રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા ‘આદિપુરુષ’ પર બોલ્યા

દીપિકાને આજે પણ સમગ્ર દેશમાં સીતા માતા માનવામાં આવે છે. એક્ટ્રેસને હજુ પણ એવો જ પ્રેમ અને સન્માન મળે છે જે તેમને રામાનંદ સાગરની રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવવા દરમિયાન મળ્યો હતો. ‘આદિપુરુષ’ની રીલિઝ સાથે, નેટિઝન્સે તેની સરખામણી મહાકાવ્ય ગાથા સાથે કરી અને ખુલાસો કર્યો કે કઇ રીતે ફિલ્મે હનુમાન અને રાવણના ડાયલોગ્સ માટે ટપોરી ભાષાનો ઉપયોગ કરીને ધર્મની મજાક ઉડાવી. હવે દીપિકા ચિખલિયાએ મીડિયા સાથે વાતચીત કરી અને રામાયણ વિશે ઘણુ બધુ જણાવ્યું.

દીપિકા ચિખલિયાએ કહ્યું, સીતાજીની ખૂબ જ ઇમોશનલ જર્ની છે. જ્યારે પણ કોઈ સીતાજી બોલે છે, તો હું કોઈ અન્યને જોઈ જ નથી શકતી. ક્યારેક-ક્યારેક હું પોતે પોતાને જ જોઉં છું. રામાયણ પર ફિલ્મો અને સીરિયલ બનાવવાને બદલે તેને સ્કૂલોમાં વિષયની જેમ ભણાવો. રામ એક એવુ વ્યક્તિત્વ છે, જે 14 વર્ષો માટે વનવાસ ચાલ્યા ગયા પરંતુ, કૈકેયી વિશે તેમણે ક્યારેય ખરાબ વાત નથી કહી. રાવણમાં કેટલા અવગુણો હતા પરંતુ, સદગુણ પણ હતા. આ સ્ટોરી બતાવો, જો બતાવવી જ હોય તો. જે રામાયણ રામાનંદ સાગરે બનાવી છે, તેમા તેમણે કોઈ છેડછાડ નથી કરી. એવુ નથી કે રામાયણ ત્યારબાદ નથી બની. તેના 10 વર્ષ બાદ જ રામાયણ બની હતી પરંતુ, તે એ મુકામને હાંસલ ના કરી શકી. તમારી પાસે કન્ટેન્ટ નથી? તો આના પર શા માટે બનાવી રહ્યા છે. વારંવાર તેના પર જ દરેક વ્યક્તિ શા માટે બનાવી રહી છે.

તેમણે આગળ કહ્યું, તમે આ ખોટું કરી રહ્યા છો. આ ધરોહર છે, જેને તમે હાનિ પહોંચાડી રહ્યા છો. જો કોઈ 8-10 વર્ષનું બાળક આ જોઈ લે, તો તેને તો એવુ જ લાગશે કે આ જ રામાયણ છે. તો આવુ બનાવો જ નહીં. તમે ક્યાંક ને ક્યાંક આવનારી પેઢીને જ્ઞાન આપી રહ્યા છો, તો આવુ ના કરો. બધુ જ અલગ કરવા માંગો છો અને તે ચક્કરમાં કંઈક બીજું જ આવી જાય છે. બતાવવુ હોય તો ચોપાઇઓ બતાવો, રામાયણ નહીં.

આ પહેલા દીપિકા ચિખલિયાએ ઇન્ટાગ્રામ પર સીતા માતાના પોતાના કેરેક્ટરને રીક્રિએટ કરતા એક રીલ શેર કરી અને લખ્યું, આ પોસ્ટ જનતાની માંગ પર છે. હું પોતાની ભૂમિકા માટે હંમેશાં મળેલા પ્રેમ માટે આભારી છું. હું સીતાજીના રોલ કરતા વધુ બીજું કંઈ જ ના મેળવી શકું.

યુઝર્સ રીલને જોઈને ખુશ થઈ ગયા અને તમામે પ્રેમભર્યા કમેન્ટ્સ કર્યા. એક યુઝરે લખ્યું, તમારી આ એક રીલ છે... શું કહું. એકે કહ્યું, આખી ‘આદિપુરુષ’ ફિલ્મ પર તમે ભારે પડી ગયા છે. તેમજ અન્ય એક યુઝરે સીતાજીના કેરેક્ટર માટે તેમને અપૂરણીય ગણાવ્યા, કોઈપણ તમને સીતાજીની ભૂમિકામાંથી રિપ્લેસ ના કરી શકે. એકે લખ્યું, મનમાં જ્યારે પણ સીતાનું રૂપ આવે છે, તેમા માત્ર તમે જ આવો છો, હંમેશાં આદર, જય શ્રી રામ. 

View this post on Instagram

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

જ્યારે ફિલ્મ ‘આદિપુરુષ’નું પ્રીમિયર થિયેટર્સમાં થયુ, ફેન્સે ઘણા એવા કારણોથી તેની સરખામણી રામાનંદ સાગરની રામાયણ સાથે કરી. લોકોએ રામાયણને થિયેટર્સમાં ફરીથી ચલાવવા માટે કહ્યું, યુઝરે લખ્યું, દૂરદર્શને તાત્કાલિક રામાનંદ સાગરજીના રામાયણને #AadiPurush નામના મહાકાવ્ય આપદાથી બચાવો. નેશનલ ડિટોક્સ પર તેને ફરીથી કરવી જોઈએ. એક યુઝરે કન્ટેન્ટની ગુણવત્તા અને VFXની સરખામણી કરી અને કહ્યું, આદિપુરુષમાં આજનું VFX રામાનંદ સાગરના VFX સાથે મેચ ના થઈ શકે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.