AM/NS Indiaએ મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBA બેચનો પ્રારંભ કર્યો

વિશ્વના અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS) પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAની પ્રથમ બેચના પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ જુલાઇ 7, 2023થી શરૂ થઇ રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય સંસ્થામાં ટેક્નીકલ લીડરશીપની ભૂમિકા માટે યુવા ગ્રેજ્યુએટ એન્જિનિયરને તૈયાર કરવાનો છે.
AM/NS India નિરંતર શીખતા રહેવાની મહત્વતાને સમજે છે અને વિવિધ ક્ષમતા-નિર્માણ પહેલો દ્વારા તેના કર્મચારીઓની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBA યુવા એન્જિનિયર્સને પ્રોડક્શન અને ઓપરેશન્સ, સ્ટ્રેટેજીક પ્લાનિંગ, ટેક્નોલોજી મેનેજમેન્ટ અને રિસોર્સ ઓર્ગેનાઇઝેશનને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવા માટે સજ્જ કરવાનો છે, જેથી સ્પર્ધાત્મક લાભને જાળવી શકાય. AM/NS Indiaના વિવિધ કેન્દ્રો ઉપર સખત મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા આ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે.

શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે જાણીતી બિટ્સ પિલાની સાથેના સહયોગમાં એમબીએ ઇન મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં 4 સેમિસ્ટર્સનો સમાવેશ થાય છે, જેમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં 12 કોર્સિસ અને એક સેમિસ્ટર પ્રોજેક્ટ વર્કનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ આધુનિક ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ડિલિવર કરાશે, જેમાં અભ્યાસકર્તાઓને આધુનિક મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટના ખ્યાલો વિશે વ્યાપક સમજણ આપવામાં આવશે.

આ પ્રોગ્રામના ભાગરૂપે AM/NS Indiaના એન્જિનિયર્સને BITS પિલાનીના અનુભવી ફેકલ્ટીઝ પાસેથી અભ્યાસ કરવાની, નવીન મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટના માર્ગદર્શનો મેળવવાની તથા પોતાના કાર્યસ્થળ પર કાર્યક્ષમ વ્યવસાયિક પરિણામો પ્રાપ્ત કરવાની તક મળશે. વધુમાં વિદ્યાર્થીઓ BITS પિલાની કેમ્પસની ટૂંક સમયમાં મુલાકાત પણ કરી શકશે, જેથી તેમના અભ્યાસનો બમણો અનુભવ મળી શકે. એએમ/એનએસ ઈન્ડિયાએ સ્ટીલ ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં વર્ક-ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી અભ્યાસક્રમો ઓફર કરવા માટે જાણીતી સંસ્થાઓ સાથે ભાગીદારી સ્થાપી છે. આ ભાગીદારીમાં ગુજરાત સરકારની સ્કીલ યુનિવર્સિટી - કૌશલ્ય, બિટ્સ અને આઇઆઇટી બોમ્બેનો પણ સમાવેશ થાય છે.

AM/NS Indiaના હ્યુમન રિસોર્સિસ, આઇઆર અને એડમિનિસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટૂએ બિટ્સ પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAના પ્રારંભની જાહેર કરતાં જણાવ્યું હતું કે, “અમને પ્રતિભાશાળી કર્મચારીઓના સમૂહની રચના કરવામાં તથા અમારા ટેક્નીકલ લીડર્સને તૈયાર કરવા માટે BITS પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં 2 વર્ષના MBAની અમારી પ્રથમ બેચની જાહેરાત કરતાં ખુશી અનુભવાય છે. AM/NS India અગ્રણી સંસ્થાઓ દ્વારા કર્મચારીઓને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ કરાવવામાં માને છે અને આ ભાગીદારી આ દિશામાં એક મોટી પહેલ છે. BITS પિલાની એક પ્રતિષ્ઠિત સંસ્થાન છે, જે ઉચ્ચતમ ધોરણોનું ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ પ્રદાન કરવા માટે જાણીતી છે. તેના મજબૂત અભ્યાસક્રમ સાથે MBA પ્રોગ્રામ અમારા એન્જિનિયર્સને પડકારરૂપ અસાઇનમેન્ટનો સામનો કરવામાં તથા અમારી સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં મદદ કરશે.” મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAનો પ્રારંભ AM/NS India તેના કર્મચારીઓમાં રોકાણ કરવા અને સંસ્થામાં ભાવિ ટેક્નીકલ લીડર્સ વિકસાવવા માટેના સમર્પણને દર્શાવે છે. કર્મચારીઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમની એક્સેસ પ્રદાન કરીને કંપનીનો હેતુ સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગમાં મોખરે રહેવા અને તેની સ્પર્ધાત્મક સ્થિતિ જાળવી રાખવાનો છે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.