સરકારના વિકાસના કામોમાં ક્વોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહીં:શિક્ષણમંત્રી

શિક્ષણ રાજ્યમંત્રી અને ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને તથા પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાની ઉપસ્થિતિમાં કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી.             બેઠકમાં વિકાસકામો ગુણવત્તાયુકત થાય તે જરૂરી હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, સરકારના વિકાસના કામોમાં કવોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહી. આગામી પાંચ વર્ષમાં કામરેજ તાલુકાના એક પણ ગામમાં ઝૂંપડું ન રહે, સૌને પાકા મકાનો મળે તે દિશામાં રોડમેપ બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. કામરેજની આસપાસ ગંદકી તથા હાઈવેના સર્વિસ રોડની સમયસર મરામત થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડ્રેનેજ તથા પાણીની પાઈપલાઈન જેવા વિકાસકામોમાં કોઈ પણ અડચણરૂપ બનતા હોય તો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા મંત્રીએ કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા કામરેજમાં મહત્તમ ગામોનો સમાવેશ કરી ગેસ લાઈનની કામગીરી ઝડપી બનાવવી. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું.

પ્રાંત અધિકારી પીપળીયાએ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા યાદીની ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને પોતાના નામો ઉમેરવા, સુધારા-વધારા કરવાનો અનુરોધ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.