો. જોકે, આ આંકડો પાછલા વર્ષો કરતા ખૂબ ઓછો છે. ભારત-ઈરાન વેપાર, જે 2018-19માં લગભગ 17 અબજ ડોલરની ટોચે હતો, તે અમેરિકન પ્રતિબંધો બાદ ઝડપથી ઘટી ગયો.

trump
aajtak.in

ભારત મુખ્યત્વે ઈરાનથી પેટ્રોલિયમ ગેસ, પેટ્રોલિયમ કોક, ઓર્ગેનિક અને અકાર્બનિક રસાયણો, સૂકા ફળો, સફરજન અને બિટુમેન આયાત કરે છે. ભારત ઈરાનને જે મુખ્ય નિકાસ કરે છે તેમાં બાસમતી ચોખા, ચા, ખાંડ, કેળા, દવાઓ, કઠોળ અને માંસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ઈરાન ભારતીય બાસમતી ચોખા માટે ખાસ કરીને મોટું બજાર છે, જે લાખો ખેડૂતોની આજીવિકા સાથે જોડાયેલુ છે.

ભારત પર સંભવિત અસર

આ ટેરિફ ઈરાન સાથે વેપાર કરતા દેશો માટે અમેરિકા સાથેના વેપાર પર લાગૂ થશે. ભારત ઈરાનનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે, એટલે આ તેની અસર ભારતના અમેરિકન નિકાસ પર પણ પડી શકે છે, જોકે અમેરિકન સરકારે હજુ સુધી પરિસ્થિતિને પૂરી રીતે સ્પષ્ટ કરી નથી. તમને જણાવી દઈએ કે, અમેરિકાએ પહેલાથી જ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે.

Trade1
livemint.com

જો ઈરાન સાથેના વેપાર પર વધારાનો 25% ટેક્સ પણ લાદવામાં આવે છે, તો કુલ ટેરિફ 75% સુધી પહોંચી શકે છે. આનાથી અમેરિકામાં ભારતીય સામાનની કિંમત વધશે, નિકાસ ઘટશે અને અર્થતંત્ર પર દબાણ વધશે. ઈરાનથી થતી આયાત પણ પ્રભાવિત થઈ શકે છે, કારણ કે કંપનીઓ જોખમ ટાળવાનો પ્રયાસ કરશે. જોકે, અમેરિકન પ્રતિબંધોને કારણે, ભારતનો ઈરાન સાથેનો મોટાભાગનો વેપાર સીધો નહીં, પરંતુ ત્રીજા દેશો દ્વારા થાય છે, જેથી અસર મર્યાદિત કરી શકે છે. ભારતે પહેલાથી જ વૈકલ્પિક માર્ગો અપનાવ્યા છે. રશિયાની જેમ, ઈરાન પાસેથી તેલ ખરીદી ચાલુ રહી શકે છે, પરંતુ તેનો ખર્ચ વધશે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.