8 દિવસમાં કોરોનાના 200% વધ્યા કેસ, ચીફ જસ્ટિસે વકીલોને આપી આ છૂટ

દેશમાં કોરોના વાયરસની ચોથી લહેરની અસર ઝડપથી વધતી જઈ રહી છે. રોજિંદા કોરોનાના કેસનો આંકડો બુધવારે સવારે 163 દિવસ બાદ પહેલી વખત 4 હજારને પાર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4435 નવા કોરોનાના નવા કેસ નોંધાયા છે. સાથે જ ડેઇલી એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા પણ 23,091 થઈ ગઈ છે. કોરોનાના ડેઇલી કેસ અને એક્ટિવ કેસનો આંકડો છેલ્લા 8 દિવસ દરમિયાન જ 200  ટકા સુધી વધી ચૂક્યો છે. એવામાં ફરીથી પરિસ્થિતિ ખતરનાક થતી દેખાઈ રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સુપ્રીમ કોર્ટે બુધવારે એક મોટી પહેલ કરી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે વકીલોને વર્ચુઅલ રીતે એટલે કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કામ કરવાની મંજૂરી આપી દીધી છે. દેશમાં છેલ્લી વખત 20 માર્ચના રોજ 1000 કરતા ઓછા ડેઇલી કેસ નોંધાયા હતા. ત્યારબાદ રોજ મળતા કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કે, 27 માર્ચ સુધી એ સંખ્યા ડેઇલી 2 હજારથી ઓછી હતી. 28 માર્ચના રોજ 2151 નવા દર્દી સામે આવ્યા હતા. ત્યારબાદ માત્ર 31 માર્ચને છોડીને ડેઇલી કોરોનાના નવા કેસો 3 હજારથી વધારે રહી છે.

માત્ર 8 દિવસ બાદ એટલે કે બુધવારે આ આંકડો 2151 થી 200 ટકા ઊછળીને 4435 પર પહોંચી ગયો છે. આ પ્રકારે દેશમાં 28 માર્ચના રોજ 11 હજાર 903 ડેઇલી એક્ટિવ કેસ નોંધાયા હતા એટલે કે એટલા કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઈ રહી હતી. આ આંકડો પણ 8 દિવસમાં 200 ટકા ઊછળીને બુધવારે 23 હજાર 91 પર પહોંચી ગયો છે. દેશમાં બુધવારે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 15 રહી. તે 5 માર્ચના રોજ શૂન્ય મોત નોંધાયા બાદ એક મહિના દરમિયાન એક દિવસમાં સૌથી વધુ મોત છે. આ અગાઉ 29 માર્ચના રોજ 14 લોકોના મોત કોરોના વાયરસની જટિલતાઓના કારણે થયા હતા.

દેશમાં 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી 4 દિવસમાં 40 લોકોના મોત થયા છે એટલે કે કોરોના વાયરસથી થનારી મોત 200 ટકા વધી ગઈ છે. કોરોના વાયરસના આ ખતરનાક આંકડાઓને જોયા બાદ ચીફ જસ્ટિસ ડી.વાઇ. ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં હાઇબ્રીડ મોડમાં કામકાજની વ્યવસ્થા લાગૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે બુધવારે પોતાના આદેશમાં કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સના હિસાબે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં જો વકીલ ઈચ્છે તો હાઇબ્રીડ મોડમાં કામ કરી શકે છે. તેઓ કોર્ટ આવવા ઈચ્છે તો આવે, નહિતર હાઇબ્રીડ મોડમાં કામ કરી શકે છે. તેઓ કોર્ટ આવવા માગે છે તો આવે નહીં તો કોર્ટ સામે વર્ચુઅલ રીતે પોતાનો પક્ષ રાખી શકે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.