અમદાવાદના રસ્તા પર ખૂલ્લેઆમ ફાયરિંગ કરનાર જાણો કોણ નિકળ્યો

ગુજરાતના અમદાવાદમા આવેલા મણિનગરના એક જ્વેલરી શો-રૂમમાં લોકોની સતર્કતાને કારણે જરા વારમાં કરોડો રૂપિયાની લૂંટ થતા બચી ગઇ હતી. પિસ્તોલ લઇને ઝવેરીના શો-રૂમમાં લૂંટના ઇરાદે ઘુસેલા લૂંટારાને લોકોએ લૂંટ કરે તે પહેલાં જ દબોચી લીધો હતો, જો કે ગભરાઇ ગયેલા લૂંટારાએ એક રાઉન્ડ ફાયરીંગ પણ કરી દીધુ હોવાનું જાણવા મળ્યું છે.જો કે કોઇ જાનહાની કે લૂંટની ઘટના બની નથી તેથી બધાએ હાશકારો અનુભવ્યો છે. પકડાયેલો આરોપી પોતાને ભારતીય આર્મીનો જવાન હોવાનું કહી રહ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ મણીનગરમાં એક ઝવેરીની દુકાનમાં પિસ્તોલ સાથે એક લૂંટારુ ઘુસી ગયો હતો,જ્વેલર્સે લૂંટારુનો પ્રતિકાર કરતા અને બુમાબુમ કરી મુકતા લૂંટારુ ભાગી છુટ્યો હતો. સ્થાનિક લોકો તેને પકડવા દોડ્યા ત્યારે તેણે એક રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું, જો કે સદનસીબે ગોળી કોઇને વાગી નહોતી, લોકોએ હિંમત કરીને લૂંટારુને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

પોલીસની પુછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે મૂળ જયપુરનો રહેવાસી છે અને છેલ્લાં 5 વર્ષથી ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવે છે. હાલ તેનું પોસ્ટિગં જમ્મુ-કાશ્મીરમાં હોવાનો આરોપીએ દાવો કર્યો છે.પોલીસે કહ્યું હતું કે, આરોપીનું નામ લોકેન્દ્ર શેખાવત હોવાનું તેણે કહ્યું છે.આરોપીએ પોલીસને કહ્યુ હતું કે તેના માથે દેવું વધી જવાને કારણે તે લૂંટ કરવાના ઇરાદે અમદાવાદ આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં આરોપીએ કહ્યું હતું કે તે ગઇ કાલે સાંજે જયુપરથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો અને એ પછી અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. આરોપીએ કહ્યું કે તેણે દિવસ ભર રેકી કરી હતી અને સાંજે ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેની પાસેની પિસ્ટોલ વિશે જ્યારે પોલીસે પુછ્યું તો તેણે રસ્તામાંથી મળી હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ પોલીસને આરોપી પર શંકા છે.

Rishabh Pant Accident: What eye-witness said who rescued Pant, reveals  chilling details - Rishabh Pant Accident: What eye witness said who rescued  Pant, reveals chilling details -

પોલીસે અત્યારે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પાસેથી પિસ્તોલ અને 3 કારતૂસ જપ્ત કરી લેવામાં આવ્યા છે. પોલીસ આરોપીના આર્મી સેવાના દાવાની પણ તપાસ કરશે. આરોપી વિરુદ્ધ લૂંટનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતની કલમો લગાનીને પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ, ઝવેરી અને સ્થાનિક લોકો તમામ માટે એ વાતનો હાશકારો હતો કે ઝવેરીની દુકાનમાંથી કશું લૂંટાયું નથી અને કોઇ જાનહાની થઇ નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.