હાર્દિક-કોંગ્રેસ પર નીતિન પટેલ ત્રાટક્યા: મૂર્ખાઓની વાત મૂર્ખાઓએ સ્વીકારી

હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાર્દિક અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા. નીતિન પટેલે કહ્યું કે બંધારણમાં ક્યાંય પણ અનામતને 49 ટકા કરતા વધારે અનામત આપવાનું લખાયું નથી. સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચૂકાદા પ્રમાણે હવે વધુ અનામત આપી શકાય નહી.

નીતિન પટેલે કહ્યુંકે કોંગ્રેસનાં નેતા અને સુપ્રિમ કોર્ટનાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હાર્દિકનો પ્રસ્તાવ છે. હવે કોણ સાચો છે એ હાર્દિક જાહેર કરે. હાર્દિકે પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરે. હાર્દિક હવામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ સાથે હાર્દિકનું મેળાપીપણું છે. હાર્દિક કોંગ્રેસની સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે. 50 ટકા કરતા વધુ અનામત આપી શકાય એવી કોંગ્રેસ સ્ટોરી વાંચી રહ્યો છે.

તેમણે કહ્યું કે હાર્દિક હજુ નાનો છે. નાસમજ છે. ઈન્દ્રાસહાની કેસમાં 1993માં આપવામાં આવેલા ચુકાદા પ્રમાણે 50 ટકા કરતા વધારે અનામત આપી શકાય નહી. મૂર્ખાઓએ દરખાસ્ત આપી અને મૂર્ખાઓએ દરખાસ્ત સ્વીકારી. હાર્દિક, તારા જેવા બહુ જોઈ લીધા છે. કોંગ્રેસમાં મૂર્ખાઓ ઓછા નથી. બાકી પાટીદાર સમાજ હોશિયાર જ છે. એની ચિંતા કરવાની જરૂર નથી. હાર્દિક પાસે કશું નથી, જે કંઈ પણ છે હોટેલોમાં છે. તે તો આખો દિવસ ફર્યા જ કરે છે.

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં 50 ટકા વધારે અનામત આપી શકાય નહી. હાર્દિક હજુ ઘણો નાનો છે અને તેણે રાજકારણ સમજવાની જરૂર છે. જો તેણે રાજકારણ શીખવું હોય તો મારી પાસે આવે. પાટીદાર સમાજ અને ગુજરાતને છેતરી રહ્યા છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે ટીકીટોને લઈ બબાલ ચાલી રહી છે. ભાજપ સરકારે 200 કરોડ રૂપિયા હાલ કરવામાં આવી છે અને તે પ્રમાણે બજેટમાં ભાજપે પછાત વર્ગ માટે જોગવાઈ કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દેશમાં 20થી 29 વર્ષની વયના 6.3 કરોડ સ્નાતકોમાંથી 1.1 કરોડ બેરોજગાર છે, અને બહુ ઓછા સ્નાતકોને સ્નાતક થયાના...
National 
દેશમાં 40 ટકા સ્નાતકોને નોકરી મળતી નથી; અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટમાં થયો ખુલાસો!

દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવાની ભૂખ અત્યારે લોકોના માથે કઈ હદે સવાર છે, તેનો એક અત્યંત ચોંકાવનારો...
National 
દીકરા-વહુએ વૃદ્ધ પિતાને કોથળામાં પૂરી પાર્સલ કરી દીધા, કુરિયર ઓફિસમાં પેકેટ ખોલતા...

RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં...
National 
RSS  મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

ઓડીએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કરી દીધી છે. કંપનીએ બ્રાન્ડની પ્રીમિયમ કાર ઓડી SQ8 લોન્ચ કરી છે. આ...
Tech and Auto 
Audi SQ8 લોન્ચ, 4 સેકન્ડમાં 100ની ઝડપ પકડે છે, પણ કિંમત છે અધધધ....

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.