દેશમાં મળ્યો કોવિડનો XBB1.16 વેરિયન્ટ, આ રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યુ છે સંક્રમણ

દેશમાં કોરોના વાયરસના 76 સેમ્પલો કોરોના વાયરસના XBB1.16 વેરિયન્ટથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. તે દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારાનું કારણ હોય શકે છે. INSACOGના ફ્રેશ આંકડાઓના આધાર પર આ દાવો કરવામાં આવ્યો છે. INSACOGના આંકડાઓ મુજબ, કોરોના વાયરસનો આ નવો વેરિયન્ટ જે સેમ્પલોમાં મળ્યો છે તેમાંથી 30 કર્ણાટક, 29 મહારાષ્ટ્ર, 7 પૂડુંચેરી, 5 દિલ્હી, 2 તેલંગાણા, 1-1 સેમ્પલ ગુજરાત અને હિમાચલ પ્રદેશના છે.

કોરોના વાયરસનો XBB1.16 વેરિયન્ટ સૌથી પહેલા જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. જ્યારે બે સેમ્પલની તપાસમાં તે મળવાની પુષ્ટિ થઇ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં તેનાથી સંક્રમિત 59 સેમ્પલ મળ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ બનેલા ભારતીય સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)એ કહ્યું કે, માર્ચમાં આત્યાર સુધી 16 સેમ્પલોમાં XBB1.16 વેરિયન્ટની પુષ્ટિ થઇ છે. કેટલાક વિશેષજ્ઞ કોરોના મહામારી માટે નવા કેસોમાં હાલના વધારા માટે વાયરસના આ નવા વેરિયન્ટને જવાબદાર માની રહ્યા છે.

રાષ્ટ્રીય કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કરી ચૂકેલા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)ના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોરોના વાયરસના કેસોમાં વૃદ્ધિનું કારણ XBB1.16 વેરિયન્ટ પ્રતિત થાય છે, જ્યારે ઇન્ફ્લૂએન્જાના કેસો H3N2ના કારણે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ મેડિસિન, શ્વસન અને નીંદ ચિકિત્સા વિભાગના પ્રમુખ અને મેદાન્તામાં ચિકિત્સા શિક્ષણના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, આ બંને જ બાબતે કોરોના વાયરસનો ઉપયુક્ત વ્યવહાર સંક્રમણને ફેલાતા રોકવામાં મદદ કરી શકે છે.

મોટા ભાગના કેસો ગંભીર પ્રાકૃતિના નથી. એટલે વધારે ગભરવા કે ડરવાની વાત નથી. ઇન્ડિયન અકાદમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને બિજનૌર સ્થિત મંગલા હૉસ્પિટલ અને અનુસંધાન કેન્દ્રના બાળ રોગ વિશેષજ્ઞ વિપિન એમ. વશિષ્ઠે કહ્યું કે, નવા XBB1.16 વેરિયન્ટ ઓછામાં ઓછા 12 દેશોમાં મળ્યો છે અને તેના સૌથી વધુ કેસ ભારતમાં મળ્યા છે. અમેરિકા, બ્રૂનેઇ, સિંગાપુર અને બ્રિટનમાં પણ તેના કેસ મળ્યા છે.

વશિષ્ઠે ટ્વીટ કરી કે, ભારતમાં છેલ્લા 14 દિવસો દરમિયાન કોરોના વાયરસના નવા કેસોમાં 281 ટકા અને બીમારીથી મરનારાઓની સંખ્યામાં 17 ટકાનો વધારો થયો છે. ભારતમાં 126 દિવસ બાદ શનિવારે એક દિવસમાં મળનારા કોરોના સંક્રમણના કેસોની સંખ્યા 800ના આંકડાને પાર કરી ગઇ. દેશમાં સારવાર હેઠળ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5,389 થઇ ગઇ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.