ભારત સાથે પંગો લેવાનું કેનેડાને ભારે પડશે, નહીં સુધરે તો 70 કરોડ ડોલરનું નુકશાન

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે એવું નિવેદન આપીને કેનેડાના પ્રધાનમંત્રી રીતસરના ભેરવાઇ  ગયા છે. ભારત સામેનો પંગો આટલો ભારી પડશે એવો કદાચ તેમને અંદાજ નહોતો.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે પંગો લીધો છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેમના જ દેશને સૌથી મોટું નુકસાન થવાનું છે. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચેના વિવાદને કારણે કેનેડા જતા વિદ્યાર્થીઓમાં ડર છે. આ કારણે તેમની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

કેનેડાના પ્રધાનમંત્રીએ જયારે આતંકવાદી સર્મથક હરદીપ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને એવી ધારણા નહોતી ભારત પણ આટલું જોરથી પલટવાર કરશે. ભારત સામે પંગો લઇને કેનેડાને હવે 70 કરોડ ડોલરનું મસમોટું નુકશાન થઇ શકે છે.

ઇમેજ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટે નિષ્કર્ષ કાઢ્યો છે કે વર્ષ 2024માં હાયર સ્ટડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર 5 ટકાનો પણ ઘટાડો આવે તો પણ કેનેડાને 70 કરોડ ડોલરનું નુકશાન થઇ શકે છે.

કેનેડામાં દર વર્ષે હાયર સ્ટડીમાં જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે. દર વર્ષે ભારતથી બે લાખ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ ઇમેજ ઇન્ડિયાના પ્રમુખ રોબિંદર સચદેવે કહ્યું કે,ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ત્રણ બેચમાં કેનેડા જાય છે. આ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં પ્રવેશ દરમિયાન ત્રીજા ભાગ અથવા 66,000 લોકો કેનેડા જાય છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ડર ઉભો થયો છે. જેને કારણે કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

પ્રમુખના કહેવા મુજબ,કેનેડામાં દરેક ભારતીય વિદ્યાર્થીનો સરેરાશ કુલ ખર્ચ 16000 ડોલર છે. તેમણે કહ્યું કે આમાં લેપટોપની ખરીદી, રહેવાની કિંમત, બેંક સિક્યોરિટી અને એર ટિકિટનો સમાવેશ થાય છે. બે વર્ષના અભ્યાસ અને આવાસનો કુલ ખર્ચ વિદ્યાર્થી દીઠ 53,000 ડોલર આવે છે. એક ભારતીય વિદ્યાર્થી બે વર્ષમાં કેનેડિયન અર્થતંત્રમાં અંદાજે 69,000 ડોલર આવે છે.

જો જાન્યુઆરી બેચ માટે નોંધણીમાં માત્ર 5 ટકાનો ઘટાડો થશે, તો તેના પરિણામે 230 મિલિયન ડોલરનું નુકસાન થશે. મે અને સપ્ટેમ્બરમાં અછતને કારણે 690 મિલિયન ડોલરનું નુકસાન થશે. આ સિવાય જ્યારે આ વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી નહીં કરે તો કેનેડાને 30 લાખ ડોલરનું પણ નુકસાન થશે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.