ભારત-પાકિસ્તાનની મેચમાં શું વરસાદ પડવાની આગાહી છે, જાણો શું કહે છે હવામાન વિભાગ

ભારત-પાકિસ્તાન(India Vs Pakistan)ની મેચને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે. લોકો આતુરતાથી 14 તારીખની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ મહામુકાબલો યોજાવાનો છે. પરંતુ આ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ઝટકાસમાન સમાચાર સામે આવ્યા છે, જે મુજબ મેચના દિવસે વરસાદ વિઘ્ન બની શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, 14 તારીખે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14-15 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદ(Ahmedabad)ના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેવાની સંભાવના છે, પરંતુ અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબરે વરસાદ પડી શકે છે. આકાશમાં વાદળા છવાયેલા રહેશે. તેના બીજા દિવસે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડટી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.

દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડીયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 14 ઓકટોબર, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે રોમાંચક મેચ રમાવવાની છે, દેશ અને દુનિયાના ક્રિક્રટે ચાહકો આ મેચ જોવા માટે અમદાવાદમાં આવવાના છે. સ્ટેડિયમમાં 1.30 લાખ પ્રેક્ષકોની ક્ષમતા છે. ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત આમ તો 5 ઓકટોબરે થઇ હતી, પરંતુ તે વખતે કોઇ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો, પરંતુ 14 ઓકટોબરે મેચ પહેલાં ભવ્ય સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે જાહેરાત કરી છે કે ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પહેલા એક સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લિજેન્ડ સિંગર શંકર મહાદેવન સિવાય અરિજીત સિંહ અને સુખવિંદર સિંહ પરફોર્મ કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.BCCI X પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે.

ભારત-પાકિસ્તાન મેચમાં ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરવા માટે અમિતાભ બચ્ચન, સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, આકાશ અંબાણી, નીતા અંબાણી હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેની શક્યતા છે.

ICCએ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્સેડર સચિન તેડુંકલકરને બનાવ્યો છે. સચિન તેના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં હાજર રહેશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.