બોર્ડની ઉત્તરવહીમાં મળી 100-200ની નોટો, IPSએ લખ્યું ભલા માણસ આટલામાં કોઇ પાસ...

સોશિયલ મીડિયા પર એક IPS અધિકારીએ એક ફોટો શેર કર્યો છે જે શિક્ષણ જગતની પોલ ખોલી નાંખે છે.

જ્યારે વ્યક્તિનું કામ આસાનીથી થતું નથી ત્યારે લાંચ આપીને તેને સરળતાથી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં ઘણા કામો લાંચ લઈને પણ કરવામાં આવે છે એવા આરોપો લાગતા રહે છે.આ કારણથી લોકો લાંચ આપવામાં પણ અચકાતા નથી. પુખ્ત વયના અને બાળકો પણ જાણે છે કે ભારતમાં લાંચ આપીને ઘણી વસ્તુઓ કરી શકાય છે એટલે લોકો લાંચના પૈસા આપતા રહે છે.સોશિયલ મીડિયા પર એક IPS અધિકારીએ એક એવી તસ્વીર શેર કરી છે કે, જો ભારતમાં લાંચના રિવાજની પોલ ખોલી નાંખી છે.

બોર્ડની પરીક્ષાનો ડર ઘણા બાળકોમાં જોવા મળે છે. આ પરીક્ષાઓના પરિણામના આધારે બાળકોને આગળ પ્રવેશ મળે છે. આવી સ્થિતિમાં બાળકોની કારકિર્દીમાં આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત લોકોને એવું લાગે છે કે જ્યારે ભારતમાં દરેક કામ લાંચ દ્વારા કરવામાં આવે છે, તો બોર્ડની પરીક્ષામાં પણ લાંચ આપવાથી કામ પતી શકે છે.એક IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર આવી એક તસવીર શેર કરી છે, જેમાં બાળકે બોર્ડની પરીક્ષાની આન્સરશીટમાં જવાબના બદલે પૈસા ભરી દીધા હતા.

આ ફોટો સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. IPS અધિકારી અરુણ બોથરાએ આ વાત શેર કરી છે. જેમાં જવાબ પત્રકની અંદર નોટો નાખવામાં આવી હતી. તેમાં 100 અને 200ની નોટો ભરેલી હતી. સાથે જ લખવામાં આવ્યું હતું કે આટલા પૈસા માટે તેને પાસિંગ માર્કસ આપવામાં આવે.

વિદ્યાર્થીએ જે આન્સર શીટમાં રૂપિયા ભરીને મોકલ્યા હતા. તેની તસ્વીરનો ફોટો પાડીને ટીચરે IPS અધિકારીને મોકલ્યો હતો અને  તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. માત્ર આ એક જ તસ્વીરથી ભારતની એજ્યુકેશનલ સિસ્ટમને સમજી શકાય છે.

અધિકારીએ તેને શેર કરતાની સાથે જ તે વાયરલ થઈ ગયો. એક યૂઝરે લખ્યું કે બાળપણથી જ પૈસાથી દરેક વસ્તુ ખરીદવાની માનસિકતા વિકસે છે. જ્યારે એકે લખ્યું કે આ છે આપણી શૈક્ષણિક વ્યવસ્થા. આમાં બાળકોનું ભવિષ્ય જોવા મળે છે. જોકે, ઘણાએ બાળકની મજાક ઉડાવી હતી. તેમણે લખ્યું, ભલા માણસ, 200-300 રૂપિયામાં કોણ પાસ કરે?  વિદ્યાર્થી કયા રાજ્યનો છે એ વિશે માહિતી જાણવા મળી નથી.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.