ભારત સાથે પંગો લેવાનું કેનેડાને ભારે પડશે, નહીં સુધરે તો 70 કરોડ ડોલરનું નુકશાન

ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે એવું નિવેદન આપીને કેનેડાના પ્રધાનમંત્રી રીતસરના ભેરવાઇ  ગયા છે. ભારત સામેનો પંગો આટલો ભારી પડશે એવો કદાચ તેમને અંદાજ નહોતો.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે પંગો લીધો છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે તેમના જ દેશને સૌથી મોટું નુકસાન થવાનું છે. અહેવાલો અનુસાર, બંને દેશો વચ્ચેના વિવાદને કારણે કેનેડા જતા વિદ્યાર્થીઓમાં ડર છે. આ કારણે તેમની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

કેનેડાના પ્રધાનમંત્રીએ જયારે આતંકવાદી સર્મથક હરદીપ નિજ્જરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને એવી ધારણા નહોતી ભારત પણ આટલું જોરથી પલટવાર કરશે. ભારત સામે પંગો લઇને કેનેડાને હવે 70 કરોડ ડોલરનું મસમોટું નુકશાન થઇ શકે છે.

ઇમેજ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટે નિષ્કર્ષ કાઢ્યો છે કે વર્ષ 2024માં હાયર સ્ટડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં માત્ર 5 ટકાનો પણ ઘટાડો આવે તો પણ કેનેડાને 70 કરોડ ડોલરનું નુકશાન થઇ શકે છે.

કેનેડામાં દર વર્ષે હાયર સ્ટડીમાં જનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે. દર વર્ષે ભારતથી બે લાખ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ ઇમેજ ઇન્ડિયાના પ્રમુખ રોબિંદર સચદેવે કહ્યું કે,ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે ત્રણ બેચમાં કેનેડા જાય છે. આ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર છે. તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં પ્રવેશ દરમિયાન ત્રીજા ભાગ અથવા 66,000 લોકો કેનેડા જાય છે. ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદને કારણે ભારતીય વિદ્યાર્થીઓમાં ડર ઉભો થયો છે. જેને કારણે કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવી શકે છે.

પ્રમુખના કહેવા મુજબ,કેનેડામાં દરેક ભારતીય વિદ્યાર્થીનો સરેરાશ કુલ ખર્ચ 16000 ડોલર છે. તેમણે કહ્યું કે આમાં લેપટોપની ખરીદી, રહેવાની કિંમત, બેંક સિક્યોરિટી અને એર ટિકિટનો સમાવેશ થાય છે. બે વર્ષના અભ્યાસ અને આવાસનો કુલ ખર્ચ વિદ્યાર્થી દીઠ 53,000 ડોલર આવે છે. એક ભારતીય વિદ્યાર્થી બે વર્ષમાં કેનેડિયન અર્થતંત્રમાં અંદાજે 69,000 ડોલર આવે છે.

જો જાન્યુઆરી બેચ માટે નોંધણીમાં માત્ર 5 ટકાનો ઘટાડો થશે, તો તેના પરિણામે 230 મિલિયન ડોલરનું નુકસાન થશે. મે અને સપ્ટેમ્બરમાં અછતને કારણે 690 મિલિયન ડોલરનું નુકસાન થશે. આ સિવાય જ્યારે આ વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી નહીં કરે તો કેનેડાને 30 લાખ ડોલરનું પણ નુકસાન થશે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.