શાહરૂખની પઠાણ સામે ધ કશ્મીર ફાઇલ્સ ટકરાશે, વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત

બોલીવુડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ ફરી એક વાર સિનેમાઘરોમાં લોકોને જોવા મળશે. ધ કશ્મીર ફાઇલ્સ 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટરમાં રીલિઝ થવા જઇ રહી છે. 11મી માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોના લિસ્ટમાં શુમાર થઇ ગઇ છે. ફિલ્મે બોક્સ ઓપિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી. સિનેમાઘરોમાં હિટ થવાના એક વર્ષથી પણ ઓછા સમય બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થવા માટે તૈયાર છે.

વિવેક અગ્નીહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બુધવારે આ વાતની ઘોષણા કરતા કહ્યું કે, ધ કશ્મીર ફાઇલ્સને 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવું પહેલી વખત છે કે, એક ફિલ્મ એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરીથી રીલિઝ થઇ રહી છે. વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, એ દિવસે કશ્મીરી હિંદુ નરસંહાર દિવસ છે. જો તમે બિગ સ્ક્રીન પર તેને જોવામાં ચૂકી ગયા છો તો ટિકિટ્સ અત્યારથી બુક કરાવી દો. તેની સાથે જ તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ ટ્વીટ કર્યું છે.

ધ કશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 1990ના દાયકામાં થયેલા કશ્મીર પલાયનના પીડિતોના વીડિયો અને તેમના ઇન્ટર્વ્યુ પર આધારિત હતી. તેમાં કશ્મીરી પંડિતોનો દર્દ, પીડા, સંઘર્ષ અને આઘાતને બતાવવામાં આવ્યો છે.

બોલીવુડના કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણને સિનેમાઘરોમાં આવવાના થોડા સમય પહેલા ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થઇ રહી છે. પઠાણના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શાહરૂખ ખાનના ફેન્સ પોતાના ફેવરેટ સુપરસ્ટારને ચાર વર્ષ બાદ મોટી સ્ક્રીન પર જોવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન 2018ની ફિલ્મ ઝીરો બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પદુકોણ અને જોન એબ્રાહિમ પણ પ્રમુખ ભૂમિકામાં છે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.