કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડનું સમર્થન કર્યું, ગુજરાતમાં AAPનો વિરોધ

આમ આદમી પાર્ટીએ યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યું છે, પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પાર્ટી મજબૂત છે.છોટા ઉદેપુરમાં સમાન નાગરિક સંહિતાના વિરોધમાં AAPના આગેવાનો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું.

યુનિફોર્મ સિવિલ કોડ(UCC) લાગૂ કરવાની ચર્ચા વચ્ચે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વિરોધ સામે આવ્યો છે.જિલ્લાના આદિવાસી સંગઠનોએ જિલ્લા કલેક્ટરને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં એક આવેદન પત્ર આપ્યું હતુ. જેમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક કાયદાને કારણે આદિવાસીઓના અધિકારોને નુકશાન પહોંચશે. આદિવસી સંગઠનોના પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અજૂર્ન રાઠવા પણ સામેલ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુનિફોર્મ સિવિલ કોડને સમર્થન જાહેર કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાના સંકેત આપ્યા પછી છોટા ઉદેપુરમાં UCC સામે વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. જો કે, ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત સરકારે પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જાહેરાત કરી હતી અને એક કમિટીની રચના પણ કરી હતી.

આદિવાસી સંગઠનોએ UCC લાગૂ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. આદિવાસી સંગઠનોનું કહેવું છે કે, UCCને કારણે આદિવાસીઓના હકનો મોટુ નુકશાન થશે.તેમણે કહ્યું કે જો UCC લાગૂ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 આદિવાસી સંગઠનોની સાથે કલેકટર ઓફિસ પહોંચેલા આમ આદમી પાર્ટી, ગુજરાતના ઉપાધ્યક્ષ પ્રો. અર્જૂન રાઠવાએ કહ્યું કે સમાજ પાર્ટીથી ઉપર છે. તેઓ આદિવાસી સમાજની માંગને સમર્થન આપી રહ્યા છે.AAP નેતા અરવિંદ કેજરીવાલે UCCને સમર્થન જાહેર કર્યું છે, એવા સંજોગોમાં હવે જોવાનું એ રહેશે કે, ગુજરાતના નેતાના વિરોધ અંગે AAP હાઇકમાન્ડ કેવું વલણ અપનાવે છે?

છોટા ઉદેપુર આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. ગુજરાતમાં આદિવાસીઓની મોટી સંખ્યા છે. લોકસભાની 4 અને વિધાનસભાની 27 બેઠકો આદિવાસીઓ માટે આરક્ષિત છે.

છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં સારા મત મેળવ્યા હતા. AAP, ગુજરાતના નેતાએ તો ખુલીને સમર્થન આપ્યું છે, પરંતુ  ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ મગનું નામ મરી પાડ્યું નથી. છોટા ઉદેપુર લોકસભા અને 3 વિધાનસભા ભાજપના કબ્જામાં છે.જિલ્લાના મોટા આદિવાસી નેતા અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારાયણ રાઠવા પણ છોટા ઉદેપુરથી આવે છે. ગુજરાતમાં AAP નેતા ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.