શાહરૂખની પઠાણ સામે ધ કશ્મીર ફાઇલ્સ ટકરાશે, વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત

બોલીવુડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ ફરી એક વાર સિનેમાઘરોમાં લોકોને જોવા મળશે. ધ કશ્મીર ફાઇલ્સ 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટરમાં રીલિઝ થવા જઇ રહી છે. 11મી માર્ચ, 2022ના રોજ રીલિઝ થયેલી ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોના લિસ્ટમાં શુમાર થઇ ગઇ છે. ફિલ્મે બોક્સ ઓપિસ પર 300 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી હતી. સિનેમાઘરોમાં હિટ થવાના એક વર્ષથી પણ ઓછા સમય બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થવા માટે તૈયાર છે.

વિવેક અગ્નીહોત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બુધવારે આ વાતની ઘોષણા કરતા કહ્યું કે, ધ કશ્મીર ફાઇલ્સને 19મી જાન્યુઆરીના રોજ ફરીથી થિયેટર્સમાં રીલિઝ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આવું પહેલી વખત છે કે, એક ફિલ્મ એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરીથી રીલિઝ થઇ રહી છે. વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, એ દિવસે કશ્મીરી હિંદુ નરસંહાર દિવસ છે. જો તમે બિગ સ્ક્રીન પર તેને જોવામાં ચૂકી ગયા છો તો ટિકિટ્સ અત્યારથી બુક કરાવી દો. તેની સાથે જ તેમણે ફિલ્મનું એક પોસ્ટર પણ ટ્વીટ કર્યું છે.

ધ કશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 1990ના દાયકામાં થયેલા કશ્મીર પલાયનના પીડિતોના વીડિયો અને તેમના ઇન્ટર્વ્યુ પર આધારિત હતી. તેમાં કશ્મીરી પંડિતોનો દર્દ, પીડા, સંઘર્ષ અને આઘાતને બતાવવામાં આવ્યો છે.

બોલીવુડના કિંગ ખાન એટલે કે, શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણને સિનેમાઘરોમાં આવવાના થોડા સમય પહેલા ધ કશ્મીર ફાઇલ્સ ફરીથી રીલિઝ થઇ રહી છે. પઠાણના ફેન્સ રાહ જોઇ રહ્યા છે. વિવાદો વચ્ચે આ ફિલ્મ 25મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શાહરૂખ ખાનના ફેન્સ પોતાના ફેવરેટ સુપરસ્ટારને ચાર વર્ષ બાદ મોટી સ્ક્રીન પર જોવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન 2018ની ફિલ્મ ઝીરો બાદ મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પદુકોણ અને જોન એબ્રાહિમ પણ પ્રમુખ ભૂમિકામાં છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.