ભારત સાથે પંગો લેવાનું કેનેડાને ભારે પડશે, નહીં સુધરે તો 70 કરોડ ડોલરનું નુકશાન

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે એવું નિવેદન આપીને કેનેડાના પ્રધાનમંત્રી રીતસરના ભેરવાઇ  ગયા છે. ભારત સામેનો પંગો આટલો ભારી પડશે એવો કદાચ તેમને અંદાજ નહોતો.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે પંગો લીધો છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેમના જ દેશને સૌથી મોટું નુકસાન થવાનું છે. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચેના વિવાદને કારણે કેનેડા જતા વિદ્યાર્થીઓમાં ડર છે. આ કારણે તેમની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

કેનેડાના પ્રધાનમંત્રીએ જયારે આતંકવાદી સર્મથક હરદીપ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને એવી ધારણા નહોતી ભારત પણ આટલું જોરથી પલટવાર કરશે. ભારત સામે પંગો લઇને કેનેડાને હવે 70 કરોડ ડોલરનું મસમોટું નુકશાન થઇ શકે છે.

ઇમેજ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટે નિષ્કર્ષ કાઢ્યો છે કે વર્ષ 2024માં હાયર સ્ટડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર 5 ટકાનો પણ ઘટાડો આવે તો પણ કેનેડાને 70 કરોડ ડોલરનું નુકશાન થઇ શકે છે.

કેનેડામાં દર વર્ષે હાયર સ્ટડીમાં જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે. દર વર્ષે ભારતથી બે લાખ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ ઇમેજ ઇન્ડિયાના પ્રમુખ રોબિંદર સચદેવે કહ્યું કે,ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ત્રણ બેચમાં કેનેડા જાય છે. આ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં પ્રવેશ દરમિયાન ત્રીજા ભાગ અથવા 66,000 લોકો કેનેડા જાય છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ડર ઉભો થયો છે. જેને કારણે કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

પ્રમુખના કહેવા મુજબ,કેનેડામાં દરેક ભારતીય વિદ્યાર્થીનો સરેરાશ કુલ ખર્ચ 16000 ડોલર છે. તેમણે કહ્યું કે આમાં લેપટોપની ખરીદી, રહેવાની કિંમત, બેંક સિક્યોરિટી અને એર ટિકિટનો સમાવેશ થાય છે. બે વર્ષના અભ્યાસ અને આવાસનો કુલ ખર્ચ વિદ્યાર્થી દીઠ 53,000 ડોલર આવે છે. એક ભારતીય વિદ્યાર્થી બે વર્ષમાં કેનેડિયન અર્થતંત્રમાં અંદાજે 69,000 ડોલર આવે છે.

જો જાન્યુઆરી બેચ માટે નોંધણીમાં માત્ર 5 ટકાનો ઘટાડો થશે, તો તેના પરિણામે 230 મિલિયન ડોલરનું નુકસાન થશે. મે અને સપ્ટેમ્બરમાં અછતને કારણે 690 મિલિયન ડોલરનું નુકસાન થશે. આ સિવાય જ્યારે આ વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી નહીં કરે તો કેનેડાને 30 લાખ ડોલરનું પણ નુકસાન થશે.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.