ગુજરાતના શિક્ષકો માટે આનંદના સમાચાર

રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-2018-19 માટે રાજ્ય સરકારે રૂ.90 કરોડની જોગવાઇ કરી હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી અથવા શિક્ષક કે શિક્ષિકા લાંબી રજાઓ પર જાય ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુસર વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વૈકલ્પિક અને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના ડિસેમ્બર-2015થી શિક્ષણ વિભાગે અમલમાં મૂકી છે. આ મુદત તા.21-12-2017ના રોજ પૂર્ણ થતાં આ યોજનાની ઉપયોગીતા જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઇને આ મુદત તા.31, માર્ચ-2019 સુધી લંબાવાઇ છે. 

About The Author

Related Posts

Top News

‘સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે, આમાંથી 1 કરોડ તમારા...’, હકાભા ગઢવીનો ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ

મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર...
Gujarat 
‘સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે, આમાંથી 1 કરોડ તમારા...’, હકાભા ગઢવીનો ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ

સોનમ-સિયા પછી, હવે રૂબી! પતિનું કાસળ કાઢી બાથરૂમમાં ખાડો કરી દફનાવી દીધો; 45 દિવસ પછી હાડપિંજર મળ્યું

સોનમ અને સિયાના કિસ્સાઓ પછી આગ્રાની રૂબીએ પણ તેના પતિનો જીવ લઇને તેને પોતાના જ ઘરના બાથરૂમમાં દફનાવી દીધો હતો....
National 
સોનમ-સિયા પછી, હવે રૂબી! પતિનું કાસળ કાઢી બાથરૂમમાં ખાડો કરી દફનાવી દીધો; 45 દિવસ પછી હાડપિંજર મળ્યું

'ભારતના પ્રવાસે ગયા પછી, મારા મગજમાં 38 પરોપજીવી જંતુઓ મળી આવ્યા'; બ્રિટીશ મહિલા બોલી- હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

બ્રિટનની લોરી ડેનમેન 19 વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવી હતી. તેણે ફૂડ પોઇઝનિંગ અથવા અન્ય કોઈપણ ઇન્ફેકશનથી બચવા માટે ખૂબ...
World 
'ભારતના પ્રવાસે ગયા પછી, મારા મગજમાં 38 પરોપજીવી જંતુઓ મળી આવ્યા'; બ્રિટીશ મહિલા બોલી- હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું

ડ્રાઇવિંગ ટેસ્ટમાં AIએ અરજદારોને લાઇસન્સ મેળવવામાં પરસેવો પડાવ્યો, 77 ટકા ચાલક નાપાસ

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં AIનો ઉપયોગ કરાઈ રહ્યો છે જેથી લાઇસન્સ લેનારની યોગ્યતા બરાબર ચકાસી શકાય. આ પ્રક્રિયાને...
Gujarat 
ડ્રાઇવિંગ ટેસ્ટમાં AIએ અરજદારોને લાઇસન્સ મેળવવામાં પરસેવો પડાવ્યો, 77 ટકા ચાલક નાપાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.