17 દિવસની દીકરીને ICUમાં સારવાર માટે હોસ્પિટલમાં મુકી માતા-પિતા છૂમંતર

વડોદરામાં પોતાની બાળકીને સયાજીરાવ હોસ્પિટલમાં મુકીને માતા પિતા ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનો બનાવ બન્યો છે. પોતાની જ દીકરીને સારવારની ભાળ લીધા વિના તેને ICUમાં પથારીવસ મુકીને અને ત્યાંથી ફરાર થઈ ગયા છે. જન્મ બાદ નવજાતને બિમાર હોવાથી અહીં લાવ્યા હતા ત્યાર બાદ તેને હોસ્પિટલમાં આ હાલતમાં છોડી દીધી હતી. જો કે, હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે માતા પિતાને શોધવા માટે કવાયત હાથ ધરી છે.

આ તે કેવી માનવતા કેવાય કેમ કે એક તરફ પોતાના સંતાનો માટે માતા પિતા બધું ત્યજી દેતા હોય છે ત્યારે અહીં તો આ માતા પિતાએ જ પોતાની દીકરીને ત્યજી દઈ ફરાર થઈ ગયા હતા. સમાજમાં દીકરીઓ પ્રત્યે હજુ પણ આ પ્રકારે અણગમો હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલની અંદર 17 દિવસની દીકરી જન્મથી પછી બિમાર રહેવાથી સારવાર માટે લવાઈ હતી. જો પ્રાપ્ત વિગતો અનુસાર અહીં જ મહિલાએ તેમની દીકરીને જન્મ આપ્યો હતો. સારવારની જરૂર હોવાથી તેઓ બિમાર બાળકીને લઈને અહીં આવ્યા હતા પરંતુ સ્ટાફે જ્યારે માતા પિતાની થોડા સમય બાદ પૂછપરછ કરી તો તેઓ નહોતા ત્યારે નર્સિંગ સ્ટાફે આ મામલે રાવપુર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

બાળકીને તરછોડી દેનાર દંપતી વડોદરાના સાવલીના રસુલાપુરા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. નિયમ મુજબ  માતા-પિતાને અલગ રાખવામાં આવ્યા હતા. જોકે, અચાનક બાળકીના માતા-પિતા હોસ્પિટલના સ્ટાફને જાણ કર્યા વગર જ નીકળી ગયા હતા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા બાળકીના પરિવારના સભ્યોની આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈ દેખાયું નહોતું.

જોકે, યુવતીના સગા-સંબંધીઓ મળી શક્યા ન હતા. આથી સમગ્ર મામલે હોસ્પિટલના સ્ટાફ દ્વારા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી રાવપુરા પોલીસે બાળકીના માતા-પિતાની શોધખોળ શરૂ કરી હતી. આ સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ દંપતી બાળકને છોડીને જવાનું કારણ શું હોઈ શકે છે.

About The Author

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.