માથે ગજરો લગાવેલો એટલે એરપોર્ટ પર અભિનેત્રીને રોકવામાં આવી, ઓસ્ટ્રેલિયામાં થયો લાખોનો દંડ, જાણો શું છે કારણ

મલયાલમ અભિનેત્રી નવ્યા નાયર તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર એ વખતે મુશ્કેલીમાં મુકાઈ ગઈ, જ્યારે તેના હેન્ડબેગમાં ચમેલીના ફૂલોનો ગજરો મળી આવ્યો. ઓસ્ટ્રેલિયાના કડક જૈવિક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ તેને લગભગ 1.14 લાખ રૂપિયા (AUD 1,980)નો દંડ ફટકારવામાં આવ્યો.

નવ્યા નાયર ઓણમની ઉજવણીમાં હાજરી આપવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ ઓણમની ઉજવણી વિક્ટોરિયા મલયાલી એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. એરપોર્ટ પર અધિકારીઓએ જ્યારે તેની બેગ તપાસી ત્યારે 15 cm લાંબો ગજરો મળી આવ્યો.

Navya Nair
navbharatlive.com

નવ્યા નાયરે મેલબોર્નમાં એક કાર્યક્રમ દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે કહ્યું કે, આ ગજરો મારા પિતા દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને મને મુસાફરી દરમિયાન પહેરવા માટે આપવામાં આવ્યો હતો. મેં તેને અજાણતાં બેગમાં રાખ્યો હતો. તે મારી ભૂલ હતી, ભલે તે જાણી જોઈને ન કરવામાં આવ્યું હોય. પરંતુ કાયદો કાયદો છે. તેમણે કહ્યું કે દંડ 28 દિવસમાં ચૂકવવો પડશે.

https://www.instagram.com/reel/DOSURJTErr8/

ઓસ્ટ્રેલિયા તેની ખેતી અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કડક જૈવિક સુરક્ષા નિયમો લાગુ કરે છે. અહીં તાજા ફૂલો, છોડ, બીજ અને માટી જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે, કારણ કે તેમના દ્વારા દેશમાં જીવાત અને રોગો ફેલાઈ શકે છે. આ જ કારણ છે કે ચમેલીનો ગજરો લઇ જવા બદલ પણ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.

Navya Nair
patrika.com

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે એરપોર્ટ પર ખાવાનું ખાતી, ખરીદી કરતી અને પરંપરાગત કેરળ સાડીમાં માથામાં ચમેલીનો ગજરો લગાવીને ફરતી જોવા મળી હતી.

ઓસ્ટ્રેલિયન સરકારની વેબસાઇટ (studyaustralia.gov.au) અનુસાર, મુસાફરોએ ઉતરતી વખતે તેમના ઇનકમિંગ પેસેન્જર અરાઇવલ કાર્ડ પર ઘણી વસ્તુઓ જાહેર કરવી પડે છે. આમાં તમામ પ્રકારના ખોરાક, છોડ અને પ્રાણીઓ સંબંધિત વસ્તુઓ, 10,000 ઓસ્ટ્રેલિયન ડૉલર અથવા તેના સમકક્ષ વિદેશી ચલણ અને કેટલીક દવાઓનો સમાવેશ થાય છે. જો કોઈ મુસાફર આ વસ્તુઓ જાહેર ન કરે, તો તેના પર ભારે દંડ લાદવામાં આવે છે.

Navya Nair
news.abplive.com

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સની વેબસાઇટ અનુસાર, કાનૂની પરવાનગી વિના દેશમાં છોડ, ફૂલો અને બીજ લાવવા પર પ્રતિબંધ છે. ઓસ્ટ્રેલિયા તેને જોખમી માને છે, કારણ કે આવા છોડ અને ફૂલો ત્યાંના વાતાવરણમાં રોગો અથવા જીવાતો ફેલાવી શકે છે. નિયમો અનુસાર, ફક્ત તે લોકો જ છોડ અને ફૂલો લાવી શકે છે, જેમની પાસે આ માટે માન્ય પરવાનગી છે. આ ઉપરાંત, તેમના પર માટી કે અન્ય કોઈ છોડનો કોઈ ભાગ ન હોવો જોઈએ.

Navya Nair
news.abplive.com

નવ્યા નાયરે 2001માં ફિલ્મ 'ઈશ્તમ'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેણે 'મઝથુલિક્કુલુક્કમ' અને 'કુંજીકોનન' જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી દીધી. પરંતુ લગ્ન પછી, તેણે સિનેમામાં કામ કરવાથી વિરામ લીધો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાનું શરૂ કર્યું. બે દાયકાથી વધુની સફર પૂર્ણ કરી ચૂકેલી નવ્યાને હજુ પણ મલયાલમ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી માનવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની...
National 
બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

વારાણસીમાં 22 વર્ષની શ્રેયા ઉપાધ્યાયની દર્દનાક હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતની તપાસમાં પોલીસ તેને પાગલ પ્રેમીનું કૃત્ય...
National 
પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.