‘મને બસ એટલું યાદ છે કે...’, ચહલ સાથે છૂટાછેડા પર પહેલી વખત બોલી ધનશ્રી

ધનશ્રી વર્માએ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ અને કોરિયોગ્રાફરે ખુલાસો કર્યો છે કે છૂટાછેડાનો નિર્ણય આવે તે અગાઉ તે કોર્ટમાં ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. ધનશ્રીએ છૂટાછેડાના દિવસે ચહલના ટી-શર્ટ સ્ટંટ બી યોર ઓન સુગર ડેડી પર પણ વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેણે ક્રિકેટરને જવાબ આપવાનું જરૂરી સમજ્યું નહોતું.

હ્યુમન્સ ઓફ બોમ્બેના પોડકાસ્ટમાં વાત કરતા ધનશ્રી વર્માએ કહ્યું કે, ‘મને આજે પણ યાદ છે જ્યારે હું ત્યાં ઉભી હતી અને નિર્ણય સંભળાવવાનો હતો. જોકે અમે મેંટલી પૂરી રીતે તૈયાર હતા, પરંતુ જ્યારે તે થઈ રહ્યું હતું, ત્યારે હું ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. હું ખરેખર ચીસો પાડવા લાગી હતી. હું તે સમયે શું અનુભવી રહી હતી તેનું વર્ણન પણ કરી શકતી નથી.

dhanashree-verma2
ndtv.com

ધનશ્રીએ કહ્યું કે, મને બસ એટલું જ યાદ છે કે હું માત્ર રડતી રહી, હું માત્ર ચીસો પાડતી રહી અને રડતી રહી. બિલકુલ! આ બધું થયું અને તે (યુઝવેન્દ્ર ચહલ) પહેલા બહાર નીકળી ગયો.છૂટાછેડાવાળા દિવસે, યુઝવેન્દ્ર ચહલ બી યોર ઓન સુગર ડેડીલખેલું ટી-શર્ટ પહેરીને ગયો હતો. તેને લઈને ધનશ્રીએ કહ્યું કે, ‘તમે જાણો છો કે લોકો તમને જ દોષિત ઠેરવશે. મને ખબર પડે કે આ ટી-શર્ટ સ્ટંટ થયો છે, અમે બધા જાણતા હતા કે લોકો તેના માટે મને દોષી ઠેરવશે.

એક્ટ્રેસ વધુમાં કહે છે- મને લાગે છે કે તમારે આ બાબતમાં ખૂબ પરિપક્વ થવું પડશે. આ આજ રસ્તો પસંદ કર્યો છે. મેં પરિપક્વ બનવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા બાલિશ નિવેદનો કરવાને બદલે પરિપક્વતા પસંદ કરી, પરંતુ હું આ રસ્તો પસંદ નહીં કરું કારણ કે હું મારા કે તેના કૌટુંબિક મૂલ્યોને નુકસાન પહોંચાડવા માગતી નથી. આપણે ઇજ્જત જાળવી રાખવી પડશે.

dhanashree-verma1
indiatvnews.com

ધનશ્રી કહે છે કે, ‘તમે જે  પણ સમય વિતાવો છો, એ બસ ઝલક હોય છે. એક મહિલા તરીકે આપણને શીખવવામાં આવે છે કે તેને નિભાવો, કારણ કે આપણે આપણા સમાજને ખૂબ સારી રીતે જાણીએ છીએ, આપણી માતાઓ આપણા સમાજને ખૂબ સારી રીતે જાણે છે. તમને લેબલ તો લગાવવામાં જ આવશે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.