ફિલ્મ ધ કેરળ સ્ટોરીનો વિવાદ આખરે શું છે, મેકર્સે આપ્યું નિવેદન

‘ધ કેરળ સ્ટોરી’ પર વિવાદ વધતો જઈ રહ્યો છે. 4 દિવસ અગાઉ આ ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું કે પહેલા કેરળથી કથિત રૂપે 32 હજાર છોકરીઓ ગાયબ થાય છે, પછી તેઓ ઇસ્લામ ધર્મ કબૂલ કરે છે અને આતંકી સંગઠન ISISમાં જોડાઈ જાય છે. જ્યારે આ ટ્રેલર સામે આવ્યું ત્યારથી કેરળ અને કેરળના રહેનારા મુસ્લિમો સવાલોના ઘેરામાં આવી ગયા છે. આ જ કારણ છે કે રાજનીતિ અને સમાજ બે પક્ષમાં વહેચાઇ ગયા છે. એક પક્ષ આ ફિલ્મને પ્રોપગેન્ડા કહીને ફગાવી રહ્યો છે.

તો બીજો પક્ષ તેને કેરળની જમીની હકીકત બતાવી રહ્યો છે, જેના પર અત્યાર સુધી ખૂલીને વાત થઈ નથી. આ આખા વિવાદ વચ્ચે હવે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર અને નિર્માતાનું નિવેદન સામે આવ્યું છે. વિવાદ વચ્ચે ફિલ્મના ડિરેક્ટર, નિર્માતા અને એક્ટરે ફિલ્મનું સમર્થન કરતા એ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ આતંકવાદીઓ પર કેન્દ્રિત છે, મુસ્લિમો પર નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આખી ફિલ્મમાં કેરળ રાજ્ય વિરુદ્ધ કશું દેખાડવામાં આવ્યું નથી.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેને કહ્યું કે, ‘મેં મહિનાઓની શોધ બાદ આ ફિલ્મ બનાવી છે. પહેલા તો કોઈ પણ નિર્માતા આ ફિલ્મનું સમર્થન કરવા માગતા નહોતા. પછી વિપુલ શાહ તૈયાર થયા.’ તો ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, ‘કેરળ રાજ્ય વિરુદ્ધ કશું જ દેખાડવામાં આવ્યું નથી, ન તો ફિલ્મમાં કંઈ અપમાનજનક કહેવામાં આવ્યું છે. ફિલ્મ આતંકવાદીઓ પર આધારિત છે, ન કે મુસ્લિમો પર. કેરળના મુખ્યમંત્રીએ આ ફિલ્મ જોવી જોઈએ.

ફિલ્મ પર થઈ રહેવા વિવાદ પર કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ નિવેદન અપાયું હતું. તેમણે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો એજન્ડા બતાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘એવી ફિલ્મ બનાવનાર લવ-જિહાદનો મુદ્દો ઉઠાવીને રાજ્યમાં ધાર્મિક ઉન્માદને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને સંઘ પરિવારના એજન્ડાને આગળ વધારી રહી છે. ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’માં 32 હજાર હિન્દુ અને ઈસાઈ મહિલાઓની કહાની દેખાડવામાં આવી છે.

એ છોકરીઓની કહાની જેમણે પહેલા ઇસ્લામ કબૂલ કર્યો અને પછી આતંકી સંગઠન ISIS સાથે જોડાઈ. એટલું જ નહીં ઈરાક અને સીરિયા જઈને ISIS માટે કામ પણ કર્યું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 5 મેના રોજ રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.