ઈશા દેઓલને તેના સાસરિયામાં શોર્ટ્સ અને વેસ્ટ પહેરવાની નહોતી છૂટ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી અને બોલિવુડ અભિનેત્રી ઈશા દેઓલ આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 12 વર્ષના સંબંધ પછી 2024મા તેણે પોતાના પતિ અને ઉદ્યોગપતિ ભરત તખ્તાનીથી અલગ લેવાનો નિર્ણય લીધો. 2011મા ઈશા અને ભરતે લગ્ન કર્યા. આ એક ગ્રાન્ડ લગ્ન હતા જેમાં અભિનેતા માતા-પિતાએ કોઈ કસર છોડી ન હતી. પરંતુ લગ્ન પછી, જ્યારે ઈશા સાસરે પહોંચી ત્યારે બદલાયેલી સંસ્કૃતિ તેના માટે આઘાતજક હતી. તે પોpતાની પસંદગીના ટૂંકા કપડા પહેરી શકતી ન હતી. 

isha-deol1
aajtak.in

શોર્ટ્સ નહોતી પહેરી શકતી ઈશા 

ઈશાએ આ વાતનો ઉલ્લેખ તેના પુસ્તક અમ્મા મિયામાં કર્યો છે જે 2020મા લોન્ચ થયું હતું. તેણે લખ્યું કે જ્યારે તે ભરતના સંયુક્ત પરિવારના ઘરમાં રહેવા લાગી, ત્યારે તેણે સૌથી પહેલા પોતાનો પહેરવેશ બદલવો પડ્યો. ઈશાએ કહ્યું 2012મા લગ્ન પછી જ્યારે અમે ઘરે આવ્યા, ત્યારે બધુ બદલાઈ ગયું. હું પહેલાની જેમ શોર્ટ્સ અને વેસ્ટ પહેરીને ઘરમાં ફરી શકતી નહોતી. જોકે, કપડાની ઓછી સ્વતંત્રતા હોવા છતા, ઈશાએ સ્વીકાર્યું કે તેના સાસરિયાઓ ખૂબ પ્રેમાળ હતા અને તેઓ તેને પરિવારમાં ઘણો પ્રેમ આપતા હતા.

તખ્તાની પરિવારની સ્ત્રીઓ

ઈશાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તખ્તાની પરિવારની સ્ત્રીઓ તેમના પતિઓ માટે લંચબોક્સ પેક કરતી હતી, જ્યારે તે ભરતને મળી ત્યાં સુધી તેણે ક્યારેય ભોજન બનાવ્યું ન હતું. તેણીએ મજાકમાં કહ્યું કે તેના સાસરિયાના ઘરની સ્ત્રીઓ કિચન ક્વિન્સ હતી. તેની સાસુની પ્રશંસા કરતા, ઈશાએ લખ્યું, વહુ હોવાના નામે મને ક્યારેય રસોડામાં જવાની કે રૂઢિચુસ્ત કાર્યો કરવા મજબુર નથી કરી. મારી સાસુએ મને તેમના ત્રીજા પુત્રની જેમ માની છે. ચોકલેટ બ્રાઉની અને ફ્રુટ વીથ ક્રીમ ઘણીવાર મને મોકલવામાં આવતા હતા. હું તો પહેલી વહુ તરીકે ખુબ લાડ-પ્રેમ થી બગડી ગઈ. 

isha-deol
m.economictimes.com

ભરતને મળી એક નવી સાથી  

ભરત અને ઈશાને આ લગ્નથી બે દીકરીઓ છે, રાધ્યા અને મીરાયા. ઈશા બંનેનો ઉછેર કરી રહી છે. લગ્નના 11 વર્ષ પછી, બંનેએ 2014મા દુનિયાને તેમના અલગ થવા વિશે જણાવ્યું. હવે ભરત તેના જીવનમાં આગળ વધી ગયો છે. અહેવાલો અનુસાર, તે મેઘના લાખાણી સાથેના સંબંધમાં છે. 

 

 

 

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.