‘એવી કઈ આફત આવી પડી કે તમને પાકિસ્તાનથી એક્ટર શોધી લાવવા પડ્યા?’ અમિત સ્યાલનો બોલિવુડ પર ફૂટ્યો ગુસ્સો

તાજેતરમાં રીલિઝ થયેલી અજય દેવગનની ફિલ્મ 'રેડ 2'માં પોતાની એક્ટિંગથી ફરી એકવાર ચર્ચામાં આવેલા અમિત સ્યાલે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એ બોલિવુડના મેકર્સ પર નિશાનો સાધ્યો છે જે પાકિસ્તાની એક્ટરોને પોતાની ફિલ્મોમાં એક્ટિંગ માટે આમંત્રિત કરતા હતા. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, એવી શું જરૂરિયાત છે કે ત્યાંથી એક્ટર શોધી-શોધીને લાવવામાં આવી રહ્યા છે. તેનો ગુસ્સો અહીં જ ન અટક્યો, ત્યારબાદ અન્ય ઘણી બધી વાતો કહી, જેની બાબતે આપણે જાણીએ છીએ.

amit-sial1
jay-ho.com

મિર્ઝાપુર અને જામતાડા જેવા શૉઝ અને ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર અદાકારીનો જલવો વિખેરી ચૂકેલા અમિત સ્યાલ હિન્દી રશના પોડકાસ્ટમાં આવ્યો હતો. ત્યાં તેને પહેલગામ ઘટના બાદ તેમના નિવેદનને ક્વોટ કરતા બોલિવુડમાં પાકિસ્તાની એક્ટર્સને કામ આપવા સાથે જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો હતો. હકીકતમાં, એક્ટરે નિડરતાથી કહ્યું હતું કે તેલ લગાવવા જાય આર્ટ, દેશ જરૂરી છે.’ તેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા આર્ટિસ્ટ ખચકાય છે આવી વાતો કરવામાં પરંતુ તમે ખુલીને વાત રાખો છો. તેના પર અમિત સ્યાલે કહ્યું કે, ‘ઠીક છે, માનું છું પાકિસ્તાની લોકો સારા હશે. પરંતુ એવી શું જરૂરિયાત છે કે ત્યાં જઇ જઈને શોધી-શોધીને લાવવામાં આવી રહ્યા છે અને અહીં કામ કરાવવામાં આવી રહ્યું છે.

https://www.instagram.com/reel/DJ4KU96sEuR/?utm_source=ig_web_copy_link

ત્યારબાદ, અમિત સ્યાલે પોતાની વાત પૂરી કરતા કહ્યું કે, ‘અહી જે ટેલેન્ટ છે તેને ન તો તમે શોધી શોધી રહ્યા છો, ન તો તેને મંચ આપી રહ્યા છો અને ન કોઈ કામ. તો એવી કઈ આફત આવી પડી કે તમારે પાકિસ્તાનથી જ એક્ટર લઈ આવવા છે? ત્યારબાદ અમિત સ્યાલે કહ્યું કે, માન્યું કે હું બાયસ્ડ હોય શકું છું,પરંતુ હવે કઈ મજબૂરી છે? તમે બોલો છો આર્ટ અને કલ્ચર તો તમે બતાવો કયું આર્ટ અને કલ્ચર? અહીં દેશ વિરોધી હરકતો કરવામાં આવી રહી છે અને તે આર્ટ અને કલ્ચરની વાત કરી રહ્યા છો. તેમણે આગળ કહ્યું કે, આપણા દેશમાં આર્ટ અને આર્ટિસ્ટની કોઈ કમી નથી. અને જો તમને કમી લાગે છે તો કોઈ બીજા દેશમાંથી લઈ આવો. પાકિસ્તાનથી જ કેમ લાવવું છે? ત્યારબાદ એક્ટર કહે છે કે દેશ પહેલા હોવો જોઈએ.

amit-sial
indianexpress.com

પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી પહેલગામ ઘટનામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ, ઓપરેશન સિંદૂરથી, ભારતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણા તબાહ કરી દીધા હતા. ત્યારથી, વધતા તણાવ વચ્ચે, ઘણા સેલેબ્સે પાકિસ્તાનની નાપાક હરકતો પર સવાલ ઉઠાવ્યા હતા. જેમાં સૌથી વધુ નિડરતાથી સવાલ ઉઠાવનાર એક્ટર અમિત સ્યાલ પણ હતો.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.