આદિપુરુષ પર ભડક્યા બાબા બાગેશ્વર, બોલ્યા- ફિલ્મ કરનારાઓને..

ફિલ્મ ‘આદિપુરુષ’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મ રીલિઝ થયા બાદ હનુમાનજીના કેટલાક ડાયલોગ દેખાડવામાં આવ્યા છે, જેને લઈને પણ તેનો વિરોધ શરૂ થઈ ગયો. કેટલાક સીન્સ પર હોબાળો મચ્યો. કોઈને આ ફિલ્મ પસંદ આવી, તો કોઈને નાપસંદ. ઘણા લોકોમાં જોરદાર રોષ જોવા મળ્યો. હવે હનુમાનજી પર દેખાડવામાં આવેલા સીન અને ડાયલોગને લઈને બાબા બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ડિરેન્દ્ર શાસ્ત્રીએ પણ ફિલ્મ પર નિરાશા વ્યક્ત કરી છે.

તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’ની નિંદા કરતા કહ્યું કે, એવી ફિલ્મ બનાવનારને હનુમાનજી સદ્બુદ્ધિ આપે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજગઢ જિલ્લામાં થઈ રહેલી પોતાની કથામાં શ્રોતાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ફિલ્મ ‘આદિપુરુષ’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ફિલ્મને બનાવનારને તો વીર બજરંગી જ બચાવે, જો હનુમાનજી ક્યાંક હશે અને આ ફિલ્મને લખનાર ક્યાંક ફસાઈ ગયો તો પછી સીતા-રામ. અમે આખી ફિલ્મ તો નથી જોઈ, પરંતુ કોઈએ જણાવ્યું કે તેમાં કેટલા નિમ્ન સ્તરનો સંવાદ બોલવામાં આવ્યો છે.

તેમણે આગળ કહ્યું કે, જેમણે લખ્યું છે તેલ તેરે બાપ કા.. તે જો ક્યાંક ફસાઈ ગયા તો જય જય સીતારામ જ બોલશે. જેમણે આ ડાયલોગ લખ્યા છે, હનુમાનજી બાબતે તેમણે સમજવું જોઈએ, હનુમાનજી બોલવામાં એટલા પણ કટુ થોડા છે. હનુમાનજી ખૂબ જ્ઞાની, ખૂબ બુદ્ધિમાન છે. તેઓ તાર્કિક પણ છે, પરંતુ લોકો પોતાના બચાવમાં એવા તર્ક પણ પ્રસ્તુત ન કરે. જેથી તર્ક જ ખરાબ થઈ જાય.

ભારતીય ફિલ્મ આપણાં બાળકોના મન પર છાપ છોડે છે. એટલે ભારતમાં હવે એવી ફિલ્મો બનાવવામાં આવે, જેથી સંસ્કારોની વૃદ્ધિ થઈ શકે. સનાતનનું સંરક્ષણ થઈ શકે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રએએ કહ્યું કે, અમે તો એમ જ કહીશું કે, હનુમાનજી સદ્બુદ્ધિ આપે. આપણાં વીર બજરંગી ભગવાન છે, કોઈ માને કે ન માને, પરંતુ ભક્તો માટે તો છે. ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંચ પર કથા કહેવા પહોંચ્યા તો શ્રદ્ધાળુઓએ ઉત્સાહિત થઈને તેમનું જોરદાર સ્વાગત કર્યું.

આ દરમિયાન તેમણે થોડા દિવસ અગાઉ આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’માં દેખાડવામાં આવેલા હનુમાનજીના સીન અને ડાયલોગને લઈને નિવેદન આપ્યું. બાગેશ્વર ધામના પિઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અત્યારે રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં 26 જૂનથી 28 જૂન સુધી ત્રણ દિવસીય હનુમંત કથા ચાલી રહી છે. સોમવારે કથાનો પહેલો દિવસ હતો, જેમાં 70 હજારથી વધુ મહિલાઓ અને પુરુષ કથા સાંભળવા પંડાલમાં પહોંચ્યા હતા. એવામાં આખો પંડાલ કથા શરૂ થવા અગાઉ જ શ્રદ્ધાળુઓથી ભરાઈ ચૂક્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.